________________
આપ્તવાણી-૫
૧૫૯
૧૬
આપ્તવાણી-૫
પ્રશ્નકર્તા : “હેલ્પ કરે એમાં ભગવાનનો પક્ષપાત ખરો ? મદદ કરવા જેટલો પક્ષપાત ખરો ?
દાદાશ્રી : મદદ ભગવાન પોતે કરતા નથી, આ કુદરતી રચના છે બધી-સ્વતંત્ર; “સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ' છે. કારણ કે જીવ માત્ર સ્વતંત્ર છે. સ્વતંત્ર એટલે કુદરત એની હેલ્પમાં જ હોય. પોતે કહેશે કે મારે ચોરી કરવી છે તો ચંદ્ર, તારા, બધું હાજર હોય. ભગવાન તો આમાં ખાલી ‘લાઈટ' આપવાનું જ કામ કરે છે. આમાં મૂળ ચોરી કરવાનો ભાવ પોતાનો છે. કુદરત તેને તેની પુર્વે જ્યાં ખર્ચાવી હોય ત્યાં હેલ્પ કરે છે, એટલે કે એને બધા સંયોગો ભેગા કરી આપે છે. ભગવાન આમાં ફક્ત ‘લાઈટ’ જ આપ્યા કરે છે.
ભક્તિ, યોગ તે ધ્યાત પ્રશ્નકર્તા : ગીતામાં કહ્યું છે કે પૃથ્વી પર પાપનો ભાર વધી જાય છે ત્યારે એનો નાશ કરવા માટે “હું જન્મ લઉં , તે ‘હું કોણ ?
દાદાશ્રી : એને જ આત્મા કહે છે, હું એટલે કૃષ્ણ નહીં. ‘' એટલે જ આત્મા. નિયમ એવો છે કે જ્યારે જ્યારે પૃથ્વી ઉપર પાપનો ભાર વધે ત્યારે કોઈ મહાન પુરુષનો જન્મ થઈ જ જાય. એટલે યુગે યુગે મહાન પુરુષનો જન્મ થાય છે.
પ્રશ્નકર્તા : એવું કહે છે કે શ્રીકૃષ્ણ ભગવાને રાસલીલા કરી હતી, તેનું શું કારણ ?
દાદાશ્રી : ભગવાન રાસલીલા રમ્યા જ નથી. તમને કોણે કહ્યું કે ભગવાન રાસલીલા રમ્યા હતા ? એ તો બધી વાતો છે. કૃષ્ણ તો મહાન યોગેશ્વર હતા. એમને રાસલીલામાં લોકોએ લાવી દુરુપયોગ કર્યો.
કૃષ્ણનું બે રીતે આરાધન કરવામાં આવે છે. બાળમંદિરના મનુષ્યો છે, એમણે બાળકૃષ્ણનાં દર્શન કરવા અને વૈકુંઠમાં જવું હોય એણે યોગેશ્વર કૃષ્ણનાં દર્શન કરવાં. આ બે રીતોમાં તમારે શું જોઈએ ?
પ્રશ્નકર્તા : ભક્તિ, ધ્યાન એ નશો છે ?
દાદાશ્રી : હા. પ્રશ્નકર્તા : તો પછી નશાવાળું જીવન જીવવું સારું કે કુદરતી !
દાદાશ્રી : કુદરતી જીવન જીવવાનું હોય તો બહુ જ સરસ. આ કુદરતી બધું રાખ્યું છે જ ક્યાં ? આ કુદરતે બહુ જ સુંદર કર્યું છે ! કુદરતી થાય તો જ પ્રગતિ છે, નહીં તો પ્રગતિ નથી !
પ્રશ્નકર્તા : કુંડલિનીનું જે ધ્યાન કરીએ છીએ તે ઊઘાડી આંખે કરીએ તે સારું કે બંધ આંખે કરીએ તે સારું ?
દાદાશ્રી : એવું છે કે ધ્યાન તમે ઊઘાડી આંખે કરશો તોય બંધન છે ને બંધ આંખે કરશો તોય બંધન છે. કુંડલિનીનું ધ્યાન કરવાનું નથી. ધ્યાન પોતાના સ્વરૂપનું કરવાનું છે. કુંડલિની તો એમાં સાધન છે. સાધનનો ઉપયોગ લેવાનો છે. પોતાના સ્વરૂપની રમણતા ઉત્પન્ન થઈ ગઈ એનું નામ મુક્તિ.
પ્રશ્નકર્તા : સાંખ્યયોગ કેવી રીતે પ્રાપ્ત થાય ?
દાદાશ્રી : એકલું સાંખ્ય એ એક પાંખવાળું કહેવાય. તેનાથી ઊડી ના શકાય. એટલે સાંખ્ય ને યોગ, એ બે પાંખે ઉડાય ! યોગ વગર, માનસિક પૂજા વગર આગળ વધાય શી રીતે ? માનસિક પૂજા બધું ગોઠવ્યું છે, તે કેવી સરસ ગોઠવણી છે !
આ સાંખ્ય એટલે જ્ઞાન જાણવું જોઈએ. દેહના ધર્મ, મનના ધર્મ, બુદ્ધિના ધર્મ, આત્માના ધર્મ એ બધું જાણવું જોઈએ. એનું નામ સાંખ્ય કહેવાય અને યોગ વગર સાંખ્ય પામી શકાય નહીં. માટે યોગ, અહીં માનસિક પૂજા (ગુરુ મહારાજની) કે જેના આધારે તમે ચઢવા માગો છો, એનો આધાર લેવો પડે, અવલંબન લેવું પડે, તો આગળ કામ વધે.
પ્રશ્નકર્તા : શિવની ઓળખાણ શી છે ? શિવ ક્યાં છે ? દાદાશ્રી : કલ્યાણ સ્વરૂપ થયેલો હોય, તે પુરુષ શિવ કહેવાય. પ્રશ્નકર્તા : નિર્વિચાર અને નિર્વિકલ્પ, એ બેમાં ફેર શો ?