________________
આપ્તવાણી-૫
૮૫
આપ્તવાણી-૫
જ ‘એડજસ્ટ થઈ જાત. તું પોતે કહેત કે “મારી “સેફ સાઈડ'નું કરી આપો. મારી સ્વતંત્રતાનું કરી આપો. આ પરવશતા મને નથી ગમતી.”
પરવશતા
આ નરી પરવશતા ! ‘નિરંતર પરવશપણું ! જાનવરો પરવશ અને મનુષ્યોય પરવશ. તે કેમ પોસાય ? માથું દુ:ખે તોય ઉપાધિ. પગ ફાટતો હોય, આંખો દુ:ખતી હોય, દાંત દુઃખતો હોય તોય ઉપાધિ. આવી ભયંકર અશાતનાઓમાં કેમ જીવવાનું ?
આ પરવશતા થોડીઘણી સમજાઈ છે તને ? પ્રશ્નકર્તા : હા. દાદાશ્રી : અનુભવમાં આવેલી છે ? પ્રશ્નકર્તા : હા. દાદશ્રી : તને એ ગમે છે ? પ્રશ્નકર્તા : ના.
દાદાશ્રી : પસંદ ના હોય તો એમ પૂછતો કેમ નથી કે પરવશતા કેમ જાય ?
પ્રશ્નકર્તા : એ તો પોતાની મેળે માણસ એનું ‘સોલ્યુશન' કાઢી
દાદાશ્રી : ચિંતા એ તો “ઍબવ નોર્મલ’ ‘ઈગોઈઝમ’ છે અને પરવશતા તો લાચારી છે. “ઍબવ નોર્મલ’ ‘ઈગોઈઝમ' થાય તો ચિંતા થાય, નહીં તો થાય નહીં. આ ઘરમાં રાતે ઊંઘ કોને ના આવતી હોય? જેને “ઈગોઈઝમ' વધારે છે તેને.
પ્રશ્નકર્તા : આ સંયોગોમાં મારાથી પહોંચી વળાતું નથી એટલે ચિંતા થાય ને એનાથી બીજું ‘સ્ટેપ” પરવશતાને ?
દાદાશ્રી : એ પરવશતા તો આપણે ઊભી કરી છે. એક પરવશતા તો એની મેળે ઊભી થાય છે ને તે છે વૈડપણની. પરવશતા અને ચિંતાને કંઈ લેવાદેવા નથી.
કોઈ પણ વસ્તુ બગડે તો ચિંતા થાય. પરિણામને આધારે ચિંતા થાય છે અને પરવશતા તો લાચારી છે. જગતને પરવશતા ગમતી નથી. પરવશતા એ જ નિર્બળતા છે. નિર્બળતા જાય તો પરવશતા જાય. નિર્બળતા હોય ત્યાં સુધી પરવશતા જાય નહીં, કારણ કે આપણે સામાને પણ નુકસાન કરીએ તો એ આપણને નુકસાન કરે. આપણે કોઈનું પણ નુકસાન ના કરીએ, કોઈના માટે પણ ખરાબ વિચાર ના કરીએ ત્યારે એ પરવશતા તૂટે.
પ્રશ્નકર્તા : માણસને જીવન-જરૂરિયાત માટે ચિંતા હોય એટલે પાછી પરવશતા આવે જ ને ?
દાદાશ્રી : એ પરવશતા જુદી છે. એ પોતે પોતાની જાળમાં પેઠો છે. ના પેસવું હોય તોય કુદરતી રીતે ઊભી થાય બધી. આ ઉંદરડો પાંજરામાં કંઈ દેખે તે અત્યારે પરવશ તો છે નહીં, પણ ખાવાનું દેખે છે એટલે લોભનો માર્યો મહીં પેઠો એટલે ફસાવાનો. પણ એ પરવશતા કોઈ દહાડો છૂટી જાય.
આ ચિંતા કર્યાનું ફળ શું? તો કહે, જાનવરપણું. પ્રશ્નકર્તા : ચિંતા ના થાય એના માટે ઉપાય શો ? દાદાશ્રી : પાછું ફરવું. ઈગોઈઝમ બાદ કરીને પાછું ફરવું. અગર
શકે.
દાદાશ્રી : અમુક હદ સુધી “સોલ્યુશન’ કાઢી શકે.
જેમ જેમ ઉંમર વધતી જાય તેમ તેમ પરવશતા વધે ને છેલ્લે મરતી વખતે તો પરવશતાનો પાર નથી રહેતો. પૈડપણમાં દાંત પજવે, શરીર પજવે, છોકરાં પજવે, ભઈઓ પજવે. છોકરાં કહે, ‘તમે બેસી રહો હવે, બહુ બોલ બોલ ના કરશો !” કેટલી બધી પરવશતા ?
પ્રશ્નકર્તા : પરવશતા અને ચિંતા, બે સાથે સાથે ના જાય ?