SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ આપ્તવાણી-૫ ૯૧ ૯૨ આપ્તવાણી-૫ દાદાશ્રી : સંકલ્પને કશી લેવાદેવા નથી. વિકલ્પનો જ પડઘો પડે છે. સંકલ્પ' એટલે ‘મારું થયું. વિકલ્પ કર્યા પછી આ વસ્તુ આપણી થાય. ત્યારે આપણે સંકલ્પ કરીએ કે આ મારી છે. વિકલ્પથી જ આ બધું ઊભું થયું છે. એટલે સંકલ્પ નડતો નથી, વિકલ્પો જ નડે છે. નિર્વિકલ્પ બધું મટાડી દે એને. આ તો વિકલ્પ છે તો સંકલ્પ ઊભો થયો. નિર્વિકલ્પ થાય તો સંકલ્પય નથી, વિકલ્પ નથી ને કશુંય નથી. | વિકલ્પ તો ‘હું ચંદુલાલ છું ત્યાં સુધી વિકલ્પો જ છે, પછી આચાર્ય મહારાજ હોય કે ગમે તે હોય. ‘હું શુદ્ધાત્મા છું.” એવું ભાન રહે તો નિર્વિકલ્પ કહેવાય. હવે નિર્વિકલ્પ થયા ત્યારે નિર્વિકલ્પ દશા કેમ રહેતી નથી ? ત્યારે કહે કે પાછલાં દેવાં, પાછલી કલમોનો જે ભંગ કરેલો તે કલમોના દાવા ચાલશે. ‘શુદ્ધાત્મા’ થયા પછી સંકલ્પ ને વિકલ્પ બેઉ ગયા. હવે મનમાંથી નીકળે તે બધા જોય છે. હવે જ્યાં સુધી પોતે વિકલ્પી હોય ત્યાં સુધી એ જોય દેખાય નહીં. એ તો મને જ વિચાર આવ્યો છે, એવું કહે. બાકી પોતે કલ્પ સ્વરૂપ છે. જેવો ચિંતવે તેવો થઈ જાય. પોતે નિર્વિકલ્પ કેમ કહેવાય ? ત્યારે કહે કે અજ્ઞાનતામાં વિકલ્પ કર્યો હતો તેથી જ્ઞાન પછી નિર્વિકલ્પ કહેવાય. પાછા આવ્યા માટે નિર્વિકલ્પ કહેવાયું. એક માત્ર સ્વરૂપ ભણી ચિંતવન વળે નહીં. તે મદિરા જ્ઞાની પુરુષ ઉતારે ત્યાર પછી એનું કંઈ વળે.. શુભના મોટા મોટા વિકલ્પ કર્યા હોય તો તેય ફળ આપે. કોઈને મારી નાખવાના ભાવ કર્યા હોય તો એવું ફળ આવે ને દાન આપવાના ભાવ કર્યા હોય તો તેવું ફળ આવે. પ્રશ્નકર્તા : આપે કહ્યું છે ને કે જગત ‘વ્યવસ્થિત’ છે, તો પછી એને ફેરફાર કરવાનો વિકલ્પ કેમ આવે છે ? દાદાશ્રી : આ વિકલ્પો તો પહેલાં વિકલ્પ કરેલા, તેના ફળ રૂપે આવે છે. બીજ પડ્યાં હોય તો ઊગે જ ને ? ફરી પાછા તમે એને નીંદી ના નાંખો, ઊગવા દો તો તે ફરી એનાં બીજ પડે છે. નિર્વિકલ્પ થયા પછી આને નીંદી નાખવાનું. ‘સમભાવે નિકાલ કરવા માંડ્યો, એ નીંદવા માંડ્યું કહેવાય. જગત તો તદન ‘વ્યવસ્થિત’ છે. ભગવાને કેમ ખુલ્લું ના કર્યું? દુર્જન લોકો દુરુપયોગ કરે, જગત ઊંધે રસ્તે ચાલે, એટલા માટે સાચી વાત ના કહી. ‘વ્યવસ્થિત'ના જ્ઞાનથી તમને સંકલ્પ-વિકલ્પ થાય નહીં. આ જગતમાં કર્તાપણું મટે તો ‘વ્યવસ્થિત સમજાય. કર્તાપણું ના મટે ત્યાં સુધી “વ્યવસ્થિત સમજાય નહીં. પોતે અર્તા થાય તો આનો કર્તા કોણ છે' એ સમજાય. પોતે નથી કર્તા, છતાં કર્તા માને છે એટલે આ સમજાય કેમ કરીને ? પ્રશ્નકર્તા : પોતાનું કર્તુત્વ તો છોડતો નથી. દાદાશ્રી : હા. એટલે બીજાને કર્તાપણું થવા જ ના દેને ? બાકી જગત છે વ્યવસ્થિત. પણ કર્તાપણાને લીધે કલ્પના ઉત્પન્ન થાય જ. અકર્તા થયો ત્યારથી જ ઉકેલ આવ્યો. ત્યાં સુધી ક્રોધ-માન-માયા-લોભ જાય નહીં, ભય જાય નહીં. અશુભનો કર્તા છૂટીને શુભનો કર્તા થયો તો ય પણ કર્તા છે એટલે સંકલ્પ-વિકલ્પ થયા વગર રહે જ નહીં. અને આ ‘વ્યવસ્થિત’ સમજાય નહીં એટલે “મારું હવે શું થશે? એવો વિચાર આવે. વિજ્ઞાાથી મુક્તિ પ્રશ્નકર્તા : મોક્ષમાં જવાની ભાવના છે પણ એ કેડીમાં ખામી છે તો શું કરવું ? દાદાશ્રી : શેની ખામી છે ? પ્રશ્નકર્તા : કર્મો છે ને ? કર્મ તો કર્યા જ કરીએ છીએ. દાદાશ્રી : કર્મ શેનાથી બંધાય એવું આપણે જાણવું જોઈએ ને ? પ્રશ્નકર્તા : અશુભ ભાવથી અને શુભ ભાવથી. દાદાશ્રી : શુભ ભાવેય ના કરે ને અશુભ ભાવેય ના કરે, તેને
SR No.008828
Book TitleAptavani 05 06
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year
Total Pages222
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size71 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy