SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ આપ્તવાણી-૫ ૮૪ આપ્તવાણી-૫ પ્રશ્નકર્તા : બુદ્ધિ ‘મિકેનિકલ’ ક્યાં આવી ? જાનવરોમાં બુદ્ધિ હોય કે નહીં, ઓછા-વત્તા પ્રમાણમાં ? દાદાશ્રી : જાનવરોમાં અંતઃકરણ સીમિત છે – ‘લિમિટેડ’ છે અને મનુષ્યોનું “અનલિમિટેડ’ છે. જાનવરોનું સીમિત હોવાને લીધે તેમાં ડેવલપમેન્ટ’ વધારે થઈ શકે નહીં. એમનું મન-બુદ્ધિ-ચિત્ત ને અહંકાર અમુક સીમામાં છે. આ ગાયને વાસણ દેખાડીએ તો એ દોડતી દોડતી આવે. એટલી એને સમજ છે. જોડે જોડે એને બીજી કઈ સમજ છે ? જો આપણે લાકડી લઈને નીકળ્યા હોઈએ તો એ પાસે ના આવે. બીજી એને ઊંઘવાની સમજ છે. તેમને મૈથુન છે. ભૂખ લાગે ત્યારે ખાવાની સમજ છે. શું ખવાય અને શું ના ખવાય, તેની પણ સમજ છે; જે મનુષ્યોને નથી ! આ બધાં જાનવરો ખાવાનું સૂંઘીને પછી ખાય. આ મનુષ્ય એકલાં જ કુદરતનાં બહુ ગુનેગાર ગણાય છે. પ્રશ્નકર્તા : ‘મિકેનિકલ’ બુદ્ધિ મનુષ્યને ક્યાં સુધીનું જ્ઞાન આપે વ્યવસ્થા રાખી હોય, પછી એડસઠ માઈલ પર રાખી હોય. હવે લોકો કહે છે કે સડસઠ માઈલના પહેલા ફલાંગ ઉપર અમારી ગાડીને પંકચર પડ્યું તો અમારે શું કરવું ? એટલે ત્યાં પણ ફોન રાખો જેથી અમારે ચાલવું ના પડે. પ્રશ્નકર્તા : એટલે સગવડ છે, તેના કરતાં વધારે સગવડ જોઈએ છે? દાદાશ્રી : સગવડને અગવડ કરી આ લોકોએ. ‘ઍબવ નોર્મલ થયું કે અગવડ થઈ ? પ્રશ્નકર્તા : રક્ષણ કરવા માટે માણસ બુદ્ધિ વાપરે એ નોર્મલ કહેવાય ને ? આ એટમ બોંબ બનાવે છે તે રક્ષણ માટે જ ને ? દાદાશ્રી : એનું નામ રક્ષણ ના કહેવાય. બીજો સામે બનાવે તો શું થાય ? પછી કેટલો બધો ભય રહે ? આ તો સામા માણસને દબડાવવા કર્યું છે. આવું રક્ષણ કરવાની જરૂર નથી. કુદરત આનું રક્ષણ કરી જ રહી છે. વગર કામનાં આવાં તોફાનો કરવાની જરૂર જ નથી. આવાં સાધનો જ ઊભાં ના કરવાં જોઈએ. મુંબઈના તળાવમાં ઝેર નાખી દે તો બધાં માણસો મરી જાય એ કંઈ બુદ્ધિ ના કહેવાય ! પ્રશ્નકર્તા : એ દુર્બુદ્ધિ કહેવાય ? દાદાશ્રી : એ દુર્બુદ્ધિ ના કહેવાય. એ તો ભયંકર ખાનાખરાબી કરી કહેવાય. પ્રશ્નકર્તા : મારે ‘મિકેનિકલ બુદ્ધિની ‘લિમિટ’ જાણવી છે. “ઈનર” બુદ્ધિની શરૂઆત અને એની લિમિટ’ જાણવી છે. દાદાશ્રી : જાણીને તું શું કરીશ ? પ્રશ્નકર્તા : મારામાં કેટલી છે એ મારે જાણવું છે. દાદાશ્રી : આ તારી બધી “આઉટર” (બાહ્ય) બુદ્ધિ જ છે. “ઈનર’ (આંતર) બુદ્ધિ હોત તો આ બાજુ વહેલો ઊતરી જાત, મારી જોડે તરત દાદાશ્રી : સર્વનાશ કરે ત્યાં સુધી ! મિકેનિકલ બુદ્ધિ “ઍબવ નોર્મલ’ થાય એટલે એ સર્વનાશ લાવશે. આ જગત સર્વનાશ તરફ જઈ રહ્યું છે. ‘મિકેનિકલ’ બુદ્ધિ જ ‘ઍબવ નોર્મલ’ કરી રહ્યું છે. ‘આઉટર' બુદ્ધિની ‘લિમિટ’ એટલી જ છે કે જેટલી આપણી જરૂરિયાત હોય, એના આધારે જ બુદ્ધિ વાપરવાની જરૂર છે. એમાં ‘એક્સેસ કરવા જાય, “આમ શું ને પેલું શું ?” તે નુકસાન કરે. પ્રશ્નકર્તા : માણસ પોતાનું રક્ષણ કરે એ નેસેસિટી ખરી કે નહીં? દાદાશ્રી : કરે જ છે ને બધાં ! કોઈ જાણીજોઈને મરતું નથી. પ્રશ્નકર્તા : માણસને પોતાનું રક્ષણ કરવા ‘એટમિક ન્યુક્લિયસ' (અણુબોમ્બ)ની જરૂર પડે ને ? દાદાશ્રી : આ “અન્નેસેસરી પ્રોબ્લેમ ઊભા કરે છે ! “ફોરેનમાં આવા “ડેવલપમેન્ટ'વાળા દેશો છે, જ્યાં સડસઠ માઈલ ઉપર ફોનની
SR No.008828
Book TitleAptavani 05 06
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year
Total Pages222
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size71 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy