SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ આપ્તવાણી-૫ ૧૫૧ ૧૫ર આપ્તવાણી-૫ એનો ઉપયોગ રહેવો જોઈએ. આય શુદ્ધાત્મા છે, તેય શુદ્ધાત્મા છે. ગધેડાં, કૂતરાં, બિલાડાં, બધાં શુદ્ધાત્મા છે. ગજવું કાપનારોય શુદ્ધાત્મા છે. આ દુષમકાળના જીવોની સમજણમાં મોહ અને મૂછ ભરેલાં છે. તેથી કૃપાળુદેવે આ કાળના જીવોને હપુણ્યશાળી કહ્યા ! તે લોકો આખો દહાડો ક્રોધ-માન-માયા-લોભ, રાગ-દ્વેષ કર્યા કરે ! બાપ-દાદા કરતા હતા તે રૂઢિ ચાલી આવતી હોય તે પ્રમાણે ધર્મ કરે. પણ તે સમજણપૂર્વકનું ના હોય. દરેકને પોતપોતાના ધર્મના પુદ્ગલનું આવરણ હોય. જૈનને જૈન પુદ્ગલ ને વૈષ્ણવને વૈષ્ણવ પુદ્ગલ મોક્ષે ના જવા દે. એ પુદ્ગલની નિર્જરા થશે તો કલ્યાણ થશે. મોક્ષમાં જૈન પુદ્ગલેય કામ લાગે નહીં ને બીજાં પુદ્ગલેય કામ લાગે નહીં. પ્રત્યેક પુદ્ગલનો નિકાલ કરવો પડશે. જાય ! આ ઉતાવળનો માર્ગ નથી. આ તો જાગૃતિ રાખવાનો માર્ગ છે. શુદ્ધ ઉપયોગમાં રહો, તેનાથી એની મેળે જ નિર્જરા થયા જ કરશે. તમારે કશું જ કરવાનું નથી. તેથી તો અમે પણ એમ કહીએ છીએ કે અમારે મોક્ષે જવાની ઉતાવળ નથી. અમારે શેને ઉતાવળ હોય ? અહીં જ અમને મોક્ષ વર્તતો હોય, ત્યાં હવે બીજો ક્યો મોક્ષ જોઈએ છે ? અને પેલો મોક્ષ તો કાયદેસરનો છે. એ તો એની મેળે બોર્ડ ઉપર આવી જાય કે ત્રણ ને ત્રણ સેંકડે થશે ! આપણે ઉતાવળ કરવાની શી જરૂર ? પ્રશ્નકર્તા : મોક્ષ એ નિશ્ચિત જ છે ? દાદાશ્રી : ના, નિશ્ચિત ના માની લેશો. નિશ્ચિત હોય તો તો પછી બધાય નિરાંતે સૂઈ રહે. એવું નથી. શુદ્ધ ઉપયોગે અબંધ દશા ‘તમે શુદ્ધ ઉપયોગમાં જ રહો” એટલે અમે કહેવા માગીએ છીએ. બીજું કશું વિચારશો નહીં. આ દિવસ નથી કે હમણાં પૂરું થઈ જાય ! આ તો સંસાર છે. તમે તમારે ઉપયોગમાં રહેશો કે બધો હિસાબ છૂટી જશે ! આપણે વિચારમાં પડીએ કે ક્યારે પૂરું થશે ?” એટલે બીજું ભૂત પેસી જશે. આપણે શેને માટે ઉતાવળ છે ? અમારે ચારિત્ર મોહ બહુ જૂજ હોય અને તમારે ઢગલાબંધ હોય. પણ તમારેય દહાડે દહાડે ઓછો જ થતો જાય છે. ચારિત્રમોહ જાય છે. એ મુક્તિ આપીને જ જાય છે. પ્રશ્નકર્તા : મોક્ષના દ્વારમાં તો પુદ્ગલને દાખલ જ ક્યાં થવાનું છે ? ત્યાં તો આત્માને જ દાખલ થવાનું છે. દાદાશ્રી : શુદ્ધાત્મપદ પ્રાપ્ત થયા પછી મોક્ષમાં દાખલ થઈ શકાય એમ છે. બીજા બધામાંથી રાગ-દ્વેષ ઊડી જાય એટલે રહ્યો તે ચારિત્રમોહ કહેવાય. એની નિર્જરા થઈ જાય કે મોક્ષ થઈ જાય ! પ્રશ્નકર્તા : કર્મની નિર્જરા કેવી હોય ? દાદાશ્રી : તમે શુદ્ધાત્મામાં હો તો બધી કર્મની નિર્જરા જ છે - શું નિર્જરા થાય, એનું તમારે શું કામ છે ? રોજ સંડાસમાં તમે જો જો કરો છો કે આજે પીળો થયો કે કાળો થયો ? આય પણ એક નિર્જરા જ છે, દેહની એક જાતની નિર્જરા છે. પ્રશ્નકર્તા : એ બરોબર છે, પણ નિર્જરા પૂરી ક્યારે થાય ? દાદાશ્રી : પૂરી કરીને તમારે શું કામ છે તે ? પ્રશ્નકર્તા : પછી ખબર પડે ને કે હવે મોક્ષ જલદી આવી ગયો. દાદાશ્રી : એમ ઉતાવળ કરવા જાય ત્યાં બીજું ઝાંખરું વળગી પાંચ લાખ ચારિત્રમોહના મહેમાન હતા, એમાંથી હમણાં પાંચસો ગયા, તે પાંચસો ઓછા થયા, પછી ફરી પાંચસો ગયા, ફરી પાંચસો ગયા એમ ઓછા જ થતા જાય છે. પછી પાંચ લાખના ચાર લાખ થશે. પછી ત્રણ લાખ, પછી બે લાખ એમ કરતું કરતું ખલાસ થઈ જવાનું. આપણે પછી ગણ્યા કરીએ કે કેટલા રહ્યા, કેટલા રહ્યા તે આપણે ગણીને શું કામ છે ? શુદ્ધ ઉપયોગમાં રહ્યા કે સંવર સાથે નિર્જરા થયા જ કરે.
SR No.008828
Book TitleAptavani 05 06
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year
Total Pages222
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size71 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy