SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ આપ્તવાણી-૬ આપ્તવાણી-૬ દાદાશ્રી : હા, ખરી વાત છે. આ બધું સંજોગો કરાવે છે. અહંકારે ય સંજોગો કરાવે છે. છતાંય એ માને છે કે, “મેં જ કર્યું. તેનાથી નવી પ્રતિષ્ઠા ઊભી થાય છે. આપણને છે તે ‘મેં કર્યું એવું આપણી ‘બીલિફ’માં નથી હોતું. આપણે ‘વ્યવસ્થિત’ કરાવડાવે છે એમ જાણીએ છીએ. એટલે પ્રતિષ્ઠા થવાની બંધ થઈ ગઈ. જે ચીતરેલો છે તે ભવ તો આવવાનો, પણ નવું ચિતરામણ બંધ થઈ ગયું. આપણે જાત્રાએ ગયાં, તે ચીતરેલા ભાવ હતા બધા. જ્યાં જ્યાં હતા, ત્યાં ત્યાં બધેય જઈ આવ્યા. પ્રશ્નકર્તા : બુદ્ધિનો આશય બદલાય કે નહીં ? દાદાશ્રી : આજુબાજુ પે'રી હોય તેના આધારે બુદ્ધિનો આશય હોય. ચોગરદમ પોલીસવાળાઓ ભેગા થઈ જાય તે ઘડીએ મહીં ભય પેસી જાય તો બુદ્ધિનો આશય કહેશે કે ના, હવે ચોરી નથી કરવી તે પ્રમાણે આખો ફેરફાર થઈ જાય. દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ બધું ભેગું થાય ત્યારે તે પ્રમાણે બુદ્ધિનો આશય ઊભો થાય. પણ મહીં મૂળ ભાવના હોય ખરી આપણી દાનત ચોર હોય તો જ એવા બધા સંજોગો ભેગા થાય ! અહંકાર' પણ કુદરતી ચતા ! આપણા સાયન્સમાં પ્રારબ્ધ જ કોઈને કહ્યું નથી. પ્રશ્નકર્તા: ‘વ્યવસ્થિત'માં હશે તે થશે એવું નહીં ? દાદાશ્રી : એ તો તમારા સમાધાન માટે કહીએ છીએ. બાકી ખરી રીતે તો એમ કહીએ છીએ કે કામ કર્યું જાઓ. પરિણામ બધું ‘વ્યવસ્થિત'ના હાથમાં છે. માટે વિચાર કરશો નહીં, ગભરાશો નહીં. ‘ઓર્ડર’ થઈ ગયો કે લડાઈ કરો, પછી લડાઈ કર્યે જાઓ પછી પરિણામથી ગભરાશો નહીં. પ્રશ્નકર્તા ઃ તો આપણે કોઈ યોજના કરવાની નહીં ? દાદાશ્રી : યોજના તો પહેલાં ઘડાઈ ગઈ છે. પછી જ્યારે કરવાનું આવે ત્યારે કામ કર્યું જાઓ. ‘બીગિનિંગ' શરૂ થઈ ગઈ હોય એ પહેલાં તો યોજના ઘડાઈ ગઈ હોય છે ! પ્રશ્નકર્તા : વિચારો કરવાના નહીં ? દાદાશ્રી : વિચારો કરવાના નહીં. વિચારો થાય તે જોયા કરવા, ને પછી કામ કર્યું જાઓ, વિચાર કરવાની જરૂર નથી. વિચારો તો થાય જ. માણસોને જો વિચારો બંધ કરવાની શક્તિ હોય તો બધા વિચારો બંધ પણ કરી દે. તમારા ખરાબ વિચારો તમે બંધ કરી શકો ? પ્રશ્નકર્તા : ના. દાદાશ્રી : ત્યારે તમે વિચારો.... શું કરી શકો ? પ્રશ્નકર્તા : તો વિચારોનું મૂળ શું છે ? દાદાશ્રી : ગાંઠો છે-મનની. પ્રશ્નકર્તા : ગ્રંથિનું મૂળ શું ? દાદાશ્રી : પહેલાં જે વિચારો થયા તેમાં તમે ભેગા થયા, એ ગ્રંથિ પડી. જે વિચારોમાં તન્મયાકાર થયા એ ગ્રંથિ પડી. આશય પ્રમાણે ભૂમિકા પ્રશ્નકર્તા : આશય અને વિચારમાં ફરક શો છે ? આશયમાંથી પ્રશ્નકર્તા: ‘નેસેસિટી ઇઝ ધી મધર ઓફ ઇન્વેન્શન’ એ ખોટી વાત છે ? દાદાશ્રી : આ શબ્દપ્રયોગ જ છે, બાકી આ બધું કુદરત કરાવે છે. પ્રશ્નકર્તા : તો પછી આ “રીલેટિવ’ પ્રગતિનું ‘બેઝમેન્ટ’ શું છે ? દાદાશ્રી : બધું જ કુદરત કરાવે છે. કાળ ફરે તેમ દ્રવ્ય ફરે, દ્રવ્ય ફરે તેમ ભાવ ફરે અને પોતે ‘ઇગોઇઝમ કરે ‘મેં કર્યું ! આ ‘ઇગોઇઝમ” પણ કુદરત કરાવે છે. અને જે આ ‘ઈગોઈઝમ'માંથી છૂટ્યો એ આમાંથી છૂટ્યો. આ પ્રગતિ કુદરત કરાવડાવે છે, બાકી જેટલા શબ્દપ્રયોગ છે એ બધો ‘ઈગોઈઝમ’ છે. આગળના લોકો પ્રારબ્ધ બોલ્યા, તેથી જ તો આ દશા બેઠી છે ! તેથી
SR No.008828
Book TitleAptavani 05 06
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year
Total Pages222
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size71 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy