________________
આપ્તવાણી-૬
૧૨૭
૧૨૮
આપ્તવાણી-૬
તો કર્મ તો થયા જ કરવાનાં ! ખાવું પડે, સંડાસ જવું પડે, બધું ના કરવું પડે ?
પ્રશ્નકર્તા : હા, પણ જે કર્મ બાંધ્યાં હોય, એનાં ફળ પાછાં ભોગવવાં
દાદાશ્રી : હા, ‘વ્યવસ્થિત’ને આધીન છે. આત્માને આધીન નથી, એવું આપણે કહેવા માગીએ છીએ. ‘પરી’ એટલે તારું નથી અને ‘પરાધીન’ એટલે તારા હાથમાં ખેલ નથી. તારું ધારેલું આમાં નહીં થાય.
કોઈએ ગાળ દીધી, તો એ પરાધીન છે. આપણે ‘રેકર્ડ’ છે એવું કહીએ છીએ, એનું શું કારણ કે સામાને ગાળ દેવાની શક્તિ જ નથી, એ તો “વ્યવસ્થિત ને તાબે છે ! એટલે આ ખરેખર ‘રેકર્ડ જ છે. અને એવું જાણો પછી આપણને શાને માટે રીસ ચઢે ? ‘રેકર્ડ” બોલતી હોય કે ‘ચંદુલાલ ખરાબ છે, ચંદુલાલ ખરાબ છે.' તો તેમાં આપણને રીસ ચઢે? આ તો મનમાં એમ લાગે છે કે, આ ‘પેલો’ બોલ્યો એટલે રીસ ચઢે છે ! ખરેખર ‘પેલો’ બોલતો જ નથી. એ રેકર્ડ બોલે છે અને એ તો જે તમારું હોય તે જ તમને પાછું આપે છે.
કેવી સરસ કુદરતની ગોઠવણી છે ! આ બહુ જ સમજવા જેવું છે! અક્રમ વિજ્ઞાને તો બધા બહુ ફોડ પાડી દીધા છે. ‘વ્યવસ્થિત'ની તો આ નવી જ વાત છે !
દાદાશ્રી : કર્મ બાંધે તો તો પાછો આવતો ભવ થયા વગર રહે નહીં ! એટલે કર્મ બાંધે તો આવતા ભવમાં જવું પડે ! પણ ભગવાન મહાવીરને આવતા ભવમાં જવું નહોતું પડ્યું ! તો કંઈક રસ્તો તો હશેને? કર્મ કરીએ છતાં કર્મ ના બંધાય એવો ?
પ્રશ્નકર્તા : હશે.
અકર્મદશાનું વિજ્ઞાન પ્રશ્નકર્તા કોઈ પણ ખોટું કામ કરીએ, એટલે કર્મ તો બંધાય જ એવું હું માનું છું.
દાદાશ્રી : તો સારા કર્મનું બંધન નથી ? પ્રશ્નકર્તા : સારું ને ખોટું બેઉથી કર્મ બંધાયને ?
દાદાશ્રી : અરે ! અત્યારે હઉં તમે કર્મ બાંધી રહ્યા છો ! અત્યારે તમે બહુ ઊંચું પુણ્યનું કર્મ બાંધી રહ્યા છો ! પણ કર્મ ક્યારેય બંધાય નહીં એવો દિવસ નથી આવતો ને ? એનું શું કારણ હશે ?
પ્રશ્નકર્તા: કંઈ પ્રવૃત્તિ તો કરતા જ હઈશું ને સારી અગર ખરાબ ?
દાદાશ્રી : હા, પણ કર્મ બંધાય નહીં એવો રસ્તો નહીં હોય ? ભગવાન મહાવીર શી રીતે કર્મ બાંધ્યા વગર છૂટ્યા હશે ? આ દેહ હોય
દાદાશ્રી : તમને એવી ઇચ્છા થાય છે કે કર્મ ના બંધાય ? કર્મ કરવા છતાં કર્મ બંધાય નહીં એવું વિજ્ઞાન હોય છે, એ વિજ્ઞાન જાણો એટલે છૂટો થાય !
કર્મ નડતાં નથી.... પ્રશ્નકર્તા : આપણાં કર્મના ફળને લીધે આ જન્મ મળે છે ને ?
દાદાશ્રી : હા, આ આખી જિંદગી કર્મનાં ફળ ભોગવવાનો છે ! અને એમાંથી નવાં કર્મ ઊભાં થાય છે, જો રાગ-દ્વેષ કરે તો ! જો રાગવૈષ ના કરે તો કશુંય નથી. કર્મનો વાંધો નથી, કર્મ તો આ શરીર છે એટલે થવાનાં જ. પણ રાગ-દ્વેષ કરે છે, તેનો વાંધો છે. વીતરાગો શું કહે છે. કે વીતરાગ થાવ ! આ જગતમાં કંઈ પણ કામ કરો છો, તેમાં કામની કિંમત નથી. પણ એની પાછળ રાગ-દ્વેષ થાય તો જ આવતા ભવનો હિસાબ બંધાય છે. રાગ-દ્વેષ થતા ના હોય તો જવાબદાર નથી ! આખો દેહ, જન્મથી તે મરણ સુધી ફરજિયાત છે. એમાંથી રાગ-દ્વેષ જે થાય છે, એટલો જ હિસાબ બંધાય છે. એટલે વીતરાગો શું કહે છે કે વીતરાગ થઈને ચાલ્યા જાવ !
અમને તો કોઈ ગાળ ભાંડે તો અમે જાણીએ કે એ અંબાલાલ પટેલને ગાળો ભાંડે છે, પુદ્ગલને ગાળો ભાંડે છે. આત્માને તો એ જાણી