________________
આપ્તવાણી-૫
૧૩૯
૧૪૦
આપ્તવાણી-પ
શેના આધારે ટેન્ડર’ ભરાય છે. આ બે કાયદાની બહાર ચાલી શકે એમ નથી.
એ ખલાસ થઈ જાય. જેમ આ દવાઓની ‘એક્સપાયરી ડેટ’ લખો છો તેમ આ લક્ષ્મીની અગિયાર વર્ષની ‘એક્સપાયરી ડેટ’ હોય છે.
પ્રશ્નકર્તા: આખી જિંદગી લોકોને લક્ષ્મી રહે છે ને ?
દાદાશ્રી : આજે ૭૭ની સાલ થઈ, તો આજે આપણી પાસે ૬૬ પહેલાંની લક્ષ્મી ના હોય.
પ્રશ્નકર્તા : અગિયાર વર્ષનો જ નિયમ ક્યાંથી આવ્યો ?
દાદાશ્રી : આ જેમ દવાઓમાં બે વર્ષની ‘એક્સપાયરી ડેટ’ હોય, છ મહિનાની હોય, અનાજની ત્રણ વરસની હોય તેમ લક્ષ્મીજીની અગિયાર વરસની હોય.
લક્ષ્મીજી જંગમ મિલકત કહેવાય છે. ૨૦૦ વર્ષ પહેલાંના વાણિયા હતા, તેમની પાસે લાખ રૂપિયા હોય તો પચીસ હજારની મિલકત લઈ લે. પચીસ હજારનું સોનું ને જણસો લે, પચીસ હજાર કોઈ જગ્યાએ શરાફને ત્યાં વ્યાજે મૂકે ને પચીસ હજાર વેપારમાં નાખે. વેપારમાં જરૂર પડે તો પાંચ હજાર વ્યાજે લાવે. આ એમની ‘સિસ્ટમ' હતી. એટલે એ શી રીતે જલદી નાદાર થઈ જાય ? ચારે બાજુ ચાર ખીલા માર્યા ! આજના વાણિયાને તો આવું કશું આવડતુંયે નથી !
કોઈ બહારનો માણસ મારી પાસે વ્યવહારથી સલાહ લેવા આવે કે, ‘હું ગમે તેટલી માથાકૂટ કરું છું તોય કશું વળતું નથી.” એટલે હું કહું “અત્યારે તારો ઉદય પાપનો છે. તે કોઈને ત્યાંથી ઉછીના રૂપિયા લાવીશ તો રસ્તામાં તારું ગજવું કપાઈ જશે ! માટે અત્યારે તું ઘેર બેસીને નિરાંતે તું જે શાસ્ત્ર વાંચતો હોય તે વાંચ ને ભગવાનનું નામ લીધા
હું ઘણાં જણને મારી પાસે ‘ટેન્ડર’ ભરી લાવવાનું કહું છું. પણ કોઈ ભરી લાવ્યા નથી. શી રીતે ભરે ? એ પાપ-પુણ્યને આધીન છે. એટલે પાપનો ઉદય હોય ત્યારે બહુ આંટીઓ વાળવા જઈશ તો ઊલટું છે એ પણ જતું રહેશે. માટે ઘેર જઈને સૂઈ જા ને થોડું થોડું સાધારણ કામ કર. અને પુણ્યનો ઉદય હોય તો ભટકવાની જરૂર જ શું છે ? ઘેર બેઠાં સામાસામી સહેજે કામ કરવાથી બધું ભેગું થઈ જાય ! એટલે બન્ને વખતે આંટીઓ વાળવાનું ના કહીએ છીએ. વાત ખાલી સમજવાની જ જરૂર છે.
અમે જયગઢની જેટી ૧૯૬૮ની સાલમાં બાંધતા હતા. ત્યાં એક કોન્ટ્રાક્ટર મારી પાસે આવ્યો. તે મને પૂછવા લાગ્યો, “હું મારા ગુરુ મહારાજ પાસે જાઉં છું. દર સાલ મારા પૈસા વધવધ કરે છે. મારી ઇચ્છા નથી તોય વધે છે, તો શું એ ગુરુકૃપા છે ?” મેં એને કહ્યું, “એ ગુરુની કૃપા છે એવું માનીશ નહીં. જો એ જતા રહેશે તો તને એમ લાગશે કે લાવ ગુરુને પથરો મારું !”
આમાં ગુરુ તો નિમિત્ત છે, એમના આશિષ નિમિત્ત છે. ગુરુને જ જોઈતા હોય તો ચાર આના ના મળે ને ! એટલે પછી એણે મને પૂછયું કે, “મારે શું કરવું ?” કહ્યું, ‘દાદા'નું નામ લેજે હવે. અત્યાર સુધી તારી લિંક આવી હતી. લિંક એટલે અંધારામાં પત્તાં ઉઠાવે તો ચોક્કો આવે, ફરી પંજો આવે, પછી ફરી ઉઠાવે તો છક્કો આવે. તે લોકો કહે કે ‘વાહ શેઠ, વાહ શેઠ, કહેવું પડે.’ કરે તે તેને ૧૦૭ સુધી સાચું પડ્યું છે પણ હવે બદલાવાનું છે. માટે ચેતતો રહેજે. હવે તું કાઢીશને તો સત્તાવન પછી ત્રણ આવશે ને ત્રણ પછી ૧૧૧ આવશે ! તે લોક તમને બુદ્ધ કહેશે. માટે આ ‘દાદા’નું નામ છોડીશ નહીં. નહીં તો માર્યો જઈશ.'
કર.”
પ્રશ્નકર્તા : પુણ્ય-પાપને જ આધીન હોય, તો પછી ‘ટેન્ડર’ ભરવાનું ક્યાં રહ્યું ?
દાદાશ્રી : એ “ટેન્ડર’ ભરાય છે તે પાપ-પુણ્યના ઉદય પ્રમાણે જ ભરાય છે. એટલે હું કહું ખરો કે ‘ટેન્ડર’ ભરો, પણ હું જાણું કે
પછી અમે મુંબઈ આવતા રહ્યા. પેલો બે-પાંચ દહાડા પછી આ