________________
૧૨૮
આપ્તવાણી-૪
હાથમાં નથી, પણ ભાવ કરવાનું તમારા હાથમાં છે. કોશિશ કરવાનું બીજાની સત્તામાં છે. ભાવનું ફળ આવે. ખરી રીતે તો ભાવેય પરસત્તામાં છે, પણ ભાવ કરો તો તેનું ફળ આવે છે.
ક્લેશ, ત્યાં ધર્મ નહીં !
(૧૫) વર્તતામાં ધર્મ !
ક્લેશ એટલે ભયંકર સંસારરોગ, જેનાથી ક્લેશ ઉત્પન્ન ના થાય એને ધર્મ કહેવાય. સંસારમાં ખાય, પીએ તેનો વાંધો નથી, પણ જે ક્લેશ ઉત્પન્ન થાય છે એ ના હોવો જોઇએ. ભગવાન શું કહે છે કે મોક્ષ ના મળે તેનો વાંધો નથી, પણ ક્લેશ ના થાય તો સંસારમાં રહેવું સારું. ક્લેશ તો ભયંકર રોગ કહેવાય, ટી.બી. કરતાંય ખરાબ રોગ કહેવાય. ક્લેશ ના ગયો તો તું ધર્મ જ નથી જાણતો એમ ભગવાને કહેલું. ક્લેશ થાય તો જનાવરની ગતિ આવે. માટે બે વાતો શીખી લેવાની છે. ક્લેશ ના થતો હોય તો સંસારમાં રહેવું, નહીં તો મોક્ષનો માર્ગ ખોળવો. જયાં જરાક પણ ક્લેશ છે ત્યાં ધર્મ નથી અને જયાં ધર્મ છે ત્યાં ક્લેશ નથી. ક્લેશ એટલે તો માનસિક રોગ કહેવાય, એને લીધે તો આવતો ભવ બગડે. દેહને રોગ થાય તો આવતો ભવ ના બગડે એને માટે તો દવા કરીએ છીએ. તો પછી ક્લેશના રોગની દવાની તપાસ ના કરવી જોઇએ ? એની તો તરત તપાસ કરવી જોઇએ. કે કયા કારણથી ક્લેશ થયો છે !
ધર્મ અને આચરણ !
પ્રશ્નકર્તા : ધર્મનું આચરણ થતું નથી, દાદા.
દાદાશ્રી : ભગવાનને આચરણની કિંમત નથી, હેતુની કિંમત છે. આચરણને ભગવાને ‘નો કર્મ’ કહ્યાં છે, એ નહીં જેવાં કર્મ છે. હેતુ સહિત આચાર હોય તેની તો વાત જ જુદી ! ધર્મ તો એક જ પૈસો આપ્યો હોય, પણ સાચા દિલથી આપ્યો હોય તે કહેવાય. જે વસ્તુ આપણને સ્થિરતા કરાવે તે ધર્મ ! ‘જ્ઞાનીપુરુષ’ સ્થિરતાવાળા હોય એટલે જે કોઈ એમને દોરી બાંધી જાય તેનું નાવડું સ્થિર રહે.
મનુષ્યપણાની સાર્થકતા !
અક્રમવિજ્ઞાન : નવો જ અભિગમ !!
પ્રશ્નકર્તા : આ મનુષ્ય અવતાર એળે ના જાય એના માટે શું કરવું જોઇએ ?
આખો સંસાર ગેરસમજનું કારણ છે. હું લોકોને કહું કે ‘દયા રાખો, શાંતિ રાખો, સત્ય બોલો.' તો લોક મને કહેશે કે ‘તમે જ દયા રાખો, અમારાથી નથી થતું.’ હજારો વર્ષોથી શાસ્ત્રોયે એજ ગા ગા કરે છે કે “સાચું બોલો, દયા રાખો, શાંતિ રાખો, ક્રોધ ના કરો ત્યારે લોક કહે છે કે, અમારે લાખ સાચું બોલવું છે, પણ સાચું બોલાતું નથી. લાખ ક્રોધ કરવો નથી, પણ થઇ જાય છે. માટે તમારાં શાસ્ત્રો કામનાં નથી.’ એમ કરીને લોકોએ પુરાણો-શાસ્ત્રોને અભેરાઇ ઉપર ચઢાવી દીધાં છે. અમે જગતને નવું જ ‘સાયન્સ’ આપવા માગીએ છીએ. દયા રાખવી, શાંતિ રાખવી,
દાદાશ્રી : “આ મનુષ્ય અવતાર એળે ના જાય’ એનું જ આખો દહાડો ચિંતવન કરે તો તે સફળ થાય. આ મનુષ્ય અવતારની ચિંતા કરવાની ત્યારે લોકો લક્ષ્મીની ચિંતા કરે છે ! કોશિશ કરવાનું તમારા