SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ આપ્તવાણી-૫ ૧૬૫ ૧૬૬ આપ્તવાણી-૫ ધર્મનું એકલું આકર્ષણ હોય તોય લોકો કંટાળી જાય, કારણ કે આ સંસારમાં જે ધર્મ ચાલે છે તે યથાર્થ ધર્મ નથી, ભ્રાંતિધર્મ છે. પ્રશ્નકર્તા : પણ આ ભ્રાંતિ ધર્મ જરૂરનો છે ને ? દાદાશ્રી : હા, ‘ડેવલપ’ થવા માટે જરૂરનો છે. ખંડાઈ ખંડાઈને આગળ વધવાનું છે. જેમ ખંડાય, પીસાય તેમ બુદ્ધિ વધે. જેમ બુદ્ધિ વધે તેમ બળાપો વધતો જાય એટલે સ્વધર્મનું શરણું ખોળે. ગાયનાં વાછરડાં પેસી જતાં હોય, કૂતરાં પેસી જતાં હોય તો તેને હાંક હાંક કરે અને કુંડાળામાં પેસવા ના દે, તેને સામાયિક કહે છે. તોય તે સામાયિક થાય, કારણ કે આર્તધ્યાન ને રૌદ્રધ્યાન તેમાં ના થાય. પ્રશ્નકર્તા : આર્તધ્યાન અને રૌદ્રધ્યાન તેમાં ના હોય, તો પછી સમતા જ કહેવાય ને ? દાદાશ્રી : પણ આર્તધ્યાન ને રૌદ્રધ્યાન જાય નહીં. એ તો હોય જ. એના માટે સામાયિક કરતા પહેલાં પહેલો નિયમ કરવો પડે. “હે ભગવાન ! આ ચંદુલાલ, મારું નામ, આ મારી કાયા, આ મારી જાત, મારું મિથ્યાત્વ બધું આપને ધરાવું છું. અત્યારે મને આ સામાયિક કરતી વખતે વીતરાગ ભાવ આપો.” આમ વિધિપૂર્વક કરે તો કામ થાય. પ્રશ્નકર્તા : તીર્થંકર બનવા માટે આ કાળમાં કેવા ગુણની જરૂર સાચી સામાયિક પડે ? પ્રશ્નકર્તા : દાદા, શાસ્ત્રો વાંચતાં થાક લાગે, સામાયિક કરતાં થાક લાગે, પ્રતિક્રમણ કરતાં થાક લાગે, પૂજા કરતાં થાક લાગે, થાક લાગે તો શું કરવું ? દાદાશ્રી : ભગવાને સામાયિક કોને કહ્યું ? જેને આર્તધ્યાન ને રૌદ્રધ્યાન ના થાય તેને આખોય દહાડો સામાયિક છે, એમ કહ્યું છે ! મહાવીર ભગવાન કેટલા ડાહ્યા છે ! તમને કશી જ મહેનત કરવાની ના રાખે. અને આ લોકોનું એક્ય સામાયિક ભગવાન ‘એક્સેપ્ટ' ના કરે, આર્તધ્યાન ને રૌદ્રધ્યાન એક ગુંઠાણાં માટે, અડતાલીસ મિનિટ માટે બંધ થવાં જોઈએ. ‘હું ચંદુભાઈ છું” કરીને સામાયિક કરે, જેમ આ લીમડાને કાપી નાખીએ તોય ફરી ફુટે, તોય તે કડવો જ રહે ને ?! કેમ કાપ્યા પછી મહીં ખાંડ નાખીએ તોય કડવો રહે ? પ્રશ્નકર્તા : હા, મૂળમાં જ એમ છે, દાદા. દાદાશ્રી : મૂળ સ્વભાવમાં જ છે એમ ! તેમ આ ‘ચંદુભાઈ’ બધા રાગ-દ્વેષ બંધ કરીને સામાયિકમાં બેઠા, તો તે શેની સામાયિક કરે ? નથી આત્મા જાણ્યો, નથી મિથ્યાત્વ સમજતા ! જે મિથ્યાત્વ સમજે તેને સમકિત થયા વગર રહે જ નહીં. એટલે સામાયિક કરવા શેઠ બેઠા હોય પણ એમને બીજું કશું આવડતું નથી એટલે એ શું કરે ? પોતાનું એક કુંડાળું વાળેલું હોય અને બીજા કોઈ વિચારો આવે, દુકાનના, લક્ષ્મીના, વિષયના તો તેને કુંડાળાની બહાર હાંક હાંક કરે ! જેમ એક કુંડાળામાં દાદાશ્રી : નિરંતર જગતકલ્યાણની ભાવના, બીજી કોઈ જ ભાવના ના હોય. ખાવાનું જે મળે, સૂવાનું જે મળે, જમીન પર સૂવાનું મળે તોય પણ નિરંતર ભાવના થી હોય ? જગતનું કેમ કરીને કલ્યાણ થાય. હવે એ ભાવના ઉત્પન્ન કોને થાય ? પોતાનું કલ્યાણ થઈ ગયું હોય તેને એ ભાવના ઉત્પન્ન થાય. પોતાનું કલ્યાણ થયેલું ના હોય એ જગતનું કલ્યાણ શી રીતે કરે ? ભાવના ભાવે તો થાય. ‘જ્ઞાની પુરુષ' મળે તો એને ‘સ્ટેજ'માં લાવી નાખે. અને સ્ટેજમાં આવ્યા પછી એમની આજ્ઞામાં રહે તો ભાવના ભાવતાં આવડે. પ્રશ્નકર્તા : નમસ્કાર અને વંદન, એ બન્ને સમાન કક્ષાના છે કે અલગ અલગ ભાવ છે ? દાદાશ્રી : બન્ને અલગ અલગ ભાવે છે. નમસ્કાર તો બહુ ઊંચી વસ્તુ છે. વંદન તો સહેજે આમ આપણે માથું નમાવીને ઊભા ઊભા હાથ જોડીએ એને વંદન કહેવાય અને નમસ્કાર તો કેટલાંય અંગ જમીન ઉપર અડે ત્યારે થાય. આપણામાં સાષ્ટાંગ નમસ્કાર કહેવાય છે ને ? એટલે આઠેય અંગ ભોંય પર અડે ત્યારે એ નમસ્કાર ગણાય છે. પણ
SR No.008828
Book TitleAptavani 05 06
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year
Total Pages222
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size71 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy