________________
આપ્તવાણી-૫
આપ્તવાણી-૫
વિનય જો અટકે નહીં તો મોક્ષ જ છે.
પ્રશ્નકર્તા : વિનય અને પરમ વિનયમાં શો ફરક છે ?
દાદાશ્રી : બહુ ફરક છે. પરમ વિનય તો માણસને ઉત્પન્ન જ ના થાય. આત્મા પ્રાપ્ત કર્યા પછી જ પરમ વિનય થાય અને તેનાથી જુદાઈ લાગે જ નહીં. અભેદ દૃષ્ટિ થાય, અભેદ બુદ્ધિ થાય અને જ્યાં સુધી વિનય છે ત્યાં સુધી હું અને ગુરુ મહારાજ” બધા જુદા જ છે. છતાંય એ વિનય “પરમ વિનય’માં લઈ જનારો છે. એ પણ એક સ્ટેશન છે. | ‘જ્ઞાની પુરુષતમારા અવિનયની નોંધ ના કરે. તમારે સમજી લેવાનું કે મારે શું વિનય કરવો ને શું નહીં ? અને તમારી ભૂલ થાય એવું અમે જાણીએ અને આ દુષમકાળમાં અવિનયની તો નોંધ જ ના થાય ને ? ચોથા આરામાં અવિનયની નોંધ કરવી પડે. અત્યારે તો ‘લેટ ગો’ કરવું પડે. ઊલટું, અવિનય કરે તેને આશીર્વાદ આપવો પડે !
પ્રશ્નકર્તા : જરાય નહીં. દાદાશ્રી : ગજવું કાપે તો અસર થાય છે ? પ્રશ્નકર્તા : થોડી વાર થાય.
દાદાશ્રી : તો તો તમે ‘ચંદુભાઈ” છો. વ્યવહારથી ‘ચંદુભાઈ હો તો તમને કશું અડે નહીં.
પ્રશ્નકર્તા : જો એવું હોય તો તો આપણામાં ને બીજામાં ફેર જ શો ? ખોટી વસ્તુને ત્યજવી જ જોઈએ. એટલો પ્રયત્ન ધીમે ધીમે કેળવીએ તો ફેર પડતો જાય છે.
દાદાશ્રી : જો મોક્ષે જવું હોય તો ખોટી-ખરીનાં કંઠ કાઢી નાખવા પડશે અને જો શુભમાં આવવું હોય તો ખોટી વસ્તુનો તિરસ્કાર કરો ને સારી વસ્તુનો રાગ કરો અને શુદ્ધમાં સારી-ખોટી બેઉ ઉપરેય રાગદ્વષ નહીં. ખરેખર સારી-ખોટી છે જ નહીં. આ તો દૃષ્ટિની મલિનતા છે. તેથી આ સારી-ખોટી દેખાય છે અને દૃષ્ટિની મલિનતા એ જ મિથ્યાત્વ છે, દૃષ્ટિવિષ છે. દૃષ્ટિવિષ અમે કાઢી નાખીએ છીએ.
વિતય અને પરમ વિનય. વીતરાગનો આખો માર્ગ જ વિનયનો માર્ગ છે. આ વિનયધર્મની શરૂઆત જ હિન્દુસ્તાનમાંથી થાય છે. હાથ જોડવાની શરૂઆત અહીંથી જ થાય છે તે ત્યાંથી માંડીને ઠેઠ સાષ્ટાંગ દંડવત્ સુધી જાય છે. વિનયધર્મ તો પાર વગરના છે અને પરમ વિનય ઉત્પન્ન થાય એટલે મોક્ષ થાય.
પ્રશ્નકર્તા : ‘પરમ વિનય’ સમજાવો.
દાદાશ્રી : જ્યાં વાદ-વિવાદ ના હોય, ડખો ના હોય, જ્યાં કાયદા ના હોય, કાયદા હોય ત્યાં પરમ વિનય સચવાય નહીં અને આપણે કાયદાના બંધનમાં રહેવું પડે. આપણે તો ‘વ્યવસ્થિત' કરે, તેને જોયા કરનારા. બીજું આપણને ક્યાં પોસાય ?
‘રિલેટિવ ધર્મોમાં પણ જ્યાં વિનય છે ત્યાં મોક્ષમાર્ગ છે અને
મિથ્યાભાસ
મિથ્યાભાસ એટલે શું? એક મોટા ફંકશનમાં, મોટા મોટા પ્રધાનો આવેલા. ત્યાં મંચ પર બધા બેઠેલા ત્યારે મને હઉ મંચ ઉપર એમની જોડે બેસાડેલો. મને જ્યારે જ્ઞાન નહોતું થયું ત્યારે મનમાં એવી ભાવના થયા કરે કે અહીંના કરતાં આવી જગા ઉપર બેસવાનું આવે તો સારું. તે દહાડે મને એની કિંમત હતી અને અત્યારે મંચ ઉપર બેસાડે તો બોજારૂપ લાગ્યા કરે, એનું નામ મિથ્યાભાસ.
પ્રશ્નકર્તા : પણ દાદા, તમને દુઃખરૂપ કે બોજારૂપ ના લાગે ને?
દાદાશ્રી : ના, એમ બોજારૂપ ના લાગે. પણ એમાં ‘ઇન્ટરેસ્ટ’ ના હોય. એટલે મુક્ત જેવું હોય. અમને હવે ક્યાંય ‘ઇન્ટરેસ્ટ' ના હોય.
પ્રશ્નકર્તા : ધીરે ધીરે અમને પણ “ઇન્ટરેસ્ટ’ ઓછો થતો જાય છે. પછી જીવવું કેવી રીતે ?
દાદાશ્રી : એ મોહ હતો. મોહ માર ખવડાવે. હવે તમને માર