________________
આપ્તવાણી-પ
પ૩
૫૪
આપ્તવાણી-૫
નથી. નામધારી આવે તો એકને ગમે ને બીજાને આધાશીશી ચઢે. મૂળ ભગવાનથી આધાશીશી ના ચઢે !
પ્રશ્નકર્તા: ‘પંચમ દીવો’ શુદ્ધાત્મા ‘સાધાર'. તે કેવો સાધાર કહેવા માંગે છે ?
પ્રશ્નકર્તા : ક્રમિક અને અક્રમમાં ફરક તો ગુરુકૃપા જ છે ને?
દાદાશ્રી : હા, ગુરુકૃપા જ છે બસ. અહીં તો ગુરુ જેવી કોઈ વસ્તુ જ ના હોય. ગુરુ એટલે કોણ ? ગુરુ કોને કહેવાય ? કે જે ગુરુલ્લિી સહિત હોય. તો એ ગુરુ તમને તારે અને ગુરુકિલ્લી વગર હોય એટલે એ ગુરુ ભારે કહેવાય. ભારે એટલે પોતે ડૂબે અને આપણને ડૂબાડે. બાકી અહીં તો ગુરુની જ જરૂર નહીં. મને કેટલાક લોકો પૂછે છે કે અમે પહેલાં ગુરુ કરેલા છે તો તેને અમારે છોડી દેવાના ? ત્યારે હું એમને કહું છું, ‘ના એ રાખવાના.’ વ્યવહારના ગુરુ તો જોઈએ જ ને ? અને અહીં તો અક્રમમાં ભગવાનની સીધી જ કૃપા ઊતરે છે ! ચૌદ લોકના નાથની સીધી જ કૃપા ઉતરે છે.
પ્રશ્નકર્તા : જ્ઞાન પ્રગટ થાય ત્યારે શું થાય ? દાદાશ્રી : જ્ઞાન પ્રગટ થાય એટલે કોઈ જગ્યાએ ઠોકર ના વાગે ! પ્રશ્નકર્તા : અને અંદરમાં શું ફરક પડે ?
દાદાશ્રી : અંદર પાર વગરનું સુખ વર્તે, દુઃખ જ ના થાય. દુઃખ, ચિંતા કશું જ સ્પર્શે નહીં !
પ્રશ્નકર્તા : જે જીવને આત્મસાક્ષાત્કાર થયો હોય, એ જીવ બીજા જીવને આત્મસાક્ષાત્કાર થયો છે કે નહીં એ પારખી શકે કે નહીં ?
દાદાશ્રી : પારખી શકે ને ! એવું છે ને, આપણે શાકબજારમાં શાક લેવા જઈએ છીએ ત્યારે “કયું શાક સારું છે' એ પારખી લઈએ છીએ ને એવું આય ખબર પડી જાય.
પ્રશ્નકર્તા : તમે જ્યારે ભગવાન કહો છો ત્યારે કોને અભિપ્રેત કરતા હો છો ? મહાવીરને ?
દાદાશ્રી : ના, મહાવીરને નહીં. ભગવાન એટલે કે અંદર આત્મા છે, તે પરમાત્મા સ્વરૂપે છે. જે આત્માને આપણે પરમાત્મા કહીએ છીએ, મહાવીરેય તે જ છે. મહાવીર નામધારી છે. નામધારીનું હું કહેવા માંગતો
દાદાશ્રી : અત્યાર સુધી ચેતનનો આધાર ‘પુદ્ગલ’ હતું, હવે ચેતનનો ‘શુદ્ધાત્મા’ આધાર થયો. એટલે પોતે પોતાનો જ આધાર થયો, હવે પુદ્ગલના આધારે નથી. જગત આખું પુદ્ગલને આધારે છે.
વાસણમાં ઘી ભર્યું હોય ને પેલા પંડિતને વિચાર આવે કે પાત્રના આધારે ઘી છે કે ઘીના આધારે પાત્ર છે. આવો વિચાર પંડિતને આવે, બીજા અબુધ લોકોને ના આવે. પંડિતનું ભેજું ફળદ્રુપ ખરું ને ! તે પંડિત તપાસ કરવા વાસણ ઊંધું કર્યું, ત્યારે એમને સમજાયું કે ઓહોહો ! આ તો વાસણના આધારે ઘી હતું. તેવી રીતે આ લોકોને પુદ્ગલના આધારે આત્મા રહેલો છે. પોતે પોતાના આધારે થાય, ‘હું’ પુદ્ગલના આધારે નહીં, એવું સમજાય ત્યારે શુદ્ધાત્મા “સાધાર’ થાય ! પુદ્ગલના આધારીને ભગવાને નિરાધાર કહ્યું, અનાથ કહ્યું અને આત્માના આધારીને સનાથે કહ્યું. સાધાર થઈ ગયા પછી કશું બાકી જ ના રહ્યું ને.
હવે ચંદુલાલને કોઈ ગાળ ભાંડે ત્યારે તમારે ‘ચંદુલાલ'ને કહેવું કે, ‘ચંદુલાલ’, તમને ગાળ ભાંડે છે પણ અમે તમને મદદ કરીશું.’ આવી ‘પ્રેક્ટિસ' પાડી રાખવી. આ ટેટા ફોડવા હોય, હવાઈ ફોડવી હોય તો “પ્રેક્ટિસ” ના કરવી પડે ? નહીં તો દઝાઈ મરીએ ને ! દરેકમાં પ્રેક્ટિસ કરવી પડે.
હવે કોઈ તમને ટૈડકાવે તો તે ‘ચંદુલાલ’ને ટૈડકાવે. તે ‘તમને તો કોઈ ઓળખતો જ નથી ને ?
પ્રશ્નકર્તા : “માય’ આત્મા કહે છે એટલે એ “પ્રતિષ્ઠિત આત્મા’ કહેવાય ને ?
દાદાશ્રી : ના, એ “જ્ઞાન” લીધા પછી ‘પ્રતિષ્ઠિત આત્મા’ કહેવાય.