SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ આપ્તવાણી-૪ ૧૪૯ ૧૫ આપ્તવાણી-૪ વ્યાખ્યાન મેં આપ્યું, શાસ્ત્રો મેં વાંચ્યાં, તપ મેં જ કર્યું, ત્યાગ મેં કર્યો. પણ કરનાર જાણતો નથી ને જાણનાર કરતો નથી. કરનારને ને જાણનારને કોઇ દહાડો મેળાપ હતો નહીં, છે નહીં ને થશે નહીં. આ તો કહેશે, “હું જ આચાર્ય ને મેં જ વ્યાખ્યાન આપ્યું. અમે તો સમજી ગયા કે તમે કયા સ્ટેશને બેઠા છો ! માટુંગા સ્ટેશને બેસી રહ્યા છો ને કહે છે કે આગલું સ્ટેશન જ કલકત્તા છે. ના, એ તો આગલું સ્ટેશન માહીમની ખાડીનું આવ્યું! અનંત અવતાર ભટકીશ તોય કલકત્તા નહીં આવે ! જ્ઞાતા એ જ્ઞાતા અને શેય એ શેય. ‘ચંદુભાઈ’ એ શેય છે. ‘આનો ભાઈ એ શેય, આ ધંધાનો માલિક છે' એ શેય છે. “આ મકાનનો માલિક છે' એ શેય છે ને “આપણે” જ્ઞાતા છીએ. આપણે જ્ઞાતા ને એ જોય એમ જોયા કરીએ તો પછી સમાધિ રહ્યા કરે. ‘આપણો ધર્મ શું ? શું બન્યું એ જાણવાનું અને જ્ઞાતા-દ્રષ્ટા પરમાનંદી ! ધર્મ કોને કહેવાય ? સોનું સોનાના ધર્મમાં હોય તેને. સોનું પિત્તળના ધર્મમાં હોય તે સ્વધર્મ ના કહેવાય. એ પરધર્મ કહેવાય. આ તો ‘ચંદુલાલ” થઈને બેઠો છે, તે દેહના ધર્મને પોતાનો માને છે, અંત:કરણના ધર્મને પોતાનો ધર્મ માને છે. તે પરધર્મ છે. પરધર્મથી કયારેય પણ મોક્ષ ના થાય, સ્વધર્મથી મોક્ષ છે. સોનું ગમે ત્યારે એના ધર્મમાં જ છે. પણ આ તો “ચંદુલાલ'નો આરોપ કરે છે, એટલું જ નહીં સાથે પાછો કહે છે કે ‘આનો સસરો, આનો દિકરો, આનો બાપ, આનો વકીલ કોર્ટમાં જાય ત્યારે, દુકાને હોય તો શેઠ” આનું જ નામ ભ્રાંતિ. ‘પોતે શુદ્ધાત્મા જ છે.’ પણ આવા આરોપથી સમજાતું નથી. ઉત્પન્ન થાય ? કે ‘આ’ રસ્તાના જાણકાર હોય, રસ્તાના જાણકારને પૂછવું પડે તો રસ્તો જડે. તેમ ‘આ’ જાણકાર ‘જ્ઞાની પુરુષ'ને પૂછે તો માર્ગ પમાય. ‘આ’ ધર્મ નથી, ‘સાયન્સ છે. આ તો “રીયલ’ ધર્મ છે. આ કાયમ હોતો નથી. આ તો ચૌદ લોકનો નાથ અમારી મહીં પ્રગટ થયો છે. આ દેહ છે એ તો પરપોટો છે, એ કયારે ફૂટે એ કહેવાય નહીં. એ છે ત્યાં સુધી તમે તમારું કામ કાઢી લો. વીતરાગોને જેવો પ્રકાશ થયેલો તેવો પ્રકાશ છે. આ ‘જ્ઞાની પુરુષ' પાસે સંપૂર્ણ સમાધાન થાય એવું છે, માટે તમારું કામ કાઢી લો. અમે તો તમને આટલું કહી છૂટીએ. અમે વીતરાગ હોઇએ એટલે તમને પછી કાગળ ના લખીએ કે આવો. બંધનમાંથી મુક્તિ કરાવે એનું નામ ધર્મ. સચ્ચી આઝાદી આપે તે ધર્મ કહેવાય. અજ્ઞાત તિવૃતિ - વિજ્ઞાત થકી !! મોક્ષધર્મ એટલે અજ્ઞાનથી નિવૃતિ થાય તે. ‘આ’ મોક્ષમાર્ગમાં અજ્ઞાનથી નિવૃતિ કરાવી દઈએ છીએ, એટલે જ્ઞાનમાં થઇ પ્રવૃતિ ! અજ્ઞાન નિવૃત થાય તો વિજ્ઞાન ઉત્પન્ન થાય. પણ ‘જ્ઞાની’ વિના કોઇને અજ્ઞાન નિવૃત ના થાય, દેહાધ્યાસ કોઇનો છૂટે નહીં. દેહાધ્યાસની નિવૃતિ એ જ મોક્ષ છે. એક જ અંશ જ્ઞાનની પ્રવૃતિ થઇ જાય તો સર્વાશ થઇ જાય. એક જ અંશ “સાયન્સ” થાય તો સર્વાશ થઇ જાય. કારણ કે જ્ઞાન એ ‘સાયન્સ' છે, અજ્ઞાન એ “સાયન્સ' નથી. એક અંશ વિજ્ઞાન કયારે
SR No.008827
Book TitleAptavani 04
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size94 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy