SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ આપ્તવાણી-૬ ૨૯ આપ્તવાણી-૬ કે ફરી આવું નહીં બોલું. અમે પ્રતિક્રમણ કરવાનું શિખવાડીએ. પ્રશ્નકર્તા ઃ અમે રાયશી અને દેવશી પ્રતિક્રમણ કરીએ છીએ, તે શું ખોટું છે ? દાદાશ્રી : પ્રતિક્રમણ તો ‘શૂટ એટ સાઇટ’ હોવું જોઈએ, ઉધાર ના રખાય. આ ચોપડા ઉધાર ના રખાય. તે પ્રતિક્રમણેય ઉધાર ના રખાય. પ્રશ્નકર્તા: જીવ તો સતત કર્મની વર્ગણા બાંધ્યા જ કરે છે, તો એણે શું સતત પ્રતિક્રમણ કર્યા કરવું ? દાદાશ્રી : હાસ્તો, કરવું જ પડે ! આમાં ઘણા મહાત્માઓ રોજ પાંચસો-પાંચસો પ્રતિક્રમણ કરતા હોય છે ! પ્રશ્નકર્તા: એ તો ભાવ પ્રતિક્રમણ છે, ક્રિયા પ્રતિક્રમણ તો ના થાય ને ? હોય પરંપરિણામ ના હોય, જેનાં વાણી, વર્તન, વિનય મનોહર હોય, આર્તધ્યાન તથા રૌદ્રધ્યાન સર્વીશે ન હોય અને અહંકાર શૂન્ય થવાથી, ટેન્શન નહીં હોવાથી મુક્ત હાસ્ય નિરંતર રહે, અનંતગુણના ભંડાર હોય એનું નામ ‘જ્ઞાની પુરુષ' કહેવાય. પ્રતિક્રમણ-જ્ઞાતીમાં આપણે ગાદી ઉપર સૂઈ ગયા હોય, તો જ્યાં જ્યાં કાંકરા ખેંચે ત્યાંથી તમે કાઢી નાખો કે ના કાઢો ? આ પ્રતિક્રમણ તો, જ્યાં જ્યાં ખૂંચતું હોય ત્યાં જ કરવાનો છે. તમને જ્યાં ખૂંચે છે ત્યાંથી તમે કાઢી નાખો ને તે એમને ખૂંચે છે, ત્યાંથી એ કાઢી નાખે ! પ્રતિક્રમણ દરેક માણસનાં જુદાં જુદાં હોય ! અત્યારે કોઈ માણસ કોઈની ઉપર ઉપકાર કરતો હોય, છતાં એને ઘેર અનાચાર થાય એવા કેસ બને, તો ત્યાં આગળ પ્રતિક્રમણ કરવાં જ પડે. પ્રતિક્રમણ તો, જ્યાં ખૂંચે ત્યાં બધે જ કરવું પડે. પણ દરેકનાં પ્રતિક્રમણ જુદાં જુદાં હોય. મારેય પ્રતિક્રમણ કરવાનાં હોય. મારાં જુદી જાતનાં ને તમારેય જદી જાતનાં હોય. મારી ભૂલ તમને બુદ્ધિથી ના જડે એવી હોય. એટલે એ સૂક્ષ્મતર ને સૂક્ષ્મતમ હોય. તેનાં અમારે પ્રતિક્રમણ કરવાં પડે. અમારે તો ઉપયોગ ચૂક્યા બદલનું પ્રતિક્રમણ કરવું પડે. ઉપયોગ ચુક્યા તે અમારે તો પોષાય જ નહીં ને ? અમારે આ બધાં જોડે વાતો કરવી પડે, સવાલોના જવાબો ય આપવા પડે, છતાં અમારા ઉપયોગમાં જ રહેવાનું હોય. જ્યાં સુધી અમારે સાહજિકતા હોય ત્યાં સુધી અમારે પ્રતિક્રમણ ના હોય. સાહજિકતામાં પ્રતિક્રમણ તમારેય કરવાં ના પડે. સાહજિક્તામાં ફેરા પડ્યો કે પ્રતિક્રમણ કરવું પડે. અમને તમે જયારે જુઓ, ત્યારે સાહજિકતામાં જ દેખો. જ્યારે જુઓ ત્યારે અમે તેના તે જ સ્વભાવમાં દેખાઈએ. અમારી સાહજિકતામાં ફેર ના પડે ! દાદાશ્રી : ના, ક્રિયામાં પ્રતિક્રમણ હોય જ નહીં. બહુ ત્યારે એમાં મન સારું રહે. પ્રશ્નકર્તા : એમાં કર્મ નિર્જરા થાય ખરી કે નહીં ? દાદાશ્રી : નિર્જરા તો દરેક જીવને થઈ રહી છે. પણ એ સારો ભાવ છે કે મારે પ્રતિક્રમણ કરવું છે. એટલે નિર્જરા સારી થાય. બાકી પ્રતિક્રમણ તો ‘ટ’ એટ સાઈટ’ હોવું જોઈએ. તમે કરો છો એ દ્રવ્ય પ્રતિક્રમણ છે, ભાવ પ્રતિક્રમણ જોઈશે. પ્રશ્નકર્તા : દ્રવ્યની સાથે ભાવ હોય ને ? દાદાશ્રી : ના, પણ દ્રવ્ય એકલું થાય છે, ભાવ નથી હોતો. કારણ કે દુષમકાળના જીવોથી ભાવ રાખવો બહુ મુશ્કેલ વસ્તુ છે. એ તો ‘જ્ઞાની પુરુષ'ની કૃપા હોય અને એ માથે હાથ મૂકે, ત્યાર પછી ભાવ ઉત્પન્ન થાય. નહીં તો ભાવ ઉત્પન્ન થાય નહીં. ‘જ્ઞાની પુરુષ' કોને કહેવાય ? કે જેને પરપરિણતિ જ ના હોય. નિરંતર સ્વભાવ-પરિણતિ હોય. રાત્રે-દિવસે ગમે ત્યારે સ્વભાવ પરિણતિ
SR No.008828
Book TitleAptavani 05 06
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year
Total Pages222
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size71 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy