SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૪ આપ્તવાણી-૪ ઇન્દ્રિય થાય. પંચેન્દ્રિયવાળાને પંચેન્દ્રિય જેટલું આવરણ ખૂલ્યું છે. બાકી ભગવાન દરેકમાં સવંશરૂપે જ છે, માત્ર આવરણ સહિત છે. સંપૂર્ણ નિરાવરણ થાય તો તમે પોતે જ પરમાત્મા છો. જેનું વિભાજન થતું હોય તેના અંશ હોય. આત્મા તો અવિભાજય છે, એના અંનત પ્રદેશો અવિભાજ્યરૂપે છે. જાગૃતિ થયા સિવાય પોતાનું ભાન પ્રગટ થાય નહીં. સંપૂર્ણ જાગૃતિ આવે તો પોતાનું ભાન પ્રગટે અને ભાન પ્રગટે એટલે પોતે સવાશે ઇશ્વર છે એવું પોતાને માલૂમ પડે, અનુભવમાં આવે અને ત્યાર પછીની ક્રિયા હોય તેમાં દુઃખ ના હોય કોઇ દહાડોય. (૧૭) ભગવાનનું સ્વરૂપ, જ્ઞાન દષ્ટિથી ! ઇશ્વરનો અંશ કે સર્વીશ ? ભગવાનનું સર્વવ્યાપકપણું ! દાદાશ્રી : ભગવાન કયાં રહેતા હશે ? પ્રશ્નકર્તા : ભગવાન તો સર્વવ્યાપી છે. કણકણમાં બધે જ ભગવાન છે. દાદાશ્રી : તમે કોણ છો ? પ્રશ્નકર્તા : હું ઇશ્વરનો અંશ છું. દાદાશ્રી : આ અંશની વાત લોકોને સમજાવીને અવળે રવાડે ચઢાવ્યા છે. પોતે ભગવાનનો અંશ શી રીતે હોઇ શકે ? ભગવાનના ટુકડા કઇ રીતે કરાય ? આત્મા અસંયોગી વસ્તુ છે. સંયોગી વસ્તુ હોય તો તેના ટુકડા કરીએ. આત્મા સ્વાભાવિક વસ્તુ છે, સ્વાભાવિકના ટુકડા ના થાય. ખરેખર તમે સર્વોશ જ છો, પણ આવરાયેલા છો. આ ‘ઇશ્વરનો હું અંશ છું એનો અર્થ શું કહેવા માગે છે કે મને અંશજ્ઞાન પ્રગટ થયું છે, અંશ આવરણ ખૂલ્યું છે. આ સૂર્યનારાયણ તો આખા છે પણ જેટલું આવરણ ખસ્યું તેટલા અંશે પ્રકાશ થાય, પણ સૂર્યનારાયણ તો સવાંશ જ છે. તેમ તમે પોતે સર્વાશ જ છો, માત્ર આવરાયેલું છે. શરૂઆતમાં એકેન્દ્રિય જીવ હોય છે, તેને અંશ આવરણ ખૂલ્યું છે. એને કુહાડો મારો તો દુ:ખ થાય, પણ ગાળો ભાંડો કે ચા આપો તો તેને કશું ના થાય. પછી બે ઇન્દ્રિય તે છીપલાં. પછી ત્રણ ઇન્દ્રિયવાળા ફૂદાં. પછી ચાર ઇન્દ્રિય ને પછી પાંચ દાદાશ્રી : તો તો પછી ભગવાનને કયાંય ખોળવાના રહ્યા જ નહીં ને ? જો બધે જ ભગવાન છે તો પછી સંડાસ કયાં જવું? બધે જ ભગવાન હોય તો પછી જડ ને ચેતન જેવું જુદું કશું રહ્યું જ નહીં ને ? એટલે એવું નથી. જડ પણ છે ને ચેતન પણ છે. બધા જ ઘઉં હોય તો વીણવાનું શું રહ્યું ? ઘઉંમાંથી ઘઉં ઓળખો તોય કાંકરા વીણાશે ને કાંકરાને ઓળખશો તોય કામ થશે. તેમ આમાંથી આત્માને જાણો તો અનાત્માને જાણશો ને અનાત્માને જાણશો તોય આત્માને ઓળખશો. ત્યારે આ લોકો કહે છે કે બધે જ ભગવાન છે તો પછી તેમને ખોળવાના કયાં રહે ? સંકલ્પી ચેતન આ લોકો કહે છે કે કણકણમાં ભગવાન છે, આમાં છે, તેમાં છે. તે કહેનારની ભાષા ને એનો અર્થ કરનારની ભાષામાં ફેર ખરો કે નહીં ? પ્રશ્નકર્તા : ફેર તો હશે જ ને ?
SR No.008827
Book TitleAptavani 04
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size94 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy