SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ આપ્તવાણી-૫ ૧૪૫ ૧૪૬ આપ્તવાણી-૫ દાદાશ્રી : અરે, બૈરી હઉ ઉઠાવી જાય છેને લોકોની ! પોતાની હક્કની બૈરી રાખવી. આ તો બૈરી બીજાની ખોળી લાવે ! હક્કની પોતાની સ્ત્રી હોય તો કોઈ વાત ના કરે, ઘરનાંય કોઈ વઢે નહીં. માટે કયા ખાડામાં પડવું સારું ? પ્રશ્નકર્તા : હક્કના.. દાદાશ્રી : અણહક્કનો ખાડો તો બહુ ઊંડો ! પાછું ઉપર અવાય જ નહીં. માટે ચેતીને ચાલવું સારું. માટે તું ચેતી જજે. આ જવાની છે, બુઢાપો આવવાનો હોય તેને અમે ના કહીએ, માટે આ ભય-સિગ્નલ તને બતાવીએ છીએ. પ્રશ્નકર્તા : હા, હા, નહીં લઈ જાઉં, બીજાની બૈરી નહીં લઈ જાઉં. દાદાશ્રી : હા, બરોબર. લઈ જવાનો વિચારેય નહિ કરવાનો. કોઈ સ્ત્રી પ્રત્યે આકર્ષણ થાય તોય, ‘હે દાદા ભગવાન ! મને માફ કરો.” દાદાશ્રી : આપણે અહીં કોઈ કોઈ માણસ એવા થઈ જાય છે, તો તેમને શું કહે છે ? અનાડી. આર્યપ્રજા એટલે આર્ય આચાર, આર્ય વિચારને આર્ય ઉચ્ચાર. તને મારી વાત ગમે છે ? કંટાળો આવે છે ? પ્રશ્નકર્તા : ગમે છે એટલે બેઠો છું. દાદાશ્રી : તું જૂઠું. કોઈ દહાડો બોલે છે કે ? પ્રશ્નકર્તા : બોલું છું. દાદાશ્રી : જૂઠું બોલવાથી નુકસાન શું થતું હશે ? પ્રશ્નકર્તા : નુકસાન થાય. દાદાશ્રી : આપણા પરથી વિશ્વાસ જ ઊઠી જાય. પ્રશ્નકર્તા : સામાને ખબર પડતી નથી એમ સમજીને બોલે. દાદાશ્રી : હા, પણ વિશ્વાસ ઊઠી જાય એટલે માણસની કિંમત ખલાસ ! તે ચોરી કોઈ દિવસ કરેલી કે ? પ્રશ્નકર્તા : ના, નથી કરી. દાદાશ્રી : નથી કરી ? તને ચોરી કરવાનું ગમતું નથી ? પ્રશ્નકર્તા : ગમે તો ખરું પણ ડર લાગે ને ! ભૂખ લાગી ? ઓલવો ! દાદાશ્રી : તું પેટમાં ખાવાનું નાખે છે તે શા માટે નાખે છે ? પ્રશ્નકર્તા : ભૂખ સંતોષવા. દાદાશ્રી : તને ભૂખ લાગે છે તે ઘડીએ અહીં પેટમાં લાગે છે કે ઓલવાય છે ? કહીએ. અણહક્કનો પૈસો ના પડાવી લેવાય. આ મુંબઈ શહેરમાં લોકો ભેળસેળ કરતા નથી ને ? પ્રશ્નકર્તા : વેપારીઓ કરે તો છે. દાદાશ્રી : તે કોઈ ઓળખાણવાળો હોય તેને ચેતવજે કે ‘ચાર પગવાળા થવું હોય તો ભેળસેળ કરો.’ નહીં તોય તમે ભૂખે નહીં મરો, તેની અમે ગેરન્ટી આપીએ છીએ. કંઈક સમજવું તો જોઈએ ને ? આપણે કયા દેશના છીએ ? પ્રશ્નકર્તા : ભારત દેશના. દાદાશ્રી : ભારત દેશના આપણે. તે આપણી ‘ક્વૉલિટી' કઈ છે? આર્ય પ્રજા ! અને બહારની કઈ કહેવાય ? પ્રશ્નકર્તા : અનાર્ય.
SR No.008828
Book TitleAptavani 05 06
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year
Total Pages222
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size71 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy