________________
આપ્તવાણી-૫
૧૪૫
૧૪૬
આપ્તવાણી-૫
દાદાશ્રી : અરે, બૈરી હઉ ઉઠાવી જાય છેને લોકોની ! પોતાની હક્કની બૈરી રાખવી. આ તો બૈરી બીજાની ખોળી લાવે ! હક્કની પોતાની
સ્ત્રી હોય તો કોઈ વાત ના કરે, ઘરનાંય કોઈ વઢે નહીં. માટે કયા ખાડામાં પડવું સારું ?
પ્રશ્નકર્તા : હક્કના..
દાદાશ્રી : અણહક્કનો ખાડો તો બહુ ઊંડો ! પાછું ઉપર અવાય જ નહીં. માટે ચેતીને ચાલવું સારું. માટે તું ચેતી જજે. આ જવાની છે, બુઢાપો આવવાનો હોય તેને અમે ના કહીએ, માટે આ ભય-સિગ્નલ તને બતાવીએ છીએ.
પ્રશ્નકર્તા : હા, હા, નહીં લઈ જાઉં, બીજાની બૈરી નહીં લઈ
જાઉં.
દાદાશ્રી : હા, બરોબર. લઈ જવાનો વિચારેય નહિ કરવાનો. કોઈ સ્ત્રી પ્રત્યે આકર્ષણ થાય તોય, ‘હે દાદા ભગવાન ! મને માફ કરો.”
દાદાશ્રી : આપણે અહીં કોઈ કોઈ માણસ એવા થઈ જાય છે, તો તેમને શું કહે છે ? અનાડી. આર્યપ્રજા એટલે આર્ય આચાર, આર્ય વિચારને આર્ય ઉચ્ચાર.
તને મારી વાત ગમે છે ? કંટાળો આવે છે ? પ્રશ્નકર્તા : ગમે છે એટલે બેઠો છું. દાદાશ્રી : તું જૂઠું. કોઈ દહાડો બોલે છે કે ? પ્રશ્નકર્તા : બોલું છું. દાદાશ્રી : જૂઠું બોલવાથી નુકસાન શું થતું હશે ? પ્રશ્નકર્તા : નુકસાન થાય. દાદાશ્રી : આપણા પરથી વિશ્વાસ જ ઊઠી જાય. પ્રશ્નકર્તા : સામાને ખબર પડતી નથી એમ સમજીને બોલે.
દાદાશ્રી : હા, પણ વિશ્વાસ ઊઠી જાય એટલે માણસની કિંમત ખલાસ !
તે ચોરી કોઈ દિવસ કરેલી કે ? પ્રશ્નકર્તા : ના, નથી કરી. દાદાશ્રી : નથી કરી ? તને ચોરી કરવાનું ગમતું નથી ? પ્રશ્નકર્તા : ગમે તો ખરું પણ ડર લાગે ને !
ભૂખ લાગી ? ઓલવો ! દાદાશ્રી : તું પેટમાં ખાવાનું નાખે છે તે શા માટે નાખે છે ? પ્રશ્નકર્તા : ભૂખ સંતોષવા.
દાદાશ્રી : તને ભૂખ લાગે છે તે ઘડીએ અહીં પેટમાં લાગે છે કે ઓલવાય છે ?
કહીએ.
અણહક્કનો પૈસો ના પડાવી લેવાય. આ મુંબઈ શહેરમાં લોકો ભેળસેળ કરતા નથી ને ?
પ્રશ્નકર્તા : વેપારીઓ કરે તો છે.
દાદાશ્રી : તે કોઈ ઓળખાણવાળો હોય તેને ચેતવજે કે ‘ચાર પગવાળા થવું હોય તો ભેળસેળ કરો.’ નહીં તોય તમે ભૂખે નહીં મરો, તેની અમે ગેરન્ટી આપીએ છીએ. કંઈક સમજવું તો જોઈએ ને ? આપણે કયા દેશના છીએ ?
પ્રશ્નકર્તા : ભારત દેશના.
દાદાશ્રી : ભારત દેશના આપણે. તે આપણી ‘ક્વૉલિટી' કઈ છે? આર્ય પ્રજા ! અને બહારની કઈ કહેવાય ?
પ્રશ્નકર્તા : અનાર્ય.