________________
આપ્તવાણી-૪
૧૪૮
આપ્તવાણી-૪
૧૪૭
કયા ગુણધર્મ છે ? એ ખાય છે, પીવે છે કે નથી ખાતો, પીતો ? અગર કોઇ બાળી મૂકે તો એ બળે છે કે નથી બળતો ?
આત્માની ભૂલ- ?!
પ્રશ્નકર્તા : જૈન સ્વાધ્યાય, સૂત્રો, વ્યાખ્યાન એવું બધું કરું છું.
દાદાશ્રી : આ સ્વાધ્યાય જે કરે છે તે પરાધ્યાય કરે છે. એક વાર સ્વસ્વરૂપનું સ્વાધ્યાય કરેને ત્યારથી ઉકેલ આવી જાય. જગતમાં ચાલે છે તે પરાવલંબન છે, એ અવલંબન સાચું પણ હોય. પણ સ્વાવલંબનથી તો મુક્તિ પામે અને પરાવલંબનથી ભટક, ભટક, ભટક કરે.
અંતે તો અહંકાર ઓગાળવાતો !!
આત્માનો ગુણ શો છે ? એનો ચિંતા કરવાનો ગુણ છે ? કે કષાય કરવાનો ગુણ છે ?
પ્રશ્નકર્તા : એ આત્માનો ગુણ નથી. ભૂલથી કષાય કરી બેસે છે.
દાદાશ્રી : આત્માની ભૂલ થાય તો એ આત્મા જ કેમ કહેવાય ? આત્મા તો પરમાત્મા જ છે. એ ભૂલ કરે જ કયાંથી ? અને આત્માની ભૂલ દેખાડનારા આપણે પાછા એના ઉપરી કે ભઇ, આત્માએ ભૂલ કરી? આત્માએ ભૂલ કરી એ વાક્ય ‘ઇટસેલ્ફ' કહે છે કે આત્માએ ભૂલ કરી ને આપણે ચોખા, ભૂલ વગરના !(?) આત્મા પોતે જ પરમાત્મા છે, પોતે જ વીતરાગ છે. એ તો સ્વરૂપનું ભાન થયું નથી એટલે પોતે માને કે, ‘હું ચંદુલાલ છું.’ ‘હું ચંદુલાલ છું,’ એ આરોપિત ભાવ છે, કલ્પિત ભાવ છે, “રીલેટિવ’ ભાવ છે. તો ‘રીયલ'માં કોણ હશો તમે ? આ ચંદુલાલ એ તો “રીલેટિવ’ કહેવાય. ‘રીલેટિવ'માં બહુ જાતના વિકલ્પો હોય; ‘હું આમની દીકરી થાઉં, માસી થાઉં, કાકી થાઉં' એમ ઘણા વિકલ્પો છે. જયારે “રીયલ’માં કોઇ વિકલ્પ નથી. ‘રીયલ’નું ‘રીયલાઇઝ’ કરવામાં આવે તો આપણને ખબર પડી જાય કે સ્વરૂપનું ભાન થયું, એટલે મોક્ષ જવાની તૈયારી થઇ. “રીયલ’નું કોઇ દહાડો ભાન જ નથી થયું. આત્માનું ભાન થવું તેને સમકિત અથવા સમ્યક દર્શન કહે છે. સમકિત નથી થયું કોઇ દહાડોય, જો તે થયું હોત તો અહીં બેસી રહ્યા ના હોત. સમકિત વગર ઘડીવાર અંતરશાંતિ રહે નહીં, મૂર્ધામાં જ રહે. લગ્ન હોય ત્યારે મૂર્ણિત થઇ જાય અને લગ્ન થઇ જાય પછી હતું તેનું તે, એને મોહનિદ્રા કહી.
આ મનુષ્યોનો સ્વભાવ કેવો છે કે શુભાશુભ માર્ગને ગ્રહણ કરવો એને ધર્મ ગણે છે. બધા જ ધર્મોમાં શુભાશુભ જ છે. જૈન ધર્મમાં જો શુભાશુભની વાત હોય તો એ નીચલી કોટિનું ગણાય, ત્યાં તો શુભાશુભની વાત જ ના હોય. એમાં તો કથાનુયોગ એટલે કે જે ઉત્તમ પુરુષો થઇ ગયા, ઉત્તમ શ્રેષ્ઠીઓ, ઉત્તમ જ્ઞાનીઓ થઇ ગયા એમનું વર્ણન સાંભળે. એમાંથી ભાવ જાગે કે મારે પણ આવા થવું છે. જૈન ધર્મમાં સાર જ આ છે, ત્યારે આજે તો શુભાશુભમાં પડ્યા ! જૈનમાં ચાર પ્રકારના અનુયોગ- કથાનુયોગ, ચરણાનુયોગ, કષ્ણાનુયોગ અને દ્રવ્યાનુયોગ અને વેદાંતમાં ચાર યોગ છે. ભગવાને કહેલું કે જો તું જૈન હો તો આ ચાર અનુયોગનું વાંચન કરજે અને પેલા વેદાન્તમાં ચાર યોગનું વાચન કરજે, તો આત્મા જડશે. શુભાશુભથી તો અહંકાર વધે અને કથાનુયોગ થી અહંકાર વધે નહીં. વસ્તુપાળ-તેજપાળની કથા સાંભળીને ભાવ થાય કે આપણે પણ એવા થઇએ. આ તો અહંકાર વધ્યા છે. જૈનોમાં અહંકાર કેટલો હોવો જોઇએ ? ઘર ચલાવવા પૂરતો ને વેપાર પૂરતો. આ તો નર્યું તોફાન માંડયું છે !
જ્ઞાતા' જ “શેય' ર્યો !!
સ્વાધ્યાય કે પરાધ્યાય ?
અનાદિથી ‘શેયને જ ‘જ્ઞાતા’ સમજી વર્તે લોક.” -નવનીત
અનાદિથી લોકોને ધર્મ શામાં વર્તે છે ? જોયને જ્ઞાતા માની ધર્મ કરે છે. ‘આચાર્ય’ એ ‘જોય’ છે અને ‘પોતે’ ‘જ્ઞાતા’ છે, પણ ભ્રાંતિથી જોયને જ પોતે માને છે. ‘આચાર્ય’ને ‘પોતે જ છે' એમ માને છે. “આ
દાદાશ્રી : શું વાચન કરો છો ?