SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ આપ્તવાણી-૫ ૧૬૩ ૧૬૪ આપ્તવાણી-૫ છે એ કોઈ દહાડોય ભૌતિક થવાનો નથી. બન્ને નિરાળી જ વસ્તુઓ પણ સાચો માર્ગ મળતો નથી. સાચો માર્ગ મળે તો મનુષ્ય અવતારમાંથી મુક્તિ થાય એવું છે. બીજા કોઈ અવતારમાં મુક્તિ ના થાય, મનુષ્ય અવતારમાં અજ્ઞાનની મુક્તિ થાય, સદેહે મુક્તિ થાય. આ મનુષ્યજીવનનો હેતુ છે એ સાધવાનો માર્ગ, ‘જ્ઞાની પુરુષ” આપણને મળે, તો પ્રાપ્ત થાય. ને આપણું બધી જાતનું કામ નીકળી જાય. અસંયોગી એ જ મોક્ષ પ્રશ્નકર્તા : અમારે મોક્ષ નથી જોઈતો, પણ સંયોગ રહિત થવું પ્રશ્નકર્તા : નિર્ગુણ એટલે શું ? દાદાશ્રી : નિર્ગુણ એટલે જ્યાં આગળ પ્રકૃતિનો એક પણ ગુણ રહ્યો નથી તે અને સગુણ એટલે દેહધારીરૂપે પરમાત્મા આવ્યા હોય તે સગુણ પરમાત્મા કહેવાય. પ્રશ્નકર્તા : મોક્ષનો રસ્તો શો ? દાદાશ્રી : તમે બંધાયેલા છો એવું તમને લાગે છે? જેલમાં પુરાયેલો હોય તેને મુક્તિ જોઈએ. પ્રશ્નકર્તા : બંધન તો છે જ ને ! દાદાશ્રી : બંધનમાં શું શું લાગે છે ? પ્રશ્નકર્તા : અત્યારે તો આ સંસાર સારો સારો લાગે છે. દાદાશ્રી : કડવો નથી લાગતો ? પ્રશ્નકર્તા : ઊંડાણમાં જઈએ તો કડવો લાગે. દાદાશ્રી : આટલી બધી કડવાશ લાગે છે, તોય કેવો આ જીવનો સ્વભાવ છે ? તે પાછો કેરી કાપીને ખાઈને સૂઈ જાય ! અલ્યા, હમણાં તો બીબી જોડે લડ્યો હતો ને પાછો શું જોઈને કેરી ખાય છે ? લડવાડ થાય ને બીબી કેરી કાપીને આપે તે શા કામની ? એક ફેર લડવાડ થાય તે શા કામનું ? તમે ચલાવી લો છો કે નથી ચલાવી લેતા ? પછી તમે લડો તો એય ચલાવી લે. પછી શું કરે છે ? બેઉ “મેજિસ્ટ્રેટ'! પ્રશ્નકર્તા : મનુષ્યજીવનનો મુખ્ય હેતુ સાધવાનો માર્ગ કયો ? દાદાશ્રી : આ મનુષ્યજીવન એટલા માટે જ મળેલું છે કે અહીંથી આપણી મુક્તિ થાય, ભગવાનની પ્રાપ્તિ કરી શકાય. મનુષ્યગતિમાંથી જ મુક્તિ થાય છે. અનંત અવતારથી આપણે પ્રયત્નો કર્યા કરીએ છીએ, દાદાશ્રી : એટલે સંયોગ જ્યાં હોય ત્યાં વિયોગ હોય જ. તમે આમ ઊંધી કાનપટ્ટી પકડાવો છો ! આત્માને કોઈ સંયોગ ભેગો ના થાય એટલે મોક્ષ થઈ ગયો ! આ તો સ્થૂળ સંયોગો, સૂક્ષ્મ સંયોગો અને વાણીના સંયોગો ભેગા થયા જ કરે અને એ સંયોગો પાછા વિયોગી સ્વભાવના છે. વિયોગી વસ્તુ કોઈ બીજી નથી. એટલે તમારે સંયોગો એકલાની ચિંતા કરવાની કે સંયોગો ભેગા ના થાય ! સંયોગો એકલા ભેગા ના થાય તો બહુ થયું. એટલા માટે ભગવાને કહ્યું છે કે, “એગો મે સાશઓ અપ્પા..... તમહા સંજોગ સંબંધમ્, સવમ્ તિવિહેણ વાસરિયામિ...” એવું તમારે સંજોગ વોસરાવી દેવા છે અને પાછું મોક્ષ જોઈતો નથી, એવું બોલો છો ! પ્રશ્નકર્તા : ધર્મ પ્રત્યે માણસને આકર્ષણ થતું નથી, થોડો વખત થાય ને પાછો છોડી દે છે, ને પાછો ધર્મ તરફ જાય છે, એવું કેમ ? દાદાશ્રી : આ જગતમાં એકલું આકર્ષણ નથી. આકર્ષણ ને વિકર્ષણ બને છે, એ દ્વન્દ્રરૂપ છે. આ જગત જ કન્વરૂપ છે. એકલું આકર્ષણ કે એકલું વિકર્ષણ ના હોય, નહિ તો ફરી આકર્ષણ થાય જ નહિ અને
SR No.008828
Book TitleAptavani 05 06
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year
Total Pages222
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size71 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy