SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ આપ્તવાણી-૬ ૧૨૧ જો સમજે તો ઉકેલ લાવી નાખે તેવું છે. એક અવતારમાં કરોડો અવતારનાં પરિણામો નાશ થાય તેવું છે ! પ્રશ્નકર્તા : પણ આ ડિસ્ચાર્જમોહનો અંત ક્યારે આવશે ? દાદાશ્રી : જયાં સુધી આ દેહ છે ત્યાં સુધી ડિસ્ચાર્જમોહ રહેવાનો. અને મારી આજ્ઞા પાળી છે, તેનો બીજો મોહ ઊભો કર્યો છે તે એક અવતાર માટે તમને કામ લાગશે. [૧૭] કર્મફળ - લોકભાષામાં, જ્ઞાતીતી ભાષામાં ! પ્રશ્નકર્તા : બધું અહીંનું અહીં ભોગવવાનું છે, એમ કહે છે. તે શું છે ? દાદાશ્રી : હા, ભોગવવાનું અહીનું અહીં જ છે, પણ તે આ જગતની ભાષામાં. અલૌકિક ભાષામાં એનો અર્થ શો થાય ? ગયા અવતારે કર્મ અહંકારનું, માનનું બંધાયેલું હોય, તે આ અવતારમાં એનાં બધાં બિલ્ડિંગ બંધાતાં હોય, તો પછી એ એમાં માની થાય. શાથી માની થાય છે ? કર્મના હિસાબે એ માની થાય છે. હવે માની થયો, તેને જગતના લોક શું કહે છે કે, ‘આ કર્મ બાંધે છે, આ આવું માન લઈને ફર્યા કરે છે.’ જગતના લોકો આને કર્મ કહે છે. જ્યારે ભગવાનની ભાષામાં આ કર્મનું ફળ આવ્યું. ફળ એટલે માન ના કરવું હોય તોય કરવું જ પડે, થઈ જ જાય. અને જગતના લોકો જેને કહે કે આ ક્રોધ કરે છે, માન કરે છે, અહંકાર કરે છે, હવે એનું ફળ અહીંનું અહીં જ ભોગવવું પડે છે. માનનું ફળ અહીંનું અહીં શું આવે કે અપકીર્તિ ફેલાય, અપયશ ફેલાય. તે અહીં જ ભોગવવું પડે. આ માન કરીએ તે વખતે જો મનમાં એમ હોય કે આ ખોટું થઈ રહ્યું છે, આવું ના હોવું જોઈએ, આપણે નિર્માની થવાની જરૂર છે, એવા ભાવ હોય તો તે નવું કર્મ બાંધે છે. તેના હિસાબે આવતે ભવે
SR No.008828
Book TitleAptavani 05 06
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year
Total Pages222
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size71 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy