________________
આપ્તવાણી-૬
એ જ ‘વ્યવસ્થિત’ છે. સારા માણસને ફાંસીએ ચઢાવે એ પણ ન્યાય જ છે અને નઠારો છૂટી ગયો એ પણ ન્યાય છે. આપણને એ જોતાં નથી આવડતું, તે સારો કોણ ને નઠારો કોણ ? આપણને કેસ તપાસતાં નથી આવડતું. આપણે આપણી ભાષામાં કેસ ગણીએ છીએ !
તિજ સ્પંદતે - પામે પરિભ્રમણ !
૪૧
પ્રશ્નકર્તા : તો પછી ‘સાચું છે, ખોટું છે', એવો અર્થ કરવો જ નહીં એવું થયું ને ?
દાદાશ્રી : સાચું-ખોટું એ બધી સમજણ વગરની વાતો છે. પોતાની સમજણથી પોતે ન્યાયાધીશ થઈ બેઠો છે.
કિંચિત્માત્ર તમને કશું કોઈ કરી શકે એમ છે જ નહીં, જો તમે કોઈનામાં સળી ના કરો તો. એની હું તમને ગેરન્ટી લખી આપું છું. અહીં નર્યા સાપ પડ્યા હોય, તોય કોઈ તમને અડે નહીં એવું ગેરન્ટીવાળું જગત છે.
આ જ્ઞાનીઓ શી રીતે સહીસલામત ને આનંદમાં રહેતા હશે ? કારણ કે જ્ઞાનીઓ જગતને જાણીને બેઠા છે કે ‘કશું જ થવાનું નથી, કોઈ નામ દેનાર નથી. હું જ છું બધામાં, હું જ છું, હું જ છું, બીજું કોઈ છે જ નહીં !'
બહુ સમજવા જેવું જગત છે. લોકો સમજે છે તેવું એ નથી. શાસ્ત્રોમાં લખ્યું છે એવું જગત નથી. શાસ્ત્રોમાં તો પારિભાષિક ભાષામાં છે, તે સામાન્ય માણસોને સમજાય તેવું નથી.
તમારી સળીઓ બંધ થઈ ગઈ તો દુનિયામાં તમને સળી કરનાર કોઈ નથી. તમારી સળીઓનાં જ પરિણામ છે આ બધાં ! તમારી જે ઘડીએ સળીઓ બંધ થઈ જશે, ત્યારે તમારું કોઈ પરિણામ તમારી પાસે નહીં આવે. તમે આખી દુનિયાના, આખા બ્રહ્માંડના સ્વામી છો. કોઈ ઉપ૨ી જ નથી તમારો. તમે પરમાત્મા જ છો. કોઈ તમને પૂછનાર નથી.
૪૨
આપ્તવાણી-૬
આ બધાં આપણાં જ પરિણામ છે. આપણે આજથી કોઈને સ્પંદન કરવાનું, કિંચિત્માત્ર કોઈને માટે વિચાર કરવાનું બંધ કરી દો. વિચાર આવે તો પ્રતિક્રમણ કરીને ધોઈ નાખવાનું, એટલે આખો દિવસ કોઈના સ્પંદન વગરનો ગયો ! એવી રીતે દિવસ જાય તો બહુ થઈ ગયું, એ જ પુરુષાર્થ છે.
܀܀܀܀܀