________________
આપ્તવાણી-પ
આપ્તવાણી-૫
નિર્લેપ, અસંગ, અગ્નિનો સંગ એને અડતો નથી, તો આ દુ:ખનો, શરીરનો શી રીતે અડે ? માટે આ એનો સ્વભાવ પકડી રાખવો.
અને પરભાવમાં પરપરિણતિ ઉત્પન્ન ના થાય એ જોયા કરવાનું. પરપરિણતિ કોને કહેવાય છે ? પરપરિણામને પોતાનાં પરિણામ માને એનું નામ પરપરિણતિ. માથું દુ:ખે છે એ પરપરિણામ કહેવાય અને તેને “મને દુખ્યું છે' એમ કહ્યું એને પરપરિણતિ કહી. જેણે સ્વપરણિતિ, સ્વપરિણામ જોયાં નથી તે પરપરિણતિ સિવાય બીજું શું જુએ ? “સ્વ” તો સમકિત થયા પછી હાથમાં આવે. ‘સ્વ’ હાથમાં હોય તો ક્રોધ-માનમાયા-લોભની દશા મડદાલ થઈ જાય. ક્રોધ-માન-માયા-લોભ એ કષાયો કહેવાય.
મોક્ષ જોઈતો હોય તો શિર સાથે ખેલ છે. શૂરવીરતા એટલે શૂરવીરતા ! ઉપરથી એટમ બોંબ પડે પણ પેટમાં પાણી ના હાલે, એનું નામ શૂરવીરતા. અને જો તમે શુદ્ધાત્મા સ્વરૂપ છો, મેં જે સ્વરૂપ તેમને આપ્યું છે તે સ્વરૂપમાં છો તો પાણીય અડે તેમ નથી.
તમે હવે નિઃશંક થયા. હવે આજ્ઞામાં રહો ને પૈડપણ કાઢી નાખો. આ દેહ જતો રહે તો ભલે જતો રહે. કાન કાપી લે તો ભલે કાપી લે. પુદ્ગલ આપી દેવાનું છે. પુદ્ગલ પારકું છે. પારકી વસ્તુ આપણી પાસે રહેવાની નથી. એ તો ‘વ્યવસ્થિત’નો ટાઈમ હશે તે દહાડે જશે. માટે ‘જ્યારે લેવું હોય ત્યારે લઈ લો’ એમ કહેવું. ભય રાખવાનો નહીં. કોઈ લેનાર નથી. કોઈ નવરુંય નથી. આપણે કહીએ કે ‘લઈ લો’, તો કોઈ લેનારું નથી, પણ તે આપણામાં નિર્ભયતા રાખે. જે થવું હોય તે થાઓ, કહીએ.
પ્રશ્નકર્તા : બહારની ફાઈલો એટલી બધી હેરાન નથી કરતી, પણ અંદરની શાતા-એશાતામાં એકાકાર થવાય છે.
દાદાશ્રી : શાતા-અશાતાને તો બાજુએ જ મૂકી દેવાનું. શાતામાં પ્રમાદ થઈ જાય, અજાગૃતિ રહે. શાતા-અશાતાની તો બહુ પરવા રાખવી નહીં. અશાતા આવે, હાથમાં લાય બળતી હોય તો આપણે કહેવું કે,
હે હાથ ! ‘વ્યવસ્થિત'માં હો તો બળો કે સાજો રહો.” એટલે લાય બળતી હોય તો બંધ થઈ જાય; કારણ કે આપણે બાળી મૂકવાની વાત કરીએ પછી શું થાય ? પંપાળવાનું તો કયારેય હોય નહીં. આ પુદ્ગલ છે. ‘વ્યવસ્થિત’ના તાબે છે. એની અશાતા વેદનીય જેટલી આવતી હોય તેટલી આવો. શૂરાતન તો જોઈશે ને ? અને નહીં તોય રડી રડીને ભોગવવું, એના કરતાં હસીને ભોગવવું શું ખોટું ? તેથી તો કહ્યું છે ને, “જ્ઞાની વેદે પૈર્યથી, અજ્ઞાની વેદે રોઈ.” - અડધો પગ તૂટી ગયો તો આપણે કહીએ, ચાલો દોઢ તો રહ્યો ને ! ફરી અડધો જતો રહે, ત્યારે આપણે એમ કહીએ કે બેને બદલે એક તો રહ્યો ને ? આમ કરતાં છેવટે બધા પાર્ટસ તુટી પડે, ત્યારે છેવટે આત્મા તો છીએ ને ? છેવટે તો બધા પાર્ટસ તૂટી જ પડવાના છે ને ? પેટ્રોલ છાંટીને ભડકો કરો તોય અમે આત્મસ્વરૂપ છીએ !
જ્યારે ત્યારે ભડકો થવાનો જ છે ને ! નથી થવાનો ? થોડોક અભ્યાસ જ કરવાની જરૂર છે. ઉઘાડે પગે મહારાજ કેમ કરીને ચાલે છે ? ખેડૂતો કેમ કરીને ચાલે છે ? બે-ચાર વખત આપણે દઝાઈએ એટલે બધું રાગે પડી જાય. બાકી એક ટીકડીથી વેદના બેસી જાય તેને વેદના જ કેવી કહેવાય ? સો-સો ટીકડીઓ ખાય તોય વેદના ના શમે, એનું નામ વેદના કહેવાય.
હવે તો અપના કુછ નહીં. ‘જ્ઞાની પુરુષ'ને બધું વોસિરાવી દીધું. મન-વચન-કાયા ને સર્વ માયા, ભાવકર્મ-દ્રવ્યકર્મ-નોકર્મ બધું જ વોસરાવી દીધું. પછી તમારી પાસે કશું જ બાકી નથી રહેતું.
મહાવીરતું વેદત - સ્વસંવેદના પ્રશ્નકર્તા : ‘જ્ઞાની વેદે ઘર્યથી, અજ્ઞાની વેદે રોઈ.” તો જ્ઞાની પણ વેદે તો ખરા ને ?
દાદાશ્રી : વેદના તો જાય જ નહીં ને ! પણ એ વેદના પૈર્યથી વિદે, સહુ સહુના ગજા પ્રમાણે ધર્ય હોય. જો કે મહાવીર ભગવાન કેવળ જાણતા જ હતા. એક માંકણ એમને કરડે તો તેને પોતે જાણે એકલું