SearchBrowseAboutContactDonate
Page Preview
Page 196
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૮ આપ્તવાણી-૬ આપ્તવાણી-૬ ૧૮૯ નથી પડતો. મતભેદ પડ્યો ત્યાંથી જાણું કે મારી ભૂલ છે ને ત્યાં હું તરત જાગૃત થઈ જાઉં. તમે મારી સાથે ગમે તેટલું વાંકું બોલતા હો પણ એમાં તમારી ભૂલ નથી, ભૂલ તો મારી છે, સીધું બોલનારની છે. કારણ કે એ એવું કેવું હું બોલ્યો કે આને મતભેદ પડ્યો ? એટલે જગતને “એડજસ્ટ” શી રીતે થાય એ જોવાનું. તમે સામાના હિતમાં હો, જેમ કે દવાખાનામાં કોઈ દર્દી હોય તેના સંપૂર્ણ હિતમાં તમે હો. તેથી તમે એને “આમ કરો, આમ ના કરો” એમ કહ્યા કરો, પણ પેશન્ટને કંટાળો આવે કે આ શી ભાંજગડ વગર કામની ? એટલે જે પાણીએ મગ ચડે, તે પાણીએ મગ ચડાવવાના છે. આજવાનાં પાણીએ ના ચડે તો આપણે બીજું પાણી નાખવું, કૂવાનું નાખવું ને તેમ છતાંય ના ચડે તો ગટરનું પાણી નાખીને પણ મગ ચડાવો, આપણે તો મગ ચડાવવા સાથે કામ છે ! સામાને સમાધાન આપો આપણે બધાએ શીખવાનું શું છે કે મતભેદ ના પડે એવું વર્તન રાખવું. મતભેદ પડ્યો એ તમારી જ ભૂલ છે, તમારી જ નબળાઈ છે. સામાને આપણાથી સમાધાન થવું જ જોઈએ. સામાના સમાધાનની જવાબદારી આપણા માથે છે. તમારાથી સામાનું સમાધાન ના થાય તો તમે શું સમજો ? સામાને સમજણ ઓછી છે, એવું જ સમજોને ? પ્રશ્નકર્તા : હા. દાદાશ્રી : તમારે ભાંજગડ પડે, તે વખતે આપણે ફેરવીને પણ ‘એને ભાંજગડ ના પડે” એવી રીતે કામ લેવું જોઈએ. જો તમે સમજણવાળા છો તો તમે ફરો ને સમાધાન કરાવો. જો તમે ફરો નહીં તો તમે સમજણવાળા નથી. બાકી સામો તો ફરશે નહીં. એટલે હું કોઈને ફેરવતો નથી. હું જ એને કહ્યું કે, ‘ભઈ હું જ ફરીશ બા.” આપણે રાગે રાખવું. અગિયાર વાગે મને તમે કહો કે, ‘તમારે જમી લેવું પડશે.’ હું કહું કે થોડીવાર પછી જમું તો ના ચાલે ? ત્યારે તમે કહો, ‘ના જમી લો, પાર આવી જાય.’ તો હું તરત જ જમવા બેસી જઉં. હું તમને ‘એડજસ્ટ’ થઈ જઉં. હવે તો “એડજસ્ટ’ ના થનારાને જગત મૂરખ કહેશે. દરેકમાં ‘એડજસ્ટ’ નહીં થાવ, તો સામો માણસ આપણને શું અભિપ્રાય આપશે ? - સમજણ કોનું નામ કહેવાય ? ફીટ થાય એનું નામ સમજણ ! અને ગેરસમજણ કોનું નામ કે ફીટ ના થાય. આ એક જ વાત સમજી લેવાની છે. પછી એ કાયદેસર હો કે ગેરકાયદેસર હો, એ જોવાનું નથી. પ્રશ્નકર્તા : ઇન્દ્રિય સમજણથી ચેતનતા તો ઘણી આગળ છે ને ? ચેતનતા હોય તો અથડામણ જ ના થઈ શકે. દાદાશ્રી : ના, અથડામણ તો થવી જ ના જોઈએ. અથડામણ ત્યાં જ આપણી અણસમજણ છે. આમાં ચેતનતાને સવાલ જ નથી. ચેતન તો ચેતન જ છે. આ તો અણસમજણ ભરેલી છે તેથી ! અણસમજણ શાથી ઊભી થાય છે ? મહીં “ઈગોઈઝમ'નું મૂળિયું છે તેથી ! એ અહંકારનું મૂળિયું જ્યાં સુધી હોય, ત્યાં સુધી ઊંચું ઊંચું થયા જ કરે. પજવે, હેરાન કરી નાખે, જંપવા ના દે. એટલે આપણે ધીમે રહીને એનું મૂળ ઊખેડી નાખવું પડે. કોઈ કશુંક બોલે તો મહીં પેલું અહંકારનું મૂળિયું ઊભું થાય પછી જંપીને બેસવા ના દે. ઘણું દબાય દબાય કરે, પણ બેસવા ના દે. એના કરતાં ‘હમ કુછ જાનતા નહીં’ એવો ભાવ આવ્યો. એટલે બસ આપણે ‘શુદ્ધાત્મા’ તરીકે જ્ઞાની છીએ અને આ પ્રમાણે વ્યવહારિક રીતે છે. અસમાધાતોમાં એડજસ્ટમેન્ટ કે પ્રતિક્રમણ ? પ્રશ્નકર્તા : કોઈ માણસ આજ્ઞાપૂર્વક કહે કે તમે આમ કરી ને એ માણસ ઉપર વિશ્વાસ ના હોય ને તો ત્યાં પ્રકૃતિ ‘એડજસ્ટ' થતી નથી, તો શું કરવું ? દાદાશ્રી : વિશ્વાસ વગર તો આ જમીન ઉપર બે પગેય ના પડે ! આ જમીન પોલી છે” એવું જાણી જઈએ, તો પછી કોઈ ત્યાં જાય નહીં
SR No.008828
Book TitleAptavani 05 06
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year
Total Pages222
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size71 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy