________________
આપ્તવાણી-૬
પ્રશ્નકર્તા : બુદ્ધિનું ‘સર્વન્ટ’ તરીકે કામ લેવું કે નહીં ?
દાદાશ્રી : ના. જ્યાં સંપૂર્ણ શુદ્ધ વ્યવહાર છે, એવી આ ‘રૂમમાં પેઠા એટલે બુદ્ધિનું કામ નહીં. અહીં શુદ્ધ વ્યવહાર છે ને બહાર સંસાર વ્યવહાર છે. સંસારમાંય જયાં બુદ્ધિ હેરાન કરે, ત્યાં તેને છોડી દેવાની હોય. ‘વ્યવસ્થિત’ કહ્યા પછી વિકલ્પ કરવાપણું રહેતું નથી. ‘જ્ઞાની પુરુષ'ની આજ્ઞામાં રહે તો તેમને ‘શુદ્ધ વ્યવહાર શું છે ?” તે સમજાઈ જશે.
[3]
આમંત્રેલી કર્મબંધી અમારે અમારી મરજી મુજબનું કર્મ હોય ને તમને કર્મ નચાવે. અમને સ્વતંત્રતા હોય. એટલે અમે નિરાંતે બેસીએ, તમારેય કર્મો ધીમે ધીમે ખલાસ થશે, પછી આપણે બોલાવીએ તોય ના આવે. એ નવરાં નથી. આપણે સહી કરી તેથી આવ્યાં છે, નહીં તો એ આવે જ નહીં ને ? કરાર ઉપર જેવી સહીઓ કરી હોય, ગૂંચવણીવાળું હોય તો તેવું આવે ને ચોખ્યું હોય તો ચોખ્ખું આવે. અરે, સત્સંગમાંથી ઉઠાડીને લઈ જાય, છૂટકો જ નહીં ને?
પ્રશ્નકર્તા : સંબંધ રાખ્યો એ રાગ થયો, એટલે બોલાવે ?
દાદાશ્રી : એ બધું રાગ ને દ્વેષ જ છે. પણ પહેલી આપણે સહીઓ કરી આપી હોય તો જ એને રાગ ઉત્પન્ન થાય, નહીં તો કોઈ નામ દેનાર નથી !
આ ભવમાં અમુક જ સહીઓ ગણાય. તમે જેટલી માનો છો એટલી સહીઓ નથી હોતી. સહીઓ તો ટાઈપ થઈને ફરી ટાઈપ થાય ત્યારે સહીઓ ગણાય એટલે એટલી બધી ના હોય.
તપતા તાપણે તરી શુદ્ધતા વ્યવહારચારિત્રથી માંડીને ઠેઠ આત્મચારિત્ર સુધીનાં ચારિત્ર છે. જ્ઞાન-દર્શન-ચારિત્ર અને તપ. એમાં આત્મચારિત્ર છે, તે છેલ્લામાં છેલ્લું