SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ આપ્તવાણી-૪ આપ્તવાણી-૪ હોય. અત્યારે વર્તમાનમાં એ શું કરે છે એ જોઇ લેવાનું, નહીં તો ‘પ્રેજ્યુડીસ’ કહેવાય. પાછલું સંભારવાથી બહુ નુકસાન થાય છે. પ્રશ્નકર્તા : પણ ધ્યાનમાં તો રાખવું જોઇએને એ ? દાદાશ્રી : એ તો એની મેળે હોય જ. ધ્યાનમાં રાખીએ તો ‘પ્રેજ્યુડીસ' થાય. ‘પ્રેજ્યુડીસથી તો ફરી સંસાર બગડે. આપણે વીતરાગ ભાવે રહેવું. પાછલું લક્ષમાં રહે જ, પણ એ કંઇ ‘હેલ્ડિંગ’ વસ્તુ નથી. આપણા કર્મના ઉદય એવા હતા તેથી એણે આપણી જોડે એવું વર્તન કર્યું. ઉદય સારા છે તો ઊંચું વર્તન કરશે. માટે રાખશો નહીં ‘પ્રેજ્યુડીસ'. તમને શું ખબર પડે કે પહેલાં છેતરી ગયેલો આજે નફો આપવા આવ્યો છે કે નહીં ? અને તમારે એની જોડે વ્યવહાર કરવો હોય તો કરો ને ના કરવો હોય તો ના કરશો, પણ ‘પ્રેજ્યુડીસ’ ના રાખશો ! અને વખતે વ્યવહાર કરવાનો વખત આવે તો તો બિલકુલ ‘પ્રેજ્યુડીસ” ના રાખશો. પ્રશ્નકર્તા : અભિપ્રાય વીતરાગતા તોડે છે ? દાદાશ્રી : હા. આપણને અભિપ્રાય ના હોવા જોઇએ. અભિપ્રાય અનાત્મ વિભાગના છે, તે તમારે ‘જાણવું” કે તે ખોટો છે, નુકસાનકારક છે. પોતાના દોષે, પોતાની ભૂલે, પોતાના ‘વ્યુપોઇન્ટથી અભિપ્રાય બાંધે છે. તમને અભિપ્રાય બાંધવાનો શો ‘રાઇટ’ છે ? પ્રશ્નકર્તા : અભિપ્રાય બંધાઈ જાય અને તે ભૂંસાય નહીં, તો નવું કર્મ બંધાય ? દાદાશ્રી : આ અક્રમ વિજ્ઞાન પ્રાપ્ત થયું હોય અને આત્માઅનાત્માનું ભેદજ્ઞાન થયું હોય તેને નવું કર્મ ના બંધાય. હા, અભિપ્રાયોનું પ્રતિક્રમણ ના થાય તો સામા પર તેની અસર રહ્યા કરે, તેથી તેનો તમારી પર ભાવ ના આવે. ચોખ્ખા ભાવથી રહે તો એનુય કર્મ બંધાય નહીં, અને જો પ્રતિક્રમણ કરો તો એ અસરેય ઊડી જાય. સાતે ગુણી નાખ્યા તેને સાતે ભાગી નાખ્યા એ જ પુરુષાર્થ. જન્મથી મરણ પયત “સાયન્ટિફિક સરકમસ્ટેન્સિયલ એવિડન્સ'ના હાથમાં છે, તો અભિપ્રાય રાખવાની જરૂર જ કયાં છે? સ્વરૂપજ્ઞાન મળ્યા પછી, જ્ઞાતા-જોયનો સંબંધ પ્રાપ્ત થયા પછી બે-પાંચ અભિપ્રાયો પડયા હોય તેને કાઢી નાખીએ એટલે ‘વીથ ઓનર્સ પાસ થઇએ આપણે ! અભિપ્રાયને લીધે જેમ છે તેમ જોઇ શકાતું નથી, મુક્ત આનંદ અનુભવાતો નથી, કારણ કે અભિપ્રાયનું આવરણ છે. અભિપ્રાય જ ના રહે ત્યારે નિર્દોષ થવાય. સ્વરૂપજ્ઞાન પછી અભિપ્રાય છે ત્યાં સુધી તમે મુક્ત કહેવાઓ, પણ મહામુક્ત ના કહેવાઓ. અભિપ્રાયને લીધે જ અનંત સમાધિ અટકી છે. પહેલા જે “કોઝિઝ’ હતા તેની અત્યારે “ઇફેક્ટ’ આવે છે. પણ એ ‘ઇફેક્ટ’ પર ‘સારું છે, ખોટું છે' એ અભિપ્રાય આપે છે, એનાથી રાગદ્વેષ થાય છે. ક્રિયાથી ‘કોઝિઝ' નથી બંધાતા, પણ અભિપ્રાયથી ‘કોઝિઝ' બંધાય છે. આવકારવા યોગ્ય અભિપ્રાય ! વસ્તુ ભોગવવાનો વાંધો નથી, પણ તેના પર અભિપ્રાય ના રહેવો જોઇએ. ‘હવે મને વાંધો નથી’ એવો અભિપ્રાય પણ ના હોવો જોઇએ. જૂઠું બોલી જવાય તેનો વાંધો નથી, પણ અભિપ્રાય તો “સત્ય” બોલવાનો જ હોવો જોઇએ. અબ્રહ્મચર્યનો વાંધો નથી, પણ તેનો અભિપ્રાય ના હોવો જોઇએ. અભિપ્રાય તો “બ્રહ્મચર્ય'નો જ હોવો જોઇએ. અભિપ્રાય તો “આ દેહ દગો છે” એમાં રાખવાનો છે. કોઇ પણ જાતનો અભિપ્રાય બોજો વધારે છે. જેનો અભિપ્રાય તેનો બોજો ! આપણે સામા પર અભિપ્રાય રાખીએ એટલે એ આપણી પર રાખે. આપણે આપણો અભિપ્રાય તોડી નાખીએ તો એનો અભિપ્રાય એની મેળે ખરી પડે. અભિપ્રાયનું સ્વરૂપ ! પ્રશ્નકર્તા : અભિપ્રાય એટલે પ્રતિષ્ઠિત અહંકાર ? દાદાશ્રી : હા. અભિપ્રાય અહંકારના પરમાણુથી બનેલો છે.
SR No.008827
Book TitleAptavani 04
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size94 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy