________________
આપ્તવાણી-૪
૧૪૧
૧૪૨
આપ્તવાણી-૪
કોઇના મનને અશાંતિ કરે તો એ અધર્મ કહેવાય. “રીલેટિવ વસ્તુથી રીલેટિવ' ઉત્પન્ન થાય છે અને ‘રીયલ’ વસ્તુથી “રીલેટિવ' ઉત્પન્ન થતું નથી. “રીયલ'થી બધું “રીયલ' જ ઉત્પન્ન થાય છે, ફક્ત “રીયલ’નું રીયલાઇઝ' કરવાનું બાકી છે. અત્યારે તો તમને ભ્રામક માન્યતાઓ છે કે “આ બધી મારી શક્તિથી ચાલે છે, ભગવાને કર્યું, મારા ગ્રહો રાશિ છે.” ખરી રીતે કર્તા બીજો જ છે.
પીવે, હરે, ફરે, વેપાર કરે, પણ રૌદ્રધ્યાન ને આર્તધ્યાન ના થાય એને ધર્મસાર કહ્યો અને મર્મનો સાર એટલે મુક્તિ. આ ધર્મનો જે મર્મ છે તેનો સાર નીકળ્યો એ મુક્તિ કહેવાય. ધર્મના સારથી મુક્તિ ના થાય, પણ ધર્મસારમાંથી મર્મ ઉત્પન્ન થશે. ને મર્મસારથી મુક્તિ થશે.
બધાય ધર્મોનો સાર શું છે ? આર્તધ્યાન ને રૌદ્રધ્યાન ગયું ? નથી ગયું તો તું ધર્મમાં નથી. ઓછું થયું ? તો કહે, ‘હા’. ઓછું થયું હોય તેવા માણસને ચાલો માનીએ કે આ ધર્મમાં છે. પણ જેને ઓછું થયું નથી, ખૂબ થાય છે, તે ધર્મમાં છે એમ સ્વીકારવામાં આવતું નથી.
ધર્મસાર કોને કહેવાય ? તમને સળી કરે તોય કોઇનો દોષ ના દેખાય તેને. જગતનો સાર શું છે? તો કહે, વિષયસુખ. ધર્મનો સાર શું? તો કહે, આર્તધ્યાન ને રૌદ્રધ્યાન ના થાય એ. ધર્મસાર એ જગતમાં મુખ્ય સાર છે. ધર્મસાર પ્રાપ્ત ના થયો એ ધર્મ જ ખોટો છે, પછી જૈન હો કે વૈષ્ણવ હો કે ગમે તે હો, તે પકડેલી વાત બધી ખોટી છે !
સ્વાભાવિક પરિણતિ, સ્વપરિણતિ ઉત્પન્ન થઇ એટલે સમયસાર ઉત્પન્ન થયો.
ધર્મ શું ? વિજ્ઞાન શું ?
ધર્મ અને વિજ્ઞાનમાં ફેર. વિજ્ઞાન એ સિદ્ધાંતિક હોય ને ધર્મ બધા રીલેટિવ' હોય, એનું ફળેય “રીલેટિવ' હોય ને એની ક્રિયાયે “રીલેટિવ' હોય. તમે “હું ‘ચંદુભાઈ છું’ એમ માનીને જે કરો તે ધર્મ અને “જેમ છે તેમ’ યથાર્થ જાણ્યું તે વિજ્ઞાન કહેવાય. નિઃશંક થયા પછી, પોતાનું સ્વરૂપ જાણ્યા પછી “જેમ છે તેમ' જાણે તે વિજ્ઞાન કહેવાય. વિજ્ઞાન અવિરોધાભાસ હોય, ‘જેમ છે તેમ’ ‘ફેક્ટ’ જ વસ્તુ બતાવે.
પ્રશ્નકર્તા : જરા વિગતથી એ સમજાવો.
દાદાશ્રી : એવું છે ને, ‘તમે ચંદુભાઈ છો’ એમ કરીને કોઇને ગાળ ભાંડો તો તે અધર્મ કહેવાય, અને કોઇને સારું સારું ખવડાવો, પીવડાવો, કોઇના મનને શાંતિ આપો એ ધર્મ કહેવાય અને કોઇને ખરાબ લાગે,