________________
આપ્તવાણી-૬
આપ્તવાણી-૬
નથી. મારો મોક્ષ મારી પાસે છે.' નિરાકુળતા ઉત્પન્ન થાય, પછી શું રહે બાકી ? નહીં તો ચિંતા-વરીઝ ભટકાય ભટકાય કરે. ‘ઇગોઇઝમ” ભટકાય ભટકાય કરે છે.
અહંકારતા પડધા - વ્યવહારમાં !
અહંકાર આંધળો બનાવનારો છે. જેટલો અહંકાર વધારે એટલો આંધળો વધારે.
પ્રશ્નકર્તા : કાર્ય કરવા માટે તો અહંકારની જરૂર પડવાની જ ને?
દાદાશ્રી : નહીં, એ નિર્જીવ અહંકાર જુદો છે. એને અહંકાર કહેવાય જ નહીં ને ? એને લોકોય અહંકારી ના કહે.
પ્રશ્નકર્તા : તો ક્યો અહંકાર નુકસાનકારક ?
દાદાશ્રી : આ તમે બધા જાણો છો કે ‘હું જ્ઞાની છું.’ પણ બહાર વ્યવહારમાં લોકો ઓછા જાણે છે કે હું જ્ઞાની છું.' છતાં મારામાં લોકો એક પણ એવું નહીં દેખે કે જેથી કરીને લોક મને અહંકારી કહે. જ્યારે તમને તેમ કહેશે. આ અહંકારે જ દાટ વાળ્યો છે.
પ્રશ્નકર્તા : પણ આ અહંકારથી બધો વ્યવહાર ચાલતો હોય છે ને ?
દાદાશ્રી : અહંકારથી વ્યવહાર નથી ચાલતો. અહંકાર પ્રમાણની બહાર ના જવો જોઈએ, નહીં તો તે નુકસાન કરે.
પ્રશ્નકર્તા : લોકોને અમારા જૂના અહંકારના પડઘા પડી ગયેલા. તેથી અમને અહંકારી જ દેખે.
કરતો હતો, તોય લોકોએ તને ઓળખ્યો નહીં, ત્યાં સુધી તને લોકો શાહુકાર કહેતા હતા. હવે તું ચોર નથી. શાહુકાર થઈશ તોય દસ વર્ષ સુધી ચોરનો પાછલો પડઘો પડ્યા કરશે. માટે તું દસ વર્ષ સુધી સહન કરજે. પણ હવે તું ફરી ચોરીઓ કરતો ના થઈ જઈશ. કારણ મનમાં એવું લાગે કે, “આમેય મને લોક ચોર કહે છે જ, માટે ચોરી જ કરો ને ! એવું ના કરીશ.”
પોલમ્પોલ ચાલ્યું જાય એવું નથી. અમારેય જ્ઞાન થતાં પહેલાંના પડઘા અમારા સગાંસંબંધીઓને રહ્યા કરે !
પ્રશ્નકર્તા : તો એ પડઘા જલદી જાય કેમ ?
દાદાશ્રી : ધીમે ધીમે જવા જ માંડ્યા છે. અહીંથી ગાડી ઊપડી એને લોકો શું કહે છે ? ગાડી મુંબઈ ગઈ.
પ્રશ્નકર્તા : એક ‘પેસેન્જર' ને એક ‘રાજધાની એક્સપ્રેસ' જાય છે. અમારે તો “રાજધાની એક્સપ્રેસ” જોઈએ.
દાદાશ્રી : આ તો ઉતાવળિઓ સ્વભાવ છે. તમે કાચી ખીચડી રાખો તો બધાને કાચું ખાવું પડે. એટલે આવું જમણ હોય ત્યાં આપણે ધીરજલાલ'ને(!) બોલાવવો (ધીરજ રાખવી) !
પરિણામ પરસત્તામાં પ્રશ્નકર્તા : ખોટું કરવાવાળાને બધો ખ્યાલ આવી જાય, તોય ખોટું કેમ કરે છે ?
દાદાશ્રી : ખોટું થાય છે, એ તો પરપરિણામ છે. આપણે આ ‘બોલ’ અહીંથી નાખીએ પછી આપણે એને કહીએ કે હવે તું અહીંથી આઘો ના જઈશ, નાખ્યો ત્યાં જ પડી રહેજે. એવું બને ખરું? ના બને. નાખ્યા પછી ‘બોલ’ પર પરિણામમાં જાય. એટલે જેવી રીતે કર્યા હશે, એટલે કે ત્રણ ફૂટ ઊંચેથી નાખ્યો હોય તો પરિણામ બે ફૂટનાં આવે. દસ ફૂટનાં પરિણામ સાત ફૂટ આવે. પણ એ પરિણામ એની મેળે બંધ જ થઈ જવાનાં છે, આપણે જો ફરીથી એમાં હાથ ના ઘાલીએ તો !
પ્રશ્નકર્તા : તે વખતે એમ કહી શકાય કે પરાપૂર્વથી ખોટું કરતો
દાદાશ્રી : તમારા જૂના અહંકારના પડઘા જ્યાં સુધી ના ભૂંસાય, ત્યાં સુધી તમારે રાહ જોવી પડશે.
એક સારા આબરૂદાર ઘરનો છોકરો હતો. પણ તેને ચોરીની કુટેવ પડી ગયેલી. તેણે ચોરી બંધ કરી દીધી. પછી મારી પાસે આવીને એ કહે, ‘દાદા, હજુ લોકો મને ચોર કહે છે.' ત્યારે મેં એને કહ્યું, “તું દસ વર્ષથી ચોરી