________________
આપ્તવાણી-૬
૭૩
દાદાશ્રી : એ સુખબુદ્ધિ આત્માને નથી. જે આત્મા મેં તમને આપ્યો છે, એમાં સુખબુદ્ધિ જરાય નથી. આ સુખ એણે કોઈ દહાડો ચાખ્યું પણ નથી. એ જે સુખબુદ્ધિ છે તે અહંકારને છે.
સુખબુદ્ધિ થાય તેનો કંઈ વાંધો નથી. સુખબુદ્ધિ એ વસ્તુ આત્માની નથી, એ પુદ્ગલની વસ્તુ છે. જે કોઈ પણ વસ્તુ તમને આપે, તેમાં તમને સુખબુદ્ધિ ઉત્પન્ન થાય. ફરી એની એ વસ્તુ વધારે આપે તેમાં દુઃખબુદ્ધિય ઉત્પન્ન થાય. એવું તમે જાણો કે ના જાણો ?
પ્રશ્નકર્તા : હા. કંટાળો આવે પછી.
દાદાશ્રી : માટે એ પુદ્ગલ છે પૂરણ-ગલનવાળી વસ્તુ છે. એટલે એ કાયમની વસ્તુ નથી. ‘ટેમ્પરરી એડજસ્ટમેન્ટ’ છે. સુખબુદ્ધિ એટલે આ કેરી સારી હોય ને તેને ફરી માગીએ, તેથી કંઈ તેમાં સુખબુદ્ધિ ગણાતી નથી. એ તો દેહનું આકર્ષણ છે.
પ્રશ્નકર્તા : દેહનું ને જીભનું આકર્ષણ બહુ રહ્યા કરે.
દાદાશ્રી : એ આકર્ષણ રહ્યા કરે છે, તેમાં ફક્ત જાગૃતિ રાખવાની છે. અમે તમને જે વાક્ય આપ્યું છે ને કે ‘મન, વચન, કાયાની તમામ સંગી ક્રિયાઓથી હું તદ્ન અસંગ જ છું.’ એ જાગૃતિ રહેવી જોઈએ. અને ખરેખર ‘એક્ઝેક્ટલી’ એમ જ છે. એ બધું પૂરણ-ગલન છે. તમે આ જાગૃતિ રાખો તો તમને બંધ નથી.
પ્રશ્નકર્તા : એ ના રહે, તો એ આપણા ચારિત્રનો દોષ છે એમ ગણીએ ?
દાદાશ્રી : એ ‘ક્રમિક માર્ગ'માં હોય.
પ્રશ્નકર્તા : પણ એ ચારિત્રમોહને લીધે ઢીલાશ રહે.
દાદાશ્રી : એ ‘ક્રમિક માર્ગ'માં ઢીલાશ કહેવાય. એના માટે તમારે ઉપાય કરવો પડે. આમાં (અક્રમમાં) તમારે ઢીલાશ ના કહેવાય. આમાં તમારે જાગૃતિ જ રાખવાની. અમે જે આત્મા આપેલો છે એ જાગૃતિ જ છે.
૩૪
આપ્તવાણી-૬
પ્રશ્નકર્તા : જાગૃતિ ના હોય એટલે રાગ થાય ને ?
દાદાશ્રી : ના એવું નથી. હવે તમને રાગ થાય જ નહીં. આ થાય છે તે આકર્ષણ છે.
પ્રશ્નકર્તા : આ થાય છે તે આકર્ષણ છે, એ નબળાઈ ના ગણાય ?
દાદાશ્રી : ના, નબળાઈ ના ગણાય. એને ને આત્માને કશી લેવાદેવા નથી. ફક્ત તમને પોતાનું સુખ આવવા ના દે. એટલે એક-બે અવતાર વધારે કરાવડાવે, તેનો ઉપાય પણ છે. અહીં આપણે આ બધા છે તે ‘સામાયિક’ કરે છે. તે સામાયિકમાં એ વિષયને મૂકીને પોતે ધ્યાન કરે તો એ વિષય ઓગળતો જાય, ખલાસ થઈ જાય. જે જે તમારે ઓગાળી નાખવું હોય, તે અહીં ઓગાળી શકાય.
પ્રશ્નકર્તા : એવું કંઈક હોય તો તે કામનું ને !
દાદાશ્રી : છે. અહીં બધું જ છે. અહીં તમને બધું જ દેખાડશે. તમને કોઈ જગ્યાએ જીભનો સ્વાદ નડતો હોય, તે જ વિષય ‘સામાયિક’માં મૂકવાનો. અને આ દેખાડે એ પ્રમાણે તેને જોયા કરવાનું. ખાલી જોવાથી જ બધી ગાંઠો ઓગળી જાય.
વિચાર આવ્યા સિવાય કોઈ દહાડો આકર્ષણ થાય નહીં. આકર્ષણ થવાનું થાય ત્યારે મહીં વિચાર આવે. વિચાર મનમાંથી આવે છે અને મન ગાંઠોનું બનેલું છે. જેના વિચારો વધારે આવે તે, ગાંઠ મોટી હોય.
સંસાર ચલાવવા આત્મા અકર્તા
મહીં ભાવ જે થાય છે તે ભાવક કરાવડાવે છે, મહીં ભાવક, ક્રોધક, લોભક, માનક છે. આ બધા બેઠા છે, તે ભાવ કરાવે છે. તેમાં જો ભાવ્ય ભળે, ભાવ્ય એટલે આત્મા (પ્રતિષ્ઠિત) જો ભળે તો ચિતરામણ નવું થાય.
આ સંસાર જે છે તે આત્માની હાજરીથી ચાલે છે. આત્મા જરાય ભળે નહીં તોય એ ચાલે એવો છે. તેથી અમે આ ‘વ્યવસ્થિત’ની શોધખોળ કરી છે. ‘ક્રમિક’માં તો એમ જાણે છે કે આત્માએ ચલાવ્યા વગર ચાલે