SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ આપ્તવાણી-પ ૧૪૯ ૧૫૦ આપ્તવાણી-૫ પ્રશ્નકર્તા : એ ના ચાલે. દાદાશ્રી : ત્યાં આપણે ખસી જવું જોઈએ. સાપ આવતો હોય તો . સ્થિતપ્રજ્ઞ ક્યારે કહેવાય ? એક પંડિતે મને પૂછયું, ‘સ્થિતપ્રજ્ઞ એટલે શું ?” હવે હું કંઈ પંડિત નથી. હું જ્ઞાની છું. તે પંડિતને વગર પારાએ ગરમી ચઢેલી હતી. મેં તેમને સમજાવ્યું કે તમે જ્યારે પારા વગરના થશો, ત્યારે સ્થિતપ્રજ્ઞ દશા થશે ! માટે આ પારો ઉતારો. પંડિત એ તો વિશેષણ. ઘણાં જણને હોય. પંડિત તો ઘણા હોય, એક દહાડો વિશેષણ વગરના થાઓ. હું વિશેષણ વગરનો થયેલો છું. એટલે લોકો મને જ્ઞાની કહે છે. બાકી હું તો જ્ઞાનીય નથી. હું તો વિશેષણ વગરનો ‘નિર્વિશેષ પુરુષ’ છું ! વિચાર કરીને કર્મો કપાય ? પ્રશ્નકર્તા: કહેવાય છે કે આખું મોહનીય કર્મ વિચારથી ઉડાડી શકાય તેમ છે ! દાદાશ્રી : હા, પણ તે વિચાર ‘જ્ઞાની પુરુષ'ની પાસેથી હોવા જોઈએ, પોતાના વિચારથી નહીં. પ્રશ્નકર્તા : આ તો જાનવરોની દુનિયા થઈ. દાદાશ્રી : આ જે જાનવરો કહું છું તેવાં મનુષ્યોય છે. પ્રશ્નકર્તા : એ પારખવાં કેવી રીતે ? દાદાશ્રી : સમજાય આપણને, એનાં શિંગડાં ઊંચાં કરે તો આપણે ના સમજી જઈએ કે આ પાડો છે ? એટલે આપણે ખસી જવું. અમને તો આવતાં પહેલાં ખબર પડી જાય. સુગંધી ઉપરથી ઓળખું એને. કેટલાક પથ્થર જેવા પણ હોય છે, થાંભલા જેવા હોય છે. પ્રશ્નકર્તા : ઘણાંને મોઢાં ઉપરથી ખબર પડી જાય ને ? દાદાશ્રી : હા, ખરું. પણ જેને મોઢાં ઉપરથી ખબર પડે તેને પોતાનું થર્મોમીટર જેટલું ‘કરેક્ટ' રાખવું પડે ? પ્રશ્નકર્તા : પૂર્વગ્રહરહિત રાખવું પડે. દાદાશ્રી : પૂર્વગ્રહરહિત જો માણસ થાય તો કલ્યાણ જ થઈ જાય. કાલે તમે મારી જોડે ઝઘડો કરી ગયા હો ને તો તમે બીજે દહાડે આવો તો અમે કાલની વાત બાજુએ મૂકી દીધેલી હોય. પૂર્વગ્રહ રાખું તો એ મારી ભૂલ છે, પછી ભલેને તમે બીજે દહાડે એવા નીકળો તેનો વાંધો નથી. આ પૂર્વગ્રહને લઈને તો જગત માર ખાય છે અને તેથી તેને લઈને દોષો બેસે છે. તમે છો એવા માનતા નથી ને નથી એવા માનો છો ! તમે સામાને ગધેડો કહો તેની સાથે ભગવાનને હઉ ગધેડો કહો છો. તેથી સામાને ગધેડો કહેતાં પહેલાં વિચાર કરજો. અથડામણ હોવી જ ના જોઈએ. એનો ઉકેલ લાવવો જોઈએ. ઉકેલ વગર બેસી રહેવું એ ‘વેસ્ટ ઓફ ટાઈમ એન્ડ એનર્જી' છે. વિચારો બે પ્રકારના : એક સ્વચ્છંદી વિચારો અને બીજા “જ્ઞાની પુરુષ'ની પાસેના વિચારો. ‘જ્ઞાની પુરુષ'ને વારેઘડીએ દેખાડવા કે આવા વિચાર આવે છે, ત્યારે એ કહે કે આ ‘કરેક્ટ' છે. તો આગળ ચાલવા દેવું નહીં તો સ્વચ્છંદી વિચાર હોય તો ક્યાંય પહોંચી જાય. વિચારથી બધું ઊડી જાય. મારું બધું વિચારે કરીને ઊડી ગયું છે, આ જગતમાં કોઈ એવી વસ્તુ નથી, કોઈ એવો પરમાણુ નથી કે જેનો મેં વિચાર ક્ય ના હોય ! કર્મોતી તિર-જ્ઞાતીઓની રીત ! પ્રશ્નકર્તા : જ્ઞાની હોય તે મોહનીય કર્મના જ્ઞાતા-દ્રષ્ટા રહે તો એ કર્મ ઊડી જાય ને ? દાદાશ્રી : જ્ઞાતા-દ્રષ્ટા રહ્યા એટલે બધાંય કર્મ ઊડી જાય. બધો ચારિત્રમોહ ઊડી જાય. ખાલી શુદ્ધ ઉપયોગ જ રહે. ‘હું શુદ્ધાત્મા છું'
SR No.008828
Book TitleAptavani 05 06
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year
Total Pages222
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size71 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy