________________
આપ્તવાણી-૬
આપ્તવાણી-૬
જુદા જુદા હોય. એ ક્ષેત્રને આધીન છે. આ કાચ, પાછું આ કાચમાંથી જે દેખાય છે તે ભાવ, પછી ક્ષેત્ર, કાળ, એના આધારે બુદ્ધિનો આશય હોય છે. જો કે કાચની કંઈ એટલી બધી ખાસ વેલ્યુ નથી. આ કાચ એવી રીતે ઉત્પન્ન થાય છે કે આ ભવમાં જે કર્યું, કે તેમાં લોકોને સુખદાયી થાય એવાં કામો ક્ય હોય તો કાચ એવા નિર્મળ હોય એટલે એને સારું દેખાય. ઠોકરો બહુ ના વાગે. અને લોકોને દુઃખદાયી થાય એવાં કામ ક્યાં હોય, એના કાચ તો એટલા બધા મેલા હોય, તે તેને ધોળે દિવસે પણ સાચી વસ્તુ ના દેખાય, ને પછી એને બહુ દુઃખ પડે. એટલે કાચની શી રીતે તમે ક્રિયા કરો છો, તેના પર આધાર છે. આખી જિંદગી એક જ કાચના આધારે ચલાવવાનું હોય છે. મૂળ શું છે ? ત્યારે કહે કે, જ્ઞાન પોતાનું છે જ, પણ એ જ્ઞાન ઉપર કાચ છે. એ કાચમાંથી જોઈને બધું ચલાવવાનું. આ બળદને દાબડા બાંધીએ છીએ, એના જેવું આ બાંધે છે. હવે એમાંથી થોડું મહીં ખુલી જાય તો એટલું એટલું દેખાય ને ચિંતા, ઉપાધિઓ કર્યા કરે. પોતાના આશય પ્રમાણે પોતાને બધું મળ્યા કરે છે. એ પોતાના આશયને જો સમજી જાય તો બહુ થઈ ગયું, બુદ્ધિનો આશય તને સમજ પડી ?
પ્રશ્નકર્તા : વ્યવહાર કેવો જોઈએ છે એ નક્કી કરવા માટે, જે નક્કી થાય છે ત્યાં બુદ્ધિનો આશય છે ?
દાદાશ્રી : મને શેમાં સુખ પડશે ? એવું ખોળ ખોળ કરે. એટલે પછી એ વિષયમાં સુખ માનતો થઈ જાય. પાછો વળી એવો ભાવ કરે કે બંગલો નહીં હોય તો ચાલશે, આપણે તો એકાદ ઝૂંપડું હોય તો ચાલશે. એટલે પછી એને બીજા ભવમાં ઝૂંપડું મળે ! દરેકને જુદાં જુદાં મકાનોમાં ગમતું હશે ને, રાત્રે ઊંઘ આવતી હશે ને ?
મને આ બંગલામાં ઊંઘ ના આવે.’ આ આદિવાસીને રોજ દૂધપાક-પૂરી જમાડીએ, તો તેમને તે ફાવે નહીં. બે-ત્રણ દહાડામાં છાનોમાનો કહ્યા કર્યા વગર જતો રહે. એને એમ કે આપણે ક્યાં અહીં આગળ ફસાયા.
કેટલાક માણસો પૈસા ના હોય તોય કિંમતી કપડાં પહેરે છે ને કેટલાક માણસો તો ખૂબ પૈસા હોય તોય.... એ બુદ્ધિનો આશય !
ફાધર ગાળો ભાંડતો હોય તોય એને એ જ ફાધર ગમે ! મધર ગાળો ભાંડતી હોય તોય એ જ મધર ગમે !! ફાધરને એ જ છોકરો ગમે. આખી જિંદગી છોકરાને ના બોલાવે, પણ મરતી વખતે બધું છોકરાને જ આપી દે. અલ્યા ! આખી જિંદગી ભત્રીજા પાસે ચાકરી કરાવી, પણ આપી દીધું છોકરાને ? આ બુદ્ધિનો આશય કહેવાય ! - દાદાનેય છોકરો ને છોકરી મરી ગયાં. તે એમના બુદ્ધિના આશયમાં એવું કે આ શી લપ, આ શી ભાંજગડ !! બુદ્ધિના આશયમાં નોકરી કરવાની નહીં કે, “બસ નોકરી નહીં કરું.’ તે નોકરી કરવાની ના આવી. એટલે બુદ્ધિના આશય પ્રમાણે બધું થયા કરે.
પ્રશ્નકર્તા : એટલે જે વ્યવહાર, જે નિમિત્ત, જે સંયોગો ભેગા થાય છે, એની પાછળ આશય કામ કરે છે ?
દાદાશ્રી : આશય વગર કશું ભેગું જ ન થાય. પ્રશ્નકર્તા: હવે બુદ્ધિનો આશય, એ ગયા ભવના ચિંતવનનું પરિણામ
છે ?
પ્રશ્નકર્તા : ગમે છે.
દાદાશ્રી : શી રીતે મારે આવું ને પેલાને આવું, એવું આખી રાત ના થયા કરે ? ના થાય. એમાં સંતોષ શાથી થાય છે ? ‘આપણે તો આપણે ઘેર જઈએ તો જ ઊંઘ આવે’ એ બુદ્ધિનો આશય. પોતાને ઘેર ભલે ને ઝૂંપડી હોય ! આપણે એને કહીએ, ‘અલ્યા, તારો ખાટલો તો આટલો નીચો થઈ ગયો છે.” તોય પેલો કહેશે, “ના, મને તો એમાં જ ઊંઘ આવશે.
દાદાશ્રી : ચિંતવન નહીં, આશય, બુદ્ધિનો આશય જ છે. ગયા અવતારના બુદ્ધિના આશય હતા, તેનું આ ફળ આવ્યું. બુદ્ધિનો આશય હોય, તો એને સટોડિયો ભેગો થઈ જાય. બહાર નીકળે કે એને રેસવાળો ભેગો થઈ જાય. પોતે ઘેરથી ઘણુંય નક્કી કર્યું હોય કે રેસમાં જવું જ નથી. તોય જાય, એ બુદ્ધિનો આશય.
આપણે ગયા અવતારે બુદ્ધિનો આશય કરેલો હોય, તેની અત્યારે આપણને પોતાને ખબર પડે કે આ સટ્ટાબજાર મને અડવાનું નથી.