________________
આપ્તવાણી-૬
આપ્તવાણી-૬
ચારિત્ર છે. વ્યવહારચારિત્રનો ફોટો પડે અને આ આત્મચારિત્રનો ફોટો ના પડે. જે છેલ્લાં જ્ઞાન-દર્શનચારિત્ર ને તપ છે, એ ચારેયના ફોટા ના પડે.
પ્રશ્નકર્તા : છેલ્લું તપ કર્યું ?
દાદાશ્રી : અત્યારે તમને કોઈ માણસ ગાળ ભાંડતો હોય તો તે વખતે તમને મારો શબ્દ યાદ આવે ને તે પ્રમાણે નક્કી થાય કે મારે ‘સમભાવે નિકાલ કરવો છે', એનું નામ તપ છે. તે ઘડીએ તપ જ થાય.
બાહ્ય તપ બધાં સ્થળ તપ કહેવાય, એનું ફળ ભૌતિક સુખ મળે. અને આંતરિક તપ એ સૂક્ષ્મ તપ છે, તેનું ફળ મોક્ષ છે.
કોઈ તમને ગાળ ભાંડે, તે વખતે મહીં મન-બુદ્ધિ-ચિત્ત ને અહંકાર બધું તપે, એ તપને તમે ઠંડું થતાં સુધી જોયા કરો, એનું નામ સૂક્ષ્મ તપ કહેવાય.
સાસુ વહુને વઢવઢ કરતી હોય, ને વહુ ડહાપણવાળી હોય તો તેને સૂક્ષ્મ તપ બહુ મળ્યા કરે. હિન્દુસ્તાનમાં આ તપ એની મેળે મફતમાં ઘેર બેઠાં મળ્યા કરે. ઘેર બેઠાં ગંગા છે, પણ આ લોકો લાભ ઉઠાવતા નથી ને ? ધણી આપણને કંઈ કહી દે, તે ઘડીએ આપણે તપ કરવું
નામ તા. એમાં તન્મયાકાર નહીં થવાનું. જગત આખું મન-બુદ્ધિ તપે કે પોતે તપી જાય.
પ્રશ્નકર્તા : એટલે તપ કરવું પડે ? દાદાશ્રી : તપ કરવું નથી પડતું. તપ તો સ્વાભાવિક રીતે થાય જ. પ્રશ્નકર્તા : જ્યાં સુધી તપ થાય છે ત્યાં સુધી અપૂર્ણતા કહેવાય ને ?
દાદાશ્રી : અપૂર્ણતા તો ઠેઠ ‘કેવળજ્ઞાન’ થતાં સુધી અપૂર્ણ જ કહેવાય. મારુંય અપૂર્ણ કહેવાય ને તમારુંય અપૂર્ણ કહેવાય.
તપ કરવાથી પોતાની જ્ઞાનદશાની ડિગ્રીઓ વધે છે. તપ છેલ્લી શુદ્ધતા લાવે છે. સો ટચનું સોનું તો હું પણ ના કહેવાઉં અને તમે પણ ના કહેવાઓ. અને જ્ઞાનીનેય દેહનાં તપ હોય.
પ્રતિક્રમણ - ક્રમિકતાં : અક્રમતાં પ્રશ્નકર્તા : આપે કહ્યું કે “અક્રમમાર્ગ'માં પક્ષાપક્ષી ના હોય, તો ખંડન સિવાય મંડન કઈ રીતે થઈ શકે ?
દાદાશ્રી : આ મંડન કરવાનો માર્ગ જ ના હોય ને ખંડનેય કરવાનો માર્ગ ન હોય. આ તો જેને મોક્ષે જવું હોય તેના માટે જ આ માર્ગ છે અને જેને મોક્ષે ના જવું હોય તેને માટે બીજો રસ્તો. બીજો ધર્મ જોઈતો. હોય તો અમે તે પણ આપીએ છીએ.
ક્રમિક માર્ગથી આગળ જવું એ બહુ કઠોર ઉપાય છે, છતાં એ કાયમનો માર્ગ છે. જ્યારે મનમાં જુદું હોય, વાણીમાં જુદું હોય ને વર્તનમાં જુદું હોય ત્યાં સુધી કોઈ ધર્મ ચાલે નહીં. અત્યારે બધે એવું જ થઈ ગયું છે ને ?
એટલે અમે આ કાળના માણસોને ધર્મ જાણવો હોય તો, એને શું શિખવાડીએ છીએ ?
તારાથી ખોટું બોલાઈ જાય તેનો વાંધો નથી. મનમાં તું જૂઠું બોલ્યો તેનો વાંધો નથી, પણ હવે તું એનું ‘આ’ રીતે પ્રતિક્રમણ કર ને નક્કી કરી
પ્રશ્નકર્તા: ‘અક્રમ વિજ્ઞાન'માં તપની જગ્યા ક્યાં આવી ?
દાદાશ્રી : તપ કરવું એટલે શું ? જે પાછલો હિસાબ ચૂકવવાનો આવે છે તે ચૂકવતી વખતે મીઠાશય આવે અને કડવુંય આવે. મીઠાશ આવે ત્યાં તપ કરવાનું છે ને કડવું આવે ત્યાંય તપ કરવાનું છે. ડિસ્ચાર્જ કર્મ એનું કડવું-મીઠું ફળ આપ્યા વગર તો રહે જ નહીં ને ?
પ્રશ્નકર્તા : આ ભાઈએ મને ગાળ ભાંડી, તો તેની મને તરત ખબર પડે કે આ મારા કર્મનો ઉદય છે. એ નિર્દોષ છે, તો એમાં તપ કોને કહેવું ?
દાદાશ્રી : આ જ્ઞાનથી તપ કરવાનું થયું. આમાં પોતાને તપ કરવું નથી પડતું. મહીં મન, બુદ્ધિ જે તપે છે તેને સમતાપૂર્વક ‘જોયા’ કરવું એનું