________________
આપ્તવાણી-૬
૨૨.
આપ્તવાણી-૬
પ્રશ્નકર્તા: પણ અમારું કામ કરવા માટે અમારે અહંકાર તો જોઈએ જ
આવતા ભવે બધું સારું થશે એવું તમે માન્યું, તેથી તો તમને મારી ઉપર શ્રદ્ધા આવી, નહીં તો અહીં બેસાય શી રીતે ? આ ભવમાં તો શું થાય કે જે તમારી કોડવાળી ભાષા છે, તે પૂરી થઈ જશે અને પછી તમારી એવી ભાષા જ નહીં નીકળે.
પ્રશ્નકર્તા : એટલે પછી મૌન થઈ જવાનું ?
દાદાશ્રી : મૌન જ થઈ જવાનું. મૌન એટલે એવું મૌન નહીં કે અક્ષરે ય બોલવાનો નહીં. મૌન એટલે વ્યવહાર પુરતી જ વાણી રહેશે. કારણ કે એક ટાંકીનો ભરેલો માલ, તે ખાલી તો થઈ જ જવાનો.
અહંકારતું રક્ષણ પ્રશ્નકર્તા : આપે કહ્યું હતું કે વાણી છે તે અહંકારથી નીકળે છે ?
દાદાશ્રી : એવું છે ને કે વાણી બોલે તેનો વાંધો નથી, એ તો કોડવર્ડ છે. તે ફાટે ને બોલ્યા કરે, તેનું આપણે રક્ષણ ના કરવું જોઈએ.
પ્રશ્નકર્તા: રક્ષણ ના હોવું જોઈએ, એનો અર્થ આપણે સાચા છીએ એવી ભાવના ના હોવી જોઈએ એમ ?
દાદાશ્રી : અમે સાચા છીએ, એનું નામ જ રક્ષણ કહેવાય. અને રક્ષણ ના હોય તો કશું જ નથી. ગોળા બધા ફૂટી જાય અને કોઈનેય વાગે નહીં બહુ. અહંકારનું રક્ષણ કરે, તેનાથી બહુ વાગે છે.
હું નાના છોકરાને બહુ મારું તોય તેમને કશુંય ના થાય અને જો રીસમાં જરાક તમે ટપલી મારી હોય તો એ રડારોળ કરી મૂકે ! એટલે એને વાગ્યાનું દુઃખ નથી, અહંકાર ઘવાયો તેનું દુઃખ છે !
શાસ્ત્રકારોએ શું કહ્યું છે કે અહંકાર એક એવો ગુણ છે કે જે બધા માણસને આંધળોભૂત બનાવે. ભાઈઓમાં પણ દુશ્મની થઈ જાય. સગો ભાઈ ક્યારે પાયમાલ થઈ જાય એવું વિચારે ! અરે, સગો બાપ પણ એવો, છોકરાને આશીર્વાદ આપે કે ક્યારે એ પાયમાલ થઈ જાય ! અહંકાર શું નુકસાન ના કરે? એટલે આપણે અહંકારને ઓળખી રાખવો જોઈએ કે “આ આપણો કોણ છે તે ?”
દાદાશ્રી : એ કામ કરવાનો અહંકાર હોય જ. એની કોણ ના પાડે છે? પણ એ અહંકારને જાણવો જોઈએ કે અહંકારમાં આવા ગુણો છે. એટલે આપણને એની પર પ્રેમ રહે નહીં, આસક્તિ રહે નહીં.
પ્રશ્નકર્તા : આપણે ગમે તેટલું કરીએ, પણ સામો ના સુધરે તો શું કરવું?
દાદાશ્રી : પોતે સુધર્યા નથી ને લોકોને સુધારવા ગયા. તેનાથી લોક ઊલટા બગડ્યા. સુધારવા જાય કે બગડે. પોતે જ બગડેલો હોય તો શું થાય ? આપણે સુધરવું સહેલામાં સહેલું છે ! આપણે સુધર્યા ના હોઈએ ને બીજાને સુધારવા જઈએ, એ “મીનિંગલેસ’ છે. ત્યાં સુધી આપણા શબ્દ પણ પાછા પડે. તમે કહો કે, ‘આવું ના કરીશ.” ત્યારે સામો કહે કે, “જાવ, અમે તો એવું જ કરવાના !” આ તો સામો ઊલટો વધારે અવળો ફર્યો !
આમાં અહંકારની જરૂર જ નથી. અહંકારથી સામાને દબડાવી કરીને કામ કરાવવા જઈએ, તો સામો વધારે બગડે. જ્યાં અહંકાર નથી, ત્યાં તેને બધા કાયમ ‘સીન્સિયર’ હોય, ત્યાં “મોરાલિટી' હોય.
- આપણો અહંકાર ના હોવો જોઈએ. અહંકાર બધાને ખેંચે છે. નાના છોકરાને ય જરાક ‘અક્કલ વગરનો', ‘મૂરખ', ‘ગધેડો’ એમ જો કહ્યું તો તે ય વાંકો ફાટે. ને ‘બાબા, તું બહુ ડાહ્યો છે' કહીએ કે તરત એ માની જાય.
પ્રશ્નકર્તા: અને એને બહુ ડાહ્યો કહીએ તોય એ બગડશે ?
દાદાશ્રી : મૂરખ કહીએ તોય બગડી જાય ને બહુ ડાહ્યો કહીએ તોય બગડી જાય. કારણ કે ડાહ્યો કહીએ એટલે એના અહંકારને ‘એન્કરેજમેન્ટ’ મળી જાય અને મૂરખ કહો તો ‘સાયકોલોજિકલ ઈફેક્ટ' અવળી પડે. ડાહ્યા માણસને ૨૫, ૫૦ વખત મૂરખ કહો તો તેના મનમાં વહેમ પડી જશે કે, “ખરેખર શું હું ગાંડો હોઈશ ?” એમ કરતો કરતો એ ગાંડો થઈ જાય. એટલે હું ગાંડાનેય ‘તારા જેવો ડાહ્યો આ જગતમાં