________________
આપ્તવાણી-૫
૧૪૧
૧૪૨
આપ્તવાણી-પ
એ મિકેનિકલ ભાગ છે, અનાત્મ વિભાગ છે અને અચર એ આત્મ વિભાગ છે. એટલે વાતને સમજે તો ઉકેલ આવે, નહિ તો કરોડો અવતારેય ઠેકાણું ના પડે.
વાત ભૂલી ગયો. તેને પછી બહુ મોટી ખોટ આવી. તે ધણી-બૈરી બન્નેએ માંકણ મારવાની દવા પી લીધી. તે ‘દાદા'નું નામ જ લેવાનું ભૂલી ગયેલો. પણ પુણ્યશાળી એટલો કે એનો ભાઈ જે ડૉક્ટર હતો તે આવ્યો ને બચી ગયો ! પછી એ મોટર લઈને દોડતો મારી પાસે આવ્યો. મેં એને કહ્યું, “આ દાદાનું નામ લીધા કરજે ને ફરી આવું ક્યારેય ના કરીશ.” ત્યાર પછી એણે નામ લેવાનું ચાલુ રાખ્યું. તેનાં પાપ બધાં ધોવાઈ ગયાં ને રાગે પડી ગયું.
‘દાદા' બોલે તે ઘડીએ પાપ પાસે આવે જ નહિ. ચોગરદમ ભમ્યા કરે, પણ અડે નહીં તમને. તમે ઝોકું ખાવ તો તે ઘડીએ અડી જાય. રાત્રે ઊંઘમાં ના અડે. જો ઠેઠ જાગતા સુધી બોલ્યા અને સવારમાં ઊઠતાંની સાથે બોલ્યા હો તો વચ્ચેનો ગાળો એ સ્વરૂપ કહેવાય.
મિકેતિક્લ ચેતન જગતના લોકો જાણતા જ નથી કે આમાં ચેતન કોને કહેવાય? એ તો ‘બૉડી” (શરીર)ને ચેતન કહે છે. બધાં કાર્ય કરે છે તે ચેતન કરે છે, એમ કહે છે. પણ ચેતન કશું જ કરતું નથી. ફક્ત “જાણવાની” ને ‘જોવાની', બે જ ક્રિયાઓ એની છે. બીજું બધું અનાત્મ વિભાગનું
બાકી કરોડ અવતાર ત્યાગ કરે, તપ કરે તોય કશું વળશે નહિ. આત્મા ત્યાગસ્વરૂપ જ છે. સર્વસંગ પરિત્યાગ સ્વરૂપ છે. હવે આત્મા માટે ત્યાગ કરવા જાય તે બધું તોફાન છે. ‘ત્યાગે ઉસકો આગે.” તમારે જો આગળ જોઈતું હોય તો ત્યાગ કરો.
ચિત્ત અને અંતરાત્મા પ્રશ્નકર્તા : ચિત્ત અને અંતરાત્મા વચ્ચેનો ભેદ સમજાવો.
દાદાશ્રી : ચિત્ત શુદ્ધ થયું એ જ અંતરાત્મા. એ અંતરાત્મા શાથી કહેવાય કે પોતાના પરમાત્માને એટલે કે શુદ્ધાત્માને ભજવાનું છે, તે રૂપ એટલે કે શુદ્ધાત્મ રૂપ થવાનું છે. પહેલું, શુદ્ધાત્મા પ્રતીતિમાં આવે, લક્ષમાં આવે. ત્યારબાદ અનુભવ પદમાં રહેવા માટે, શુદ્ધાત્માની જોડે એક લક્ષ, એકતાર કરવાનું ! પણ જ્યાં સુધી બહાર ‘ફાઈલો' હોય ત્યાં સુધી તેવું આખો દહાડો થાય નહીં, એટલે અંતરાત્મા કહ્યો. અંતરાત્મદશા એટલે ‘ઈન્ટરિમ ગવર્મેન્ટ’ અને આ ‘ફાઈલો’ પૂરી થઈ એટલે ‘ફૂલ ગવર્મેન્ટ' પરમાત્મા થાય.
અહીં આવી જશો તો એનો ઉકેલ આવશે અને લાંબુ ફરવા જશો તો નર્યા પુસ્તકો ને પુસ્તકો ભરાશે. એનો પાર જ નથી આવે એવો.
પરમાત્મા એ ‘પરમેનન્ટ’ છે. મૂઢાત્મા, બહિંમુખી આત્મા એ પરમેનન્ટ' નથી અને અંતરાત્મા પરભવમાંય સાથે જાય. મૂઢાત્મ દશા પરભવમાં આની આ જ સાથે ના હોય, ત્યાં બીજી મૂઢાત્મ દશા આવે.
વૃતિ વહે તિજ ભાવમાં પ્રશ્નકર્તા : ચિત્ત શુદ્ધ થયા પછી, અંતરાત્માનું જ્ઞાન જે પ્રાગટ્ય કરે છે, એમાં બાહ્ય આવરણોને મુક્ત રાખે છે. એટલે મન છે તે એકદમ
આ બોલે છે કોણ ? એ નિચેતન ચેતન છે, મિકેનિકલ ચેતન છે. એ દરઅસલ ચેતન નથી. કેટલાક આને સ્થિર કરે છે. અલ્યા, શું કરવા સ્થિર કરે છે ? તું મૂળ સ્વરૂપને ખોળી કાઢને ! મૂળ સ્વરૂપ સ્થિર જ છે. આ પાછું આને સ્થિર કરવાની ટેવ શું કરવા પડે છે? આ નિચેતન ચેતન તો મૂળથી જ ચંચળ સ્વભાવનું છે. મિકેનિકલનો અર્થ જ ચંચળ થાય. આ ચંચળને સ્થિર કરવા ફરે છે, તે કેટલો ઊંધો રસ્તો લોકોએ પકડ્યો છે ? તેથી તો અનંત અવતારથી ભટકભટક કરે
આ જગતમાં બે વસ્તુ છે : એક સચર છે અને એક અચર છે. સચરાચર આ બૉડી છે અને જગતેય આખું સચરાચર છે. સચર