________________
આપ્તવાણી-૬
૧૧૩
૧૧૪
આપ્તવાણી-૬
‘વ્યવસ્થિત’ને તાબે છે. અહીં પ્રેરણા ‘વ્યવસ્થિત’ આપશે. એટલે તમારે તો ‘હું શુદ્ધાત્મા છું” એમાં તમે રહો. અને આ ‘ચંદુભાઈ’નું શું થયા કરે છે. ‘ચંદુભાઈ” શું કરે છે એ તમે જોયા કરો. બસ આટલું થઈ ગયું એટલે ‘તમે” પૂર્ણ થયા. બેઉ પોતપોતાનું કામ કર્યા કરે, ‘ચંદુભાઈ ‘ચંદુભાઈનું કામ કરે. એમાં હવે ડખલ ના કરો, એટલે તમે કોશેટાની બહાર નીકળી ગયા. એક જ દહાડો ‘તમે” ડખલ ના કરો, તો તમને સમજાશે કે ઓહોહો! હું કોશેટાની બહાર નીકળી ગયો.'
એક જ દહાડો રવિવારે તમે આનો અખતરો તો કરી જુઓ. તમે જે પાંચ ઘોડાઓની નાડ (લગામ) ઝાલી છે, તેને છોડી અને મને ઝાલવા દોને ! પછી તમે નિરાંતે રથમાં બેસો અને કહેવું કે, ‘દાદા, આપને જેવું હાંકવું હોય તેવું હાંકો, અમે તો આ નિરાંતે બેઠા !' પછી જુઓ, તમારો રથ ખાડામાં નહીં પડે. આ તો તમને હાંકતાં આવડે નહીં ને તમે જે હાંકવા જાવ છો. તેથી ‘સ્લોપ’ આવે ત્યારે લગામ ઢીલી મુકો છો અને ઊંચે ચઢવાનું આવે ત્યારે ખેંચ ખેંચ કરો છો ! તે આ બધું વિરોધાભાસી છે. બાકી મેં જે આત્મા આપ્યો છે ને, તે કોશેટાની બહાર તમે નીકળી જ ગયેલા છો !
પણ હવે ઉપયોગ તમારે ગોઠવવો પડે. એટલે આત્મા તમને આપ્યો છે પણ આત્માનો ઉપયોગ એવી વસ્તુ છે કે સ્લીપ થવાનો ઉપયોગ તો સહેજે રહે છે એને ! એટલે આ ઉપયોગ ગોઠવવાનો. એની પોતે જાગૃતિ રાખવી પડે, પુરુષાર્થ કરવો પડે. કારણ પોતે પુરુષ થયો
કહે છે. તમે પાંસરી રીતે જમો તો તમારું શરીર સારું રહે. ઊલટા એને અક્કલ વગરની કહીને ડફળાવો છો શું કરવા ?” ત્યારે શેઠે કહ્યું કે એની વાત તો ખરી છે. હું જ્યારે જમવા બેસું છું ત્યારે મારું ચિત્ત મિલમાં હોય છે, ત્યાં સેક્રેટરી જોડે વાતો કર્યા કરે ને અહીં આગળ આ ધોકડું ખાયા કરે ! આને સ્લીપ થયેલો ઉપયોગ કહેવાય.
પછી શેઠને કહ્યું, ‘શેઠ, આ તમારો ઉપયોગ સ્લીપ થયો. તેનાથી શું થશે જાણો છો ? ચિત્ત “એબ્સન્ટ’ હોય તે વખતે તમે ખાવાનું ખાવ, તો ‘હાર્ટફેઈલ'નાં સાધન ઊભાં થાય ! જમતી વખતે ચિત્ત “એબ્સન્ટ’ તો ક્યારેય પણ રખાય નહીં !
ત્યારે શેઠ કહે, “મારું ચિત્ત તો ‘એબ્સન્ટ જ રહે છે, મને કંઈ રસ્તો બતાવો.” તે પછી મેં તેમને રસ્તો બતાવ્યો કે “કેમ કરીને ચિત્ત હાજર રહે,' હવે એ શેઠને પૈસા ગણવા આપ્યા હોય તો શું થાય ?
પ્રશ્નકર્તા : ખાવાનુંય ભૂલી જાય.
દાદાશ્રી : તે વખતે તેમનો ઉપયોગ પૈસા ગણવામાં જ હોય. એક વાણિયાના છોકરાને નોકરીમાં છસોનો પગાર હતો. તેને મેં પૂછયું કે ‘એક-એકની નોટો પગારમાં તને આપે તો તું શું કરું ?” ત્યારે એ કહે કે “હું ગણીને લઉં ! ‘અલ્યા, છસો નોટો તું ક્યારે ગણી રહે ? આનો પાર ક્યારે આવે ?” ત્યારે હોરો પેણે કોઈ શિકારી હોય તે ઝાપટ મારીને ચાલતો થઈ જાય અને આ રૂપિયા ગણવામાં તું ઉપયોગ રાખે તો, તારો કેટલો ટાઈમ બગડે ? બહુ ત્યારે પાંચ રૂપિયા ઓછા નીકળશે. બીજું તો શું થશે ? અને આ લોકો ઓછી નોટો આપે જ નહીં ને ? બધા ગણી ગણીને લે છે એવું એ જાણે. આપણા જેવા તો કો'ક જ પુણ્યશાળી હોય કે જે ગણ્યા વગર લે. એટલે આપણું તો એમ ને એમ નીકળી જાય. આમાં ટાઈમ કોણ વેસ્ટ કરે ? ત્યારે એ કહે કે, ‘પાંચ-પાંચ પૈસા હોય તોય હું ગણીને લઉં !' ધનભાગ છે આનાં !!! આમ ઉપયોગ વેડફાઈ જાય છે, સ્લીપ થાય છે.
હવે સ્લીપ થવાનો ઉપયોગ કોને કહેવાય ? એક મિલમાલિક શેઠ હતા. તે મારી જોડે જમવા બેઠા. તેમનાં વાઈફ સામાં આવીને બેઠાં. મેં કહ્યું, ‘કેમ આમ તમે સામાં આવીને બેઠાં છો ?” ત્યારે શેઠાણી કહે, “આ પાંસરી રીતે રોજ જમતા નથી. તે આજ તમે આવ્યા છો, તો કંઈક પાંસરી રીતે જમે. એટલા હારું હું બેઠી છું !”
ત્યારે શેઠ કહે, ‘ઊઠ, ઊઠ, તું તો અક્કલ વગરની છે.’ હું સમજી ગયો બધું કે ‘શેઠ કેવા હશે ?” મેં શેઠને કહ્યું, શેઠાણી તમારા હિતને માટે
શુદ્ધાત્મામાં ઉપયોગ હશે તો તે બધી જગ્યાએ હેલ્પ કરશે. ખવાય,