________________
આપ્તવાણી-૫
૧૩૫
૧૩૬
આપ્તવાણી-૫
પ્રશ્નકર્તા : ખોટું કરતા હોઈએ તે વખતે ભાવ તો એવો થવો જોઈએ ને કે આવું મને ન હો કે પછી જ્ઞાતા-દ્રષ્ટા જ રહેવાનું ?
દાદાશ્રી : જ્ઞાતા-દ્રષ્ટા રહેવાનું અને પ્રતિક્રમણ કરવાનું કહ્યું છે
ને ?
પ્રશ્નકર્તા : પણ ભાવ તો ન જ થવો જોઈએ ને ?
દાદાશ્રી : ભાવ તો થવાનો પણ “આપણે” તો ચંદુભાઈને જાગૃતિ આપવાની કે પ્રતિક્રમણ કરો. અતિક્રમણ શા માટે કર્યું ? આખો દહાડો ક્રમણ હોય છે. અતિક્રમણ આખો દહાડો હોતું નથી. કલાકમાં એકાદબે વખતે હોય, તેનું આપણે પ્રતિક્રમણ કરવું પડે.
આપણી બધી નબળાઈને જાણવી જોઈએ. હવે આપણે પોતે નબળા નથી. આપણે તો આત્મા થઈ ગયા. પણ અજ્ઞાન દશામાં આના મૂળ ઉત્પાદક તો આપણે જ હતા ને ? એટલે આપણે પાડોશી તરીકે કહેવું કે “ચંદુભાઈ, પ્રતિક્રમણ કરી લો.’
પ્રતિક્રમણ તો તમે બહુ જ કરજો. જેટલા તમારા સર્કલમાં પચાસસો માણસો હોય, જેને જેને તમે રગડ ગડ કર્યા હોય તે બધાના નવરા પડો એટલે કલાક-કલાક બેસીને, એક-એકને ખોળી-ખોળીને, પ્રતિક્રમણ કરજો. જેટલાને રગડ ગડ કર્યા છે તે પાછું ધોવું પડશે ને ! પછી જ્ઞાન પ્રગટ થશે.
પ્રશ્નકર્તા : પણ દાદા, જેણે મને રગડ્યા છે એને જ મેં રગડ્યા
રહેશે. કાં તો આત્મા હોય, કાં તો અહંકાર હોય. અહંકાર હોય તો આત્માનો લાભ ના થાય અને આત્મા છે તો પછી અહંકારનો લાભ ના થાય.
પ્રશ્નકર્તા : અહંકારમાં પણ લાભ હોઈ શકે ?
દાદાશ્રી : આ અહંકારના લાભમાં તો આ બધા છોડીઓ પૈણાવે છે, છોકરા પૈણાવે છે, છોકરાનો બાપ થઈને ફરે છે. બૈરીનો ધણી થઈને ફરે છે. તે અહંકારનો લાભ ના મળ્યો કહેવાય ? આખું જગત અહંકારનો જ લાભ ભોગવી રહ્યું છે. અમે સ્વરૂપધારી આત્માનો લાભ ભોગવી રહ્યા છીએ. આ સ્વોપાર્જિત છે ને પેલું અહંકાર ઉપાર્જિત છે.
પ્રશ્નકર્તા : ભ્રાંતિ જાય તો મુક્ત થવાય ને ?
દાદાશ્રી : હા, ભ્રાંતિ ગઈ એટલે “જેમ છે તેમ' જાણ્યું. ભ્રાંતિ ગઈ એટલે અજ્ઞાન ગયું, અજ્ઞાન ગયું એટલે માયા ગઈ. ભગવાનની માયા ગઈ એટલે અહંકાર ગયો, અહંકારશૂન્ય થઈ ગયો એટલે ઉકેલ આવ્યો !
દાદાશ્રી : તમને જેણે રગડ્યા હશે તેનું તો તે ભોગવી લેશે. તેની જવાબદારી તમારી નથી. જે રગડે છે એને જવાબદારીનું ભાન નથી. એ આ અવતારમાં રોટલી ખાય છે, તે આવતા અવતારમાં પૂળા ખાવાનો વાંધો નથી એને !
અહંકારતો લાભ ! અહંકાર ગયો કે ઉકેલ આવ્યો. અહંકાર છે ત્યાં સુધી જગત ઊભું
ઈગોલેસ' કરવાની જરૂર નથી. કોઈ જાતનો ધંધો ના હોય એનું નામ આત્મા ! પ્રશ્નકર્તા : આ પ્રયત્નો કોણ કરે છે ? દાદાશ્રી : અહંકાર કરે છે. પ્રશ્નકર્તા : ચગે છે કોણ ?
દાદાશ્રી : અહંકારનો બહારનો ભાગ ચગે છે, તે ડિસ્ચાર્જ થતી વસ્તુ છે ને “ઈગોઈઝમ” ચાર્જ કરે છે.
પ્રશ્નકર્તા : સંપૂર્ણ નિર્અહંકાર ક્યારે પેદા થાય ? દાદાશ્રી : તમારે એ પેદા કરીને શું કામ છે ?