SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ આપ્તવાણી-૫ ૧૦૧ ૧૦૨ આપ્તવાણી-૫ પછી મહીં જેમ સહેજે ચાલે છે, તેના કરતાં બહાર વધારે સહેજે ચાલે તેમ છે ! કુદરતનો નિયમ એવો છે કે મહીં પાચક રસોનું પ્રમાણ આજે એવું નાખે કે આખી જિંદગી એનું પ્રમાણ સચવાય ને અક્કરમી એવું નાખે કે આજે નાખે ને તો બીજી સાલ દુકાળ પડે !!! - દાદાશ્રી : એ રૂપી નથી, અરૂપી છે એ વાત સમજવા જેવી છે. એકદમ એ સમજવાની જરૂર નથી. અત્યારે કેવી રીતે પામીએ, એ સમજવાની છે. પ્રશ્નકર્તા : “જ્ઞાની પુરુષ'ના વિરહમાં જે વેદના ઉત્પન્ન થાય એને કેવી વેદના કહેવાય ? દાદાશ્રી : એ વેદના તો ઓહોહો ! મહીં ‘ઈલેક્ટ્રિસિટી' ઉત્પન્ન થાય અને તેનાથી સ્વરૂપ તેજવાન થતું જાય. એ તો બહુ ઉત્તમ વસ્તુ કહેવાય. વિરહની વેદનાનો તો મહાભાગ્યે જ ઉદય થાય. ઘણાં કાળના પરિચયથી તેને એ થાય. જેને મોક્ષે જવાનું હોય તેને એ વેદના જાગે ! એની તમારે બહુ ઉતાવળ કરવા જેવી નથી. આટલા બધા અવતાર બગાડ્યા, હવે એક-બે અવતાર માટે શી ખોટ જવાની છે ? આટલા અવતાર ભટક ભટક કર્યા, તેનો થાક ના લાગ્યો ને હવે બે અવતાર માટે થાક લાગી જવાનો છે ? સચ્ચિદાનંદ સ્વરૂપ નિરાકાર કહ્યું છે તે અત્યારે નિરાકાર સમજી લો, પછી આગળનું સમજાશે. નિરાકાર તો અમુક હેતુસર કહેવામાં આવ્યું છે. કેટલીક હેતુસરની વાતો એવી હોય છે કે તે હેતુ પૂરો થયા પછી સમજાય. આત્મા નિરંજન તો છે જ. એને કર્મ કંઈ અડ્યા જ નથી. આજે પણ તમારો આત્મા ‘શુદ્ધાત્મા' છે. ચોખ્ખો દેખાય છે. પણ તમે માની બેઠા છો કે મારાથી નર્યા પાપ થયાં, પુણ્ય થયાં. બધી ‘રોંગ બિલીફ' બેઠી છે. ‘જ્ઞાની પુરુષ' ‘રોંગ બિલીફ’ તોડી આપે ને “રાઈટ બિલીફ” બેસાડી આપે. ‘રાઈટ બિલીફ” બેસી જાય એટલે ‘હું ભગવાન જ છુંએવું ભાન થાય. પ્રશસ્ત મોહ માયા એટલે અજ્ઞાનતા. માયા જેવી વસ્તુ નથી. માયા ‘રિલેટીવ છે. વિનાશી છે અને આપણે અવિનાશી છીએ. એ કેટલા દહાડા રહે? જ્યાં સુધી આપણને વિનાશી ચીજો પર મોહ હોય ત્યાં સુધી માયા ઊભી રહે. આપણને સ્વરૂપનો મોહ ઉત્પન્ન થાય, ‘હું શુદ્ધાત્મા છું.’ એ મોહ ઉત્પન્ન થાય એટલે માયા ખલાસ થઈ જાય. પ્રશ્નકર્તા : અમુક વખત પછી સ્વરૂપનો મોહ પણ ના રહેવો જોઈએ ને ? દાદાશ્રી : સ્વરૂપનો મોહ તો સારો. એને મોહ ગણાતો નથી. એને આપણી ભાષામાં મોહ કહીએ છીએ. મોહ એટલે તો મૂર્છા કહેવાય. એને ખરેખર તો આત્માની રુચિ ના કહેવાય. અને દેહનો મોહ કહેવાય. આત્માની રમણતા આવી એટલે પર-રમણતા દૂર થાય. એનો સંસાર ટળ્યો ! પ્રશ્નકર્તા : આ ગૌતમ સ્વામીને મહાવીર સ્વામીએ દૂર કર્યા તે એમનો મોહ હતો માટે. તો એ કઈ ‘ટાઈપ’નો મોહ કહેવાય ? પોતાનું સ્વરૂપ જે છે, એનું નામ જ સચ્ચિદાનંદ. સત્-ચિત્—આનંદ. આ અસત્ ચિત્ત થઈ ગયેલું. તે સુખેય કલ્પિત છે ને દુ:ખેય કલ્પિત છે. કલ્પિત છે છતાં અસર સાચા જેવી થાય છે ! સચ્ચિદાનંદ એ મૂળ સ્વરૂપ છે આપણું. પ્રશ્નકર્તા : સચ્ચિદાનંદ સ્વરૂપ દરેકની અંદર છે ? દાદાશ્રી : હા, જીવમાત્રની અંદર છે અને તે જ પરમાત્મા છે ! સચ્ચિદાનંદ સ્વરૂપના બે ભાવ છે. એક સ્વભાવ છે ને બીજો વિભાવ, વિભાવ એટલે વિશેષ ભાવ, વિરુદ્ધ ભાવ નહીં. આ તો સંયોગોના દબાણથી ‘રોંગ બીલિફ થઈ ગઈ છે. પ્રશ્નકર્તા : આ સચ્ચિદાનંદ સ્વરૂપ સાકાર છે કે નિરાકાર ?
SR No.008828
Book TitleAptavani 05 06
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year
Total Pages222
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size71 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy