SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ આપ્તવાણી-૬ આવ્યો છે, માટે ખોટામાં ખેંચાયા કરે છે ? દાદાશ્રી : એવું કશું નથી. આ બધું ‘વ્યવસ્થિત’ને તાબે છે. એટલે એમાં એનો દોષ નથી. ફક્ત એણે એટલું સમજી લેવું જોઈએ કે ‘હું કોણ છું.’ એ સમજ્યો ત્યારથી છૂટકારાનો દમ મળે. આ સમજતો નથી, એટલે આ બધું બંધન થયા કરે છે. આ આપણું ‘સાયન્સ' છે, ટૂંકું ‘સાયન્સ' છે. જો ‘જ્ઞાનીપુરુષ’ મળે ને “જ્ઞાન” મળે તો વાત ટૂંકી છે અને ‘જ્ઞાની પુરુષ’ ના મળે તો કશું કામ થાય નહીં. ‘જ્ઞાની પુરુષ' ના મળે તો ઊર્ધ્વગતિ કરાવડાવે. પુણ્ય બંધાવડાવે, પણ છૂટકારો ના થાય. [૧૧] માનવ-સ્વભાવમાં વિકારો હેય, આત્મ-સ્વભાવમાં વિકારો શેય ! પ્રશ્નકર્તા : સ્વરૂપનું જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી મનમાં વિકારો રહે છે. તેનું કારણ શું ? દાદાશ્રી : મનના વિકારો તો જોય છે, એટલે એ જોવાની વસ્તુ છે. પહેલાં આપણે માનવસ્વભાવમાં હતા. તેમાં આ સારું ને આ ખોટું, આ સારા વિચાર ને આ ખોટા વિચાર એમ હતું. હવે આત્મસ્વભાવમાં આવ્યા એટલે બધા એક જ વિચાર ! વિચાર માત્ર શેય છે ને “આપણે” જ્ઞાતા છીએ. શેય-જ્ઞાતાનો સંબંધ છે. પછી ક્યાં રહી ડખલ, તે કહો ? પ્રશ્નકર્તા : એ રીતે આત્મષ્ટિથી જોવા માટે કંઈ પુરુષાર્થ કરવો પડે છે કે એની મેળે જ જોવાય છે ? દાદાશ્રી : એની મેળે જ દેખાય ! અમે જે જ્ઞાન આપ્યું છે તેનાથી રીલેટિવ’ અને ‘રીયલ” ને જુઓ, “રીલેટિવ' બધી વિનાશી ચીજો છે ને ‘રીયલ' બધી અવિનાશી છે. આ બધાં જોય જે દેખાય છે તે બધાં વિનાશી શેયો છે. સ્થળ સંયોગો, સૂક્ષ્મ સંયોગો, એ વિનાશી સંયોગો છે. આ બધું અહીં સત્સંગમાં આવીને પૂછી લેવું જોઈએ ને ફોડ પાડી લેવા જોઈએ. તો દરેક બાબતનું લક્ષ રહે ને લક્ષ રહે એટલે પછી કશું કરવાનું રહેતું નથી. સ્વરૂપનું જ્ઞાન પ્રાપ્ત થયા પછી કશું કરવાનું ના હોય. જ્ઞાન જ્ઞાનમાં જ રહે.
SR No.008828
Book TitleAptavani 05 06
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year
Total Pages222
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size71 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy