________________
આપ્તવાણી-૮
૨૦૧
૨૦૨
આપ્તવાણી-૮
ગુણો નથી. ‘ચંદુભાઈ’ અને ‘તમે’ બેઉ જુદા છો. આ શરીરમાં ‘તમે ય જુદા છો ને ‘ચંદુભાઈ’ ય જુદા છે. અમને બેઉ જુદા દેખાય છે, ચંદુભાઈ ય દેખાય છે ને તમે ય દેખાવ છો. એટલે “ખરેખર તમે ‘રિયલી સ્પીકિંગ’ કોણ છો” એનું ‘ડીસીઝન’ લેવું જોઈએ ! આ શરીરમાં તમારું ક્ષેત્ર જુદું છે. તમે તમારા ક્ષેત્રમાં રહો તો તમે ક્ષેત્રજ્ઞ છો. અને ક્ષેત્રમાં ના રહો તો ક્ષેત્રાકાર થઈ જાવ. ક્ષેત્રજ્ઞ થઈને આ બધું જાણવાનું છે કે આ ક્ષેત્રમાં શું થઈ રહ્યું છે ! ક્ષેત્રજ્ઞનો અર્થ શું ? ક્ષેત્રને જાણનાર. એટલે તમારે નિરંતર જાણ્યા જ કરવાનું છે “શું થઈ રહ્યું છે, કોણ બોલે છે” એ બધું તમારે તમારા ક્ષેત્રમાં રહીને જાણવાનું જ છે ખાલી !
‘હું શુદ્ધાત્મા છું' એવો નિર્ણય થવો, એનું નામ જ આત્માનો અનુભવ. અને એ આત્મઅનુભવ થવો એ કંઈ જેવી તેવી વાત છે ?
એ ગુપ્તસ્વરૂપ, અભૂત ! અભૂત !! એટલે આ દુનિયામાં જાણવા જેવું શું છે ? આપને શું લાગે છે ? પ્રશ્નકર્તા : સ્વ-સ્વરૂપ !
દાદાશ્રી : બસ ! એના સિવાય દુનિયામાં બીજી જાણવા જેવી કોઈ વસ્તુ જ નથી ! એક સ્વ-સ્વરૂપ જ જાણવા જેવું છે !!
પ્રશ્નકર્તા : હા, પણ એ અદ્દભૂત દર્શન શું હશે ?
દાદાશ્રી : અદ્ભૂત એ તો ગુપ્તસ્વરૂપ છે ! જે જગતથી આખું ગુપ્ત છે, ગુપ્ત સ્વરૂપ છે ! આખું જગત જ જેને જાણતું નથી, એ ગુપ્ત સ્વરૂપ, તે અદ્દભૂત જ છે ! એથી બીજી અદ્દભૂત વસ્તુ આ દુનિયામાં કોઈ હોતી નથી ! અને અદ્ભૂત તો આ દુનિયામાં કોઈ વસ્તુ જ નથી ને ! બધી વસ્તુ મળે. પણ જે ગુપ્ત સ્વરૂપ છેને, એ એકલું જ અદ્ભુત છે, આ દુનિયામાં ! એટલે શાસ્ત્રકારોએ એને અભૂત, અદ્ભુત, અદ્ભૂત કહીને લાખો વખત અદ્દભૂત કહ્યું !!
માન્યતાતી જ મૂળ ભૂલ... પ્રશ્નકર્તા : પણ અમને ભ્રાંતિ તો ખરી જ ને !
દાદાશ્રી : શેની બ્રાંતિ છે ? પ્રશ્નકર્તા: સ્વ-સ્વરૂપની ભ્રાંતિ જ છે ને ?
દાદાશ્રી : પણ ભ્રાંતિવાળું સ્વરૂપ કર્યું છે ને ભ્રાંતિરહિત સ્વરૂપ ‘તમારું” કયું છે ? કેટલો ભાગ ભ્રાંતિરહિત છે ને કેટલો ભાગ ભ્રાંતિવાળો છે એવું ખબર જ નથી ? કશું વહેંચણ જ નહીં કરેલું ? ‘ડિવિઝન’ જ નહીં પાડેલાને ?
પ્રશ્નકર્તા : ભ્રાંતિની વ્યાખ્યા આપ શું કરો ? કોને ભ્રાંતિરહિત ગણાય ?
દાદાશ્રી : પોતે અવિનાશી, પોતાની માલિકીની ચીજો ય અવિનાશી અને વિનાશી ચીજોને પોતાની માનવી, એનું નામ ભ્રાંતિ !!
પ્રશ્નકર્તા : એટલે એક જાતનું અજ્ઞાન થયું ને ?
દાદાશ્રી : ભારે અજ્ઞાન ! ‘ફોરેન ડિપાર્ટમેન્ટ’ને ‘હોમ ડિપાર્ટમેન્ટ' માનવું, એટલી બધી અજ્ઞાનતા છે ! એક ‘ફોરેન ડિપાર્ટમેન્ટ’ હોય એને જ ‘હોમ ડિપાર્ટમેન્ટ' માને તો ‘હોમ'ને શું જાણે ? એટલે ‘હોમને એ જાણતો જ ના હોય. અને ‘ફોરેન ડિપાર્ટમેન્ટ’ને ‘હોમ ડિપાર્ટમેન્ટ’ માને તો ય શું લાભ થાય ?
પ્રશ્નકર્તા : કશું લાભ ના થાય. દાદાશ્રી : તો શું નુકશાન થાય ? પ્રશ્નકર્તા : વાસ્તવિક આપણું સ્વરૂપ ના જાણીએ તો બધું નુકસાન
દાદાશ્રી : નુકસાન જ છે ને ?! પોતાનું સ્વરૂપ એ ‘હોમ ડિપાર્ટમેન્ટ છે. અને “ફોરેન ડિપાર્ટમેન્ટમાં ‘હું ચંદુભાઈ છું, હું પ્રોફેસર છું, હું આ બઈનો ધણી છું, આનો કાકો છું, હું જાડો છું, હું પાતળો છું.' એવું બધું ગા ગા કરે, એનું નામ ભ્રાંતિ ! બોલવાનો વાંધો નથી, પણ આ તો જે બોલે છે ને, એની ઉપર જ તમને શ્રદ્ધા છે ! તમે તો વ્યવહાર ને નિશ્ચય,