________________
આપ્તવાણી-૬
૧૯
આપ્તવાણી-૬
પ્રશ્નકર્તા : પાછું અત્યારે બોલીએ તે વખતે જાગૃતિ રાખીએ તો?
દાદાશ્રી : અત્યારે તમે કોઈને દબડાવો, પછી મનમાં એવું થાય કે આને દબડાવ્યો ‘તે બરાબર છે.” એટલે ફરી પાછું તેવા હિસાબનો કોડવર્ડ થયો અને આને દબડાવ્યો તે ખોટું થયું” એવો ભાવ થયો તો કોડવર્ડ તમારે નવી જાતનો થયો. આ દબડાવ્યો એ બરોબર કર્યું એવું માન્યું કે એના જેવો જ ફરી કોડ ઊભો થયો અને એનાથી એ વધારે વજનદાર બને. એને “આ બહુ ખરાબ થઈ ગયું, આવું બોલવું ના જોઈએ, આવું કેમ થાય છે ?” એવું થાય તો કોડ નાનો થઈ ગયો.
પ્રશ્નકર્તા : હવે આ બરોબર કર્યું એવુંય ના થાય ને બરોબર ના કર્યું એવુંય ના થાય, તો પછી કોડ ઊભો થાય ?
દાદાશ્રી : એ તો મૌન નક્કી કરીએ તો મૌન થઈ જાય.
પ્રશ્નકર્તા: ઘણી વખત મોઢે ના બોલાય, પણ અંતરવાચા હોય ખરી ને ? મહીં અંદર ભાવ બગડ્યા કરે, તેનું શું?
દાદાશ્રી : તમારે પોતાની જાતને અંદર કહી દેવાનું કે આવું ખોટું ના હોવું જોઈએ. આવું સુંદર હોવું જોઈએ.
પ્રશ્નકર્તા : પછી સુંદરનો કોડ આવી જાય ને ? દાદાશ્રી : સુંદરનો કોડ તો આવે જ ને !
પ્રશ્નકર્તા : તે પાછો નવો કોડ થાય, તેના માટે નવો દેહ ધારણ કરવો પડે ? એના કરતાં કોડ જ ના થાય એવું અમારે જોઈએ.
- દાદાશ્રી : આ તો એકાદ ભવ પૂરતું જ છે. આગળ તો તમારા કોડ આવા રહેવાના જ નથી. જેની આજે ખરાબ ભાષા નથી, તે લોકોએ કોડ બદલ્યો નથી અને જેની ખરાબ ભાષા છે, તેમણે કોડ બદલ્યા છે. એટલે પેલા કાચાં પડી ગયા છે ને આ પાકા થયા છે. જે કહે કે, ‘દાદા, મારી આ વાણી ક્યારે સુધરશે ?” ત્યારથી આપણે ના સમજીએ કે આ કોડ બદલે છે ?'
પ્રશ્નકર્તા: જેને મોક્ષે જવું હોય તેને તો કોઈ કોડ દાખલ જ નહીં કરવાનો ને ? એના માટે શું કરવું ?
દાદાશ્રી : મોક્ષમાં જતાં સુધી કશી હરક્ત થાય તેમ નથી. મોક્ષે જતાં જેવા કોડ જોઈએ તે આવતા ભવમાં ઉત્પન્ન થશે. અત્યારે મને પૂછીને જેટલો માલ ભરે, તેનો આવતા ભવમાં પછી એવો જ કોડ ઉત્પન્ન થશે. હજી એક અવતાર છે ને ?
પ્રશ્નકર્તા : તીર્થકરોની વાણીના કોડ કેવા હોય છે ?
દાદાશ્રી : એમણે કોડ એવો નક્કી કરેલો હોય કે ‘મારી વાણીથી કોઈ પણ જીવને કિંચિત્માત્ર પણ દુઃખ થાય નહીં. દુઃખ તો થાય જ નહીં, પણ કોઈ જીવનું કિંચિત્માત્ર પ્રમાણ પણ ના દુભાય, ઝાડનું ય પ્રમાણ ના દુભાય.’ એવા કોડ ફક્ત તીર્થંકરોને જ થયેલા હોય.
પ્રશ્નકર્તા : વાણી બોલતી વખતે કેવા પ્રકારની જાગૃતિ રાખવી ?
દાદાશ્રી : જાગૃતિ એવી રાખવાની કે આ બોલ બોલવામાં કોને કોને કેવી રીતે પ્રમાણ દુભાય છે એ જોવાનું છે.
પ્રશ્નકર્તા : પાંચ જણને એક જ શબ્દ કહીએ છીએ, તો બધાને જુદા જુદા પ્રમાણમાં મન દુભાય છે. એનું શું કરવું ?
દાદાશ્રી : આપણે જાગૃતિ રાખવી ને પછી બોલવાનું. આપણને જેટલી સમજ પડે એટલું કરવાનું. એનો ઉપાય નથી. આ ‘ચંદુલ્ફાઈ’ ન્યાયનું બોલતા હોય છતાં સામાને દુઃખ થાય એવું ય ઘણીવાર બને. હવે એનો ઉપાય શો ? પણ તે અમુક જ માણસો જોડે થાય, બધે નથી થતું. એટલે ત્યાં આગળ બીજા દારૂખાનું ના ફોડે તો જ તમારું દારૂખાનું બંધ થશે, નહીં તો એક જણ ફોડશે એટલે તમારે ના ફોડવું હોય તોય ફૂટી જાય. એટલે બધા ય નક્કી કરે કે આપણે દારૂખાનું બંધ કરો તો એ બંધ થાય, નહીં તો નહીં થાય.
પ્રશ્નકર્તા : નવો કોડ હોય તે આવતા જન્મમાં ‘ઇફેક્ટ’ આપે કે આ જીવનમાં પણ ‘ઇફેક્ટ’ આપે ?
દાદાશ્રી : આ કુંભાર માટલાં બનાવે છે, તે માટલાંને નિભાડામાં સળગાવીને કલાક પછી કાઢી લે, તો શું થાય ?