________________
આપ્તવાણી-૬
કોઈ નથી' એમ કરી કરીને ‘એન્કરેજમેન્ટ’ આપું છું. આ જગતમાં હંમેશાં ‘પોઝિટિવ’ લો. ‘નેગેટિવ’ તરફ ચાલશો નહીં. ‘પોઝિટિવ’નો ઉપાય થશે. હું તમને ડાહ્યો કહું ને જો વધારે પડતો અહંકાર તમારો ખસ્યો, તો મને તમને થાપોટ મારતાંય આવડે, નહીં તો એ અવળે રસ્તે ચાલે અને એને ‘એન્કરેજ’ ના કરીએ તો એ આગળ વધેય નહીં.
૨૩
‘અહંકાર નુકસાનકર્તા છે’ એવું જાણી લો, ત્યારથી જ બધું કામ સરળ થાય. અહંકારનું રક્ષણ કરવા જેવું નથી. અહંકાર પોતે જ રક્ષણ કરી લે એવો છે.
વ્યવહારનો અર્થ શો ? આપીને લો અગર તો લઈને આપો એનું નામ વ્યવહાર. ‘હું’ કોઈને આપતોય નથી ને ‘હું’ કોઈનું લેતો નથી. મને કોઈ આપતું ય નથી. ‘હું’ મારા સ્વરૂપમાં જ રહું છું.
વ્યવહાર એવો બદલો કે આપણે આપીને લેવાનું છે. એટલે પાછો આપવા આવે તે ઘડીએ જો પોસાતું હોય તો આપો.
આપણે વાવમાં જઈને કહીએ કે, ‘તું બદમાશ છે.’ તો વાવ પણ કહેશે, ‘તું બદમાશ છે’ અને આપણે કહીએ કે, ‘તું ચૌદ લોકનો નાથ છે.’ તો તે પણ આપણને કહે કે, ‘તું ચૌદ લોકનો નાથ છે.' માટે આમાં આપણને જેવું ગમે છે તે બોલવું. એવું ‘પ્રોજેક્ટ’ કરો કે તમને ગમે. આ બધું તમારું જ પ્રોજેક્શન છે. આમાં ભગવાને કંઈ ડખલ કરી નથી.
દુનિયામાં કોઈને અક્કલ વગરનો કહેશો નહીં. અક્કલવાળો જ કહેજો, તું ડાહ્યો છે, એવું જ કહેશો તો તમારું કામ થશે. એક માણસ એની ભેંસને કહેતો હતો કે ‘તું બહુ ડાહી છે બા, બહુ અક્કલવાળી છો, સમજણવાળી છો.’ મેં એને પૂછ્યું, ‘ભેંસને તું આમ કેમ કહે છે ?” ત્યારે એણે કહ્યું કે, ‘આવું ના કહું તો ભેંસ દૂધ દેવાનું જ બંધ કરી દે.’ ભેંસ જો આવું સમજે છે તો માણસો શું ના સમજે ?
બુદ્ધિતી ડખલે રચાઈ ડખલામણ !
આ જગત ‘રીલેટિવ’ છે. વ્યવહારિક છે. આપણાથી સામાને અક્ષરે
આપ્તવાણી-૬
ય ના બોલાય. અને જો ‘પરમ વિનય’માં હોય તો ખોડે ય ના કઢાય.
આ જગતમાં કોઈની ખોડ કાઢવા જેવું નથી. ‘ખોડ કાઢવાથી શો દોષ બેસશે’, તેની ખોડ કાઢનારને ખબર નથી.
૨૪
પ્રશ્નકર્તા : ખોડ નથી કાઢતા અમે, પણ સામો આગળ વધે એટલે બોલીએ છીએ.
દાદાશ્રી : તેના આગળ વધવાનો હિસાબ તમારે ના કાઢવો. આગળ વધારવાનું તો કુદરત એની મેળે કામ કર્યા કરે છે. તમારે સામાને આગળ વધારવાની ઇચ્છા ના કરવી. કુદરત કુદરતનું કામ કર્યે જ જાય છે. આપણે આપણી મેળે બધી ફરજ બજાવ્યા કરવાની.
બુદ્ધિ તમને હેરાન કરે કે આમ કરીએ તો આમ થાય ને તેમ કરીએ તો તેમ થાય. કશું જ થતું નથી. કોઈ કશું કરી શકે એમ છે જ નહીં. કુદરત કુદરતનું કામ કર્યે જ જાય છે. કોઈ કોઈની સલાહ માગવા નથી આવતું, છતાં આ તો વણમાગી સલાહ પીરસ્યે જ જાય છે.
આ બુદ્ધિનું માનવામાં આવે ને તો અહીંયાં સત્સંગમાં પહેલો કાયદો જોઈએ કે આમ બેસવું ને આમ ના બેસવું. જ્યાં સાચો ધર્મ છે ત્યાં ‘નો લૉ-લૉ’ એ જ મુખ્ય વસ્તુ છે.
આપણે અહીં ‘બુદ્ધિ’ શબ્દની જરૂર જ નથી. જે ડખળામણ કરાવે એ બુદ્ધિને ખસેડવાનો પ્રયત્ન કરો. ડખળામણમાં ના મૂકતી હોય તો તેનો વાંધો નથી. વાત તો સમજવી જ પડશે ને ? આમ ક્યાં સુધી ચાલશે ? બુદ્ધિ તમને ‘ઈમોશનલ’ કરશે. તમારું આમાં કશું જ વળવાનું નથી. બધું
‘વ્યવસ્થિત’ને આધીન છે. ‘વ્યવસ્થિત’ ઉપર થોડો ઘણો વિશ્વાસ બેઠો હોય તો કોઈ પ્રશ્ન જ રહેતો નથી. અહીં તો વણપ્રશ્ને ઉત્તર છે.
પ્રશ્નકર્તા : આપ કહો છો કે પ્રયત્નો તો છેક છેવટ સુધી કરવાના ?
દાદાશ્રી : પ્રયત્ન શેનો કરવાનો ? પ્રયત્ન આપણા સંસારવ્યવહારનો કરવાનો હોય. સત્સંગમાં અહીં સંસારવ્યવહાર નથી. આ તો ‘રિયલ’નો શુદ્ધ વ્યવહાર છે. શુદ્ધ વ્યવહારમાં બુદ્ધિની બિલકુલ જરૂર નથી.