SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ આપ્તવાણી-૪ આપ્તવાણી-૪ ખાવાનું સામે આવ્યું ત્યારે આપણે એને તરછોડ મારી હોય તેથી. મોક્ષમાર્ગમાં અંતરાય ! મોક્ષમાર્ગમાં તો અંતરાય આવે એટલે પોતાની શક્તિઓ વધારે પ્રગટ થતી જાય. માટે એમાં અંતરાય આવે તોય આપણે આપણો નિશ્ચય દેઢ રાખવો કે ‘કોઇની તાકાત નથી કે મને અટકાવી શકે', એવો ભાવ રાખવાનો છે. મોઢે બોલવાનું નથી, બોલવું એ તો અહંકાર છે. પોતાનો અનિશ્ચય એ જ અંતરાય. નિશ્ચય કરે એટલે અંતરાય તૂટી જાય. આત્માનો નિશ્ચય થાય એટલે બધા અંતરાયો તૂટી જ જાય છેને ? સંસારી બુદ્ધિના અંતરાયોનો બહુ વાંધો નથી, પણ ધાર્મિક બુદ્ધિના અંતરાય તો અનંત અવતાર રખડાવી મારે. તેમાંય “રીલેટિવ ધર્મના અંતરાયો ઘણાંય સાધુ, સાધ્વી, આચાર્યો મહારાજોને તૂટેલા હોય; ત્યારે ‘રીયલ’ ધર્મ, આત્મધર્મના અંતરાય બહુ પડેલા હોય. - હવે ધર્મમાં અંતરાય શાનાથી પડે છે ? ‘હું કંઇક જાણું છું. એ મોટામાં મોટો અંતરાય. ધર્મમાં જાણ્યું ક્યારે કહેવાય ? ક્યારેય પણ ઠોકર ના વાગે, આર્તધ્યાન, રૌદ્રધ્યાન ના થાય, સહેજ પણ રૌદ્રધ્યાનનું પરિણામ પણ ઊભું ના થાય, એવા સંજોગ પણ ભેગો ના થાય, એનું નામ ‘જાણ્યું” કહેવાય. એટલે ભગવાને શું કહ્યું કે, જ્યાં સુધી આર્તધ્યાન ને રૌદ્રધ્યાન થાય છે ત્યાં સુધી ‘હું કંઇ જ જાણતો નથી, જ્ઞાનીપુરુષ જાણે” એમ બોલજે. ત્યાં સુધી માથે જવાબદારી લેશો નહીં, બહુ જોખમ છે, બીજે સ્ટેશને ઊતરી પડાશે. ભગવાને સૌથી મોટો અંતરાય જ્ઞાનાંતરાયને કહયો છે. લક્ષ્મીના ને દાનના અંતરાય તૂટે પણ જ્ઞાનના અંતરાય ના તૂટે જલદી. જ્ઞાતાંતરાય, દર્શતાંતરાય શેતાથી ? કોઇ આત્મજ્ઞાન પામતો હોય તેમાં આડખીલી થાય તો તેને જ્ઞાનનો અંતરાય પડે. કોઇ કહે કે, “ “જ્ઞાનીપુરુષ” આવ્યા છે, ચાલો આવવું હોય તો.” ત્યારે તમે કહો કે, ‘હવે એવા તો “જ્ઞાનીપુરુષ” ઘણાય જોયા છે.” આ અંતરાય પડ્યો ! હવે મનુષ્ય છે એટલે બોલ્યા વગર તો રહે જ નહીં ને ? તમારાથી ના જવાય તેમ હોય એટલે તમને મનમાં ભાવ થાય કે ‘જ્ઞાનીપુરુષ’ આવ્યા છે, પણ મારાથી જવાતું નથી. તો અંતરાય તૂટે. અંતરાય પાડનારો પોતે અણસમજણથી અંતરાય પાડે છે, તેની તેને ખબર નથી. દરેક શબ્દ બોલવો જોખમભરેલો છે, તે બોલતાં ના આવડે તો મૌન રહેવું સારું. તેમાંય ધર્મમાં બહુ જ જોખમ છે, વ્યવહારનાં જોખમ તો ઊડી જાય. આ પદ ગાતાં કેમ નથી આવડતાં ? ‘આપણને તો આવડે જ નહીં.’ એમ કરીને અંતરાય ઊભા કરેલા. ‘આપણને તો આવડે જ.’ એવું બોલે એટલે અંતરાય તૂટે. શીખવા જવું પડતું જ નથી, બધું શીખીને જ આવેલો છે. પ્રશ્નકર્તા: ‘મને પદ ગાતાં આવડે છે' બોલે એટલે આવડે ? દાદાશ્રી : ના. ‘આવડે છે” એવું નહીં. ‘ના કેમ આવડે ?’ એવું મનમાં દેઢ રહેવું જોઇએ. કેટલાક કહે કે, “આવું અક્રમ જ્ઞાન તે વળી હોતું હશે ? કલાકમાં મોક્ષ તે હોતો હશે ?” એવું બોલ્યા કે તેમને અંતરાય પડ્યા. આ જગતમાં શું ના બને એ કહેવાય નહીં. માટે બુદ્ધિથી માપ કાઢવા જેવું આ જગત નથી. કારણ કે આ બન્યું છે એ હકીકત છે. ‘આત્મવિજ્ઞાન' માટે તો ખાસ અંતરાય પડેલા હોય. આ છેલ્લામાં છેલ્વે સ્ટેશન છે. જેના પરોક્ષના અંતરાય તૂટયા હોય એમને પ્રત્યક્ષના અંતરાય હોય જ. એટલે એમને પરોક્ષ જ મળે. અને પ્રત્યક્ષના અંતરાયો તો બહુ મોટા મોટા પડેલા હોય છે, તે તૂટે તો તો અનંત અવતારનું સાટું વળી જાય. પ્રશ્નકર્તા : જ્ઞાનાંતરાય ને દર્શનાંતરાય તૂટે કેવી રીતે ? પ્રશ્નકર્તા : જ્ઞાનાંતરાય, દર્શનાંતરાય શેનાથી પડે છે ? દાદાશ્રી : ધર્મમાં આડુંઅવળું બોલે, ‘તમે કંઇ જ સમજતા નથી ને હું જ સમજું છું’ એનાથી જ્ઞાનાંતરાય ને દર્શનાંતરાય પડે. અગર તો
SR No.008827
Book TitleAptavani 04
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size94 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy