________________
આપ્તવાણી-૪
૧૨૫
૧૨૬
આપ્તવાણી-૪
ગયા હોઇએ ને ખાલી જોયા કરીએ ને બોલીએ નહીં ત્યાં સુધી વેપારીને શી રીતે ખબર પડે કે તમારે શું જોઇએ છે ? માટે મોક્ષ, દિવ્યચક્ષુ જે જે જોઇએ એ બધાનું ટેન્ડર ભરી લાવજો. અમે એક કલાકમાં જ બધું આપી
વસ્તુ સ્વભાવમાં પરિણમે એનું નામ ધર્મ ! એટલે તમે આત્મા છો. પોતાનો શું સ્વભાવ છે? તો કે' નિરંતર પરમાનંદ. પરમાનંદમાં રહ્યો એટલે બહારની વસ્તુ તમને અસર કરે નહીં. એનું નામ ધર્મ અને તે મોક્ષે પહોંચાડે-મુક્તિ આપે.
દઇશું.
સ્વભાવભાવ તે સ્વધર્મ !
પ્રશ્નકર્તા : ધર્મ કોને કહેવો ? એ જ સમજવું હતું.
દાદાશ્રી : જે આપણને ધરી રાખે, પડવા ના દે એનું નામ ધર્મ કહેવાય. અત્યારે તો તમે પડી રહ્યા છો, તેની તમને ખબરેય નથી. આ કળિયુગના મનુષ્યો બધા “સ્લીપ’ થઇ રહ્યા છે, ધીમેધીમે અધોગતિમાં જાય
ધર્મ વસ્તુનો એક જ અર્થ નથી. ધર્મ કેટલી જાતના છે ? એક ‘ડિગ્રી'થી માંડીને ત્રણસો સાઠ ‘ડીગ્રી’ સુધીના ધર્મો છે. દરેક માણસના જુદા જુદા ‘બુઝ'ના જુદા જુદા ધર્મો છે, તેથી મતભેદો છે. આપણા દેશમાં જે ધર્મ ચાલે છે તે ધર્મ શું છે ? કે ખોટાં કર્મો છોડાવડાવે છે અને સારા કર્મો કરાવડાવે છે.
પ્રશ્નકર્તા : એટલે એને જ ધર્મ કહેવાય ?
દાદાશ્રી : ના. એને સાચો ધર્મ કહેવાય નહીં. આ સોનાનો ધર્મ શું ? એને કાટ ચઢે ખરો ? એટલે પોતાના સ્વભાવમાં રહે તો ધર્મ કહેવાય. એટલે તમે આત્મા છો, તે આત્મસ્વરૂપમાં રહો તો જ ધર્મ કહેવાય. આ તો દેહાધ્યાસ છે. ખોટાં કર્મ છોડાવડાવે ને સારાં કર્મ કરાવડાવે. એ બધી જ ભ્રાંતિ છે. સારા કર્મેય ભ્રાંતિ છે ને ખોટા કર્મેય ભ્રાંતિ છે, પણ તેથી કરીને સારા કર્મો છોડી દેવાનું હું નથી કહેતો. ખોટામાંથી સારામાં જાય છે. એ સારી વાત છે, પણ તોય ભ્રાંતિ જતી નથી. ભ્રાંતિ ગયા પછી સાચા ધર્મની શરૂઆત થાય છે.