SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ આપ્તવાણી-૪ ૧૪૫ દાદાશ્રી : એ કઇ અપેક્ષાએ કહ્યું એ સમજાવું. આ જગતમાં આત્મા અને અનાત્માના બે ભાગ છે. આ ટીપોયમાં ચેતન નથી, પણ આ વસ્તુ ચંદુભાઇની માલિકીની છે તેથી તે તેટલા ચેતનભાવને પામેલી છે. એ સંકલ્પી ચેતન છે. અને તમે આ વસ્તુ તેમને પૂછયા વગર લઇ લો તો તેટલો દોષ તમને લાગે અને એની કિંમત આપીને તમે લો ને પછી એને તોડી નાખો, છુંદી નાખો. તોય દોષ ના લાગે. ચેતન તત્ત્વ તો છે કે જેનામાં જ્ઞાન છે, દર્શન છે. (૧૮) જ્ઞાતાપદની ઓળખ ! તમે આત્મા ? ઓળખ્યા વિણ ?! દાદાશ્રી : શું નામ છે ? પ્રશ્નકર્તા : ચંદુલાલ. દાદાશ્રી : ખરેખર ‘તમે ચંદુલાલ છો’ એ વાત નક્કી છે ? કે એમાં શંકા છે ? પ્રશ્નકર્તા : એ તો શરીરનું નામ છે. દાદાશ્રી : તો તમે કોણ ? પ્રશ્નકર્તા : આત્મા. દાદાશ્રી : આત્મા એટલે શું? આત્મા એટલે આ દેહ છે તે આત્મા કે આ બંગડીઓ છે તે આત્મા કે મગજ એ આત્મા ? શેને આત્મા કહેવો ? એને ઓળખવો પડશે ને ? આત્માનું જ્ઞાન તો જાણવું પડશે ને ? પ્રશ્નકર્તા : અંતરાત્મા. દાદાશ્રી : હા. અંતરાત્મા ખરો પણ એને જાણવો પડશેને કે એના
SR No.008827
Book TitleAptavani 04
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size94 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy