SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ આપ્તવાણી-૫ ૧૦૫ ૧૦૬ આપ્તવાણી-૫ પ્રશ્નકર્તા : એને સ્થળ મન કહેવાય ? દાદાશ્રી : ના, સ્થૂળ તો આ જે વિચારો કરે છે તે છે. એ ‘ફિઝિકલ દંડ આપવામાં આવે છે. દ્રવ્યમાં હિંસાનો વિચાર હોય પણ ભાવમાં જુદું હોય. એટલે ભાવ પ્રમાણે દંડ આપવામાં આવે છે. દ્રવ્યના દોષનો દંડ અહીંનો અહીં મળી જાય છે, ને ભાવના દોષનો દંડ પરલોકમાં મળે પ્રશ્નકર્તા : સ્થળ અને સૂક્ષ્મમાં ભેદ શો ? દાદાશ્રી : સ્થળ મનની તો દરેકને સમજણ પડે. વિચારે ચઢે એ સ્થળ મન છે અને સૂક્ષ્મ મનની તો ખબર જ ના પડે. એક ‘જ્ઞાની પુરુષ'ને સમજણ પડે. લોકો ‘ભાવમન, ભાવમન” એમ કહ્યા કરે, પણ ‘એ શું છે એ ‘એઝેક્ટલી’ પકડાય નહિ.. પ્રશ્નકર્તા : એ ક્યારે પકડાય ? દાદાશ્રી : એ તો જ્ઞાન હોય તો જ પકડી શકે. ‘જ્ઞાની’ થતાં પહેલાં અમુક ટાઈમ સુધી ભાવમનને પકડી શકે, જે અહંકાર ઓગાળે છે, એને પકડાય ! પોતે “શુદ્ધાત્મા’ થયો એટલે “ચાર્જ થતું બંધ થયું. પછી સ્થળ મન ડિસ્ચાર્જ થયા જ કરે, એ જ એનો ધંધો ! પ્રશ્નકર્તા : એને “ઇફેક્ટ’ આવે ? દાદાશ્રી : મનનો સ્વભાવ જ ‘ઇફેક્ટિવ’ છે ને ? આપણે સમજી જવું કે મારું સ્વરૂપ ન હોય. એટલે ‘ઇફેક્ટ’ આપણને અડે નહિ. પરમ દહાડે આપણો દીકરો કાર લઈને ફરતો આપણે જોયેલો હોય ને આજે કોઈ કહે કે એ કાર અથડાઈને લોચો થઈ ગયેલી છે તો તમે તે દેખો ને અસર થઈ જાય. પણ પાછું કોઈ કહે કે ના, આ તો ગઈ કાલે જ વેચાઈ ગઈ છે. એટલે પાછી તરત જ અસર મટી જાય. બધી વસ્તુઓ “ઇફેક્ટિવ” છે. પણ જ્ઞાન હોય તો ‘ઇફેક્ટ’ ના થાય. તેથી અમે કહેલું છે કે મન ‘ઇફેક્ટિવ' છે, વાણી ‘ઇફેક્ટિવ છે ને દેહ પણ “ઈફેક્ટિવ’ છે. દ્રવ્યમન એ સ્થળ મન છે અને ભાવમન એ સૂક્ષ્મ મન છે. ભાવમન ફરે તો છૂટે. સ્થળ મન વખતે ના ફર્યું તો વાંધો નહીં. ભાવ પ્રમાણે અત્યારે જગતમાં જે ધર્મો ચાલે છે તેની શી ‘થિયરી” છે કે ભાવ ફેરવવા નહીં પણ દ્રવ્ય ફેરવવા જાય. લોકોને શું થાય કે દ્રવ્યનાં પ્રમાણે જ ભાવ ફર્યા કરે. ખોટું કરે તો ય ખોટાની પાછળ ભાવ નક્કી કરે કે આમ તો કરવું જ જોઈએ. એટલે આપણી શી શોધખોળ છે કે દ્રવ્યમનને જે લોકો ફેરવવા જાય છે તો ક્યારેય ફરતું જ નથી. એટલે આપણે સ્થળમનને બાજુએ મૂક્યું, સ્થૂળ ક્રિયાઓને બાજુએ મૂકી, દેહની તમામ ક્રિયાઓને બાજુએ મૂકી. અમે ‘સ્વરૂપનું જ્ઞાન આપીએ પછી બધો ફેરફાર થાય, નહીં તો દ્રવ્યમનના ધક્કાથી જ માણસ ચાલ્યા કરે. ભાવમનની કોઈનેય ખબર ના પડે. ભાવમન છે એવી ખબર પડે પણ એ કઈ રીતનાં કામ કરે છે એની ખબર ના પડે. પ્રશ્નકર્તા : એ “અનુકોન્સિયસ' થયું ને ? દાદાશ્રી : હા, એ અહંકારના ઓઠા નીચે, અંધારા નીચે બધું કામ કરી નાખે. અહંકારનું અંધારું ના હોય તો દેખાય. આ બહુ ઝીણી વસ્તુ છે. બુદ્ધિ માર્ગ-અબુધ માર્ગ જો સંસારમાર્ગમાં ‘ડેવલપ’ થવું હોય તો બુદ્ધિ માર્ગમાં જાઓ ને મોક્ષમાર્ગમાં જવું હોય તો અબુધ માર્ગમાં જાઓ. અમે અબુધ છીએ. અમારામાં જરાય બુદ્ધિ નથી. બુદ્ધિ ‘સેન્સિટિવ' રાખે. બુદ્ધિના બે પ્રકાર : એક સમ્યક બુદ્ધિ ને બીજી વિપરીત, અહીં સત્સંગ થાય એટલે તમારી જે વિપરીત બુદ્ધિ હોય તે જ ‘ટર્ન લઈને સમ્યક્ થાય અને એ સમ્યક બુદ્ધિ મોક્ષે લઈ જાય. પ્રશ્નકર્તા : અબુધ થયા પછી ‘કેવળજ્ઞાન’ થાય ને ?
SR No.008828
Book TitleAptavani 05 06
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year
Total Pages222
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size71 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy