SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ આપ્તવાણી-૬ આપ્તવાણી-૬ પ્રશ્નકર્તા : અરે, એક દહાડો હોય ? આજથી જ લઈને, કાલ કોણે દીઠી છે ? માટે એવી શક્તિ આપો કે જે થોડાં કર્મ બાકી રહ્યાં હોય, તેને અમે પહોંચી વળીએ ને બુદ્ધિ અવળે રસ્તે ન જાય. દાદાશ્રી : અહીં આવતા રહોને કલાક-કલાક જેટલું, તે એટલું ઓગળતું ઓગળતું પછી ખલાસ થઈ જાય. જ્ઞાત'થી શંકા શમાય ! દાદાશ્રી : અને તમે એકલા જ જાણતા હો, તે બીજાને શું થાય ? પ્રશ્નકર્તા : એ તો આરામથી સૂઈ રહે ! દાદાશ્રી : ત્યારે ભગવાને કહ્યું કે પેલો આરામથી સૂઈ રહ્યો છે, તો તું કેમ નથી સૂતો ? ત્યારે એ કહે, ‘મેં સાપ પેસતાં જોયો છે, નીકળતો જોઉં ત્યારે સુઈ જાઉં.' તે પેસતાનું જ્ઞાન થયું છે. નીકળ્યાનું જ્ઞાન થાય. તો છૂટાય. પણ જ્યાં સુધી મનમાં પેલી શંકા રહે ત્યાં સુધી ના છૂટાય. પ્રશ્નકર્તા: નીકળતાં જોયો નથી, ત્યાં સુધી શંકા શી રીતે જાય ? દાદાશ્રી : ‘જ્ઞાની”ના “જ્ઞાન”થી શંકા જાય ! કશું કોઈથી સાપથીય અડાય નહીં, એવું આ જગત છે. ‘અમે' જ્ઞાનમાં જોઈને કહીએ છીએ કે આ જગત એક ક્ષણવાર અન્યાયને પામ્યું નથી. જગતની કોર્ટો, ન્યાયાધીશો, લવાદો બધું અન્યાયને પામે, પણ જગત અન્યાયને નથી પામ્યું. માટે શંકા ના કરશો. પ્રશ્નકર્તા : ઘણાં માણસો એવા હોય છે કે જેને માટે અભિપ્રાય બંધાયેલો હોય કે “આ માણસ સારો છે, આ લબાડ છે, આ લુચ્ચો છે, આ મારો બેટો કાતરવા જ આવ્યો છે.’ દાદાશ્રી : અભિપ્રાય બંધાય એ જ બંધન. અમારા ગજવામાંથી કાલે કોઈ રૂપિયા કાઢી ગયું હોય અને આજે એ પાછો અહીં આવે તો અમને શંકા ના રહે કે એ ચોર છે. કારણ કે કાલે એના કર્મનો ઉદય એવો હોય. આજે એનો ઉદય કેવો હોય, તે શું કહેવાય ? પ્રશ્નકર્તા : પણ પ્રાણ ને પ્રકૃતિ સાથે જાય. દાદાશ્રી : એ પ્રાણ ને પ્રકૃતિ નહીં જોવાની. આપણે એની સાથે લેવાદેવા નથી, એ કર્મને આધીન છે બિચારો ! એ એનાં કર્મ ભોગવી રહ્યો છે, આપણે આપણાં કર્મને ભોગવી રહ્યા છીએ. આપણે ચેતતા રહેવું પડે. પ્રશ્નકર્તા : એ વખતે એના પ્રત્યેનો સમભાવ રહે કે નાય રહે. દાદાશ્રી : અમારા કહ્યા પ્રમાણે તમે કરો તો તમારું કામ થઈ જાય કે આ બધું કર્મના આધીન છે. અને આપણું જવાનું હોય તો જ જાય. માટે તમારે ગભરાવાનું કોઈ કારણ નથી. અંધારી રાતે ગામડામાં દીવાના પ્રકાશમાં ઓરડીમાં સાપ પેસતો જોયો, પછી તમારાથી ઊંઘી શકાય કે ? પ્રશ્નકર્તા : ના, ભય લાગે. પ્રશ્નકર્તા એટલે ભય રાખવો નહીં ? સાપ જોયો તે ભલે જોયો, પણ એનો ભય રાખવો નહીં. દાદાશ્રી : ભય ના રાખ્યો રહે નહીં, એ તો પેસી જાય. મહીં શંકા કર્યા જ કરે. કશું કોઈથી વળે એવું નથી. જ્ઞાનમાં રહેવાથી શંકા જાય. ઉપાયમાં ઉપયોગ શાને ? આ જગતમાં કોઈ એવો જભ્યો જ નથી કે જે તમારું નામ દે ! અને નામ દેનારો હશે, તેને તમે લાખો લાખો ઉપાય કરશો તો તમારું કશું વળવાનું નથી. માટે કઈ બાજુ જવું હવે ? લાખો ઉપાય કરવામાં પડી રહેવું? ના, કશું વળશે નહીં. માટે બધાં કામ પડતાં મૂકી આત્મા ભણી જાવ. પ્રશ્નકર્તા : એટલે મૂળ વાત જ આવીને ઊભી રહી. દાદાશ્રી : હા, જે બને તેને ‘જોયા’ કરો કે શું થાય છે ? એ ‘પરી’ ને ‘પરાધીન’ વસ્તુ છે. અને જે બની રહ્યું છે એ જ ન્યાય થઈ રહ્યો છે ને
SR No.008828
Book TitleAptavani 05 06
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year
Total Pages222
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size71 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy