________________
આપ્તવાણી-૪
આપ્તવાણી-૪
દાદાશ્રી : અમારેય મન તો ખરું મન ના હોય તો તો ‘એબ્સન્ટ માઇન્ડેડ' કહેવાય. અમારું મન બહુ પ્રખર હોય. ઉપર એટમબોંબ પડે તેવું લાગતું હોય તોય એ હાલે કરે નહીં, ચંચળતા નામેય ના હોય. મન સ્થિર વેગે ફર્યા કરે. અને તમારે તો જેમ આ ગોળનો ટુકડો પડયો હોય ને આ માખી એની આજુબાજુ ભમ્યા જ કરે એવું તમારું મન કોઇ ચીજને દીઠું એટલે ભમ્યા જ કરે એની પાછળ.
સાચી. આ અમેરિકનો પાર વગરના ચંચળ થઇ ગયા છે, તે મહાન દુઃખમાં સપડાયા છે. એમનાં દુઃખો તો રડવાથીય જશે નહીં, આપઘાત કરશો તોય જશે નહીં એવાં દુઃખો ઊભાં થઇ રહ્યાં છે. પોતે પોતાની જ જાળમાં ફસાયા છે. થોડા વખત પછી ત્યાં બૂમાબૂમ થઇ જશે. હજુ તો “ઇગોઇઝમ” કરે છે. ચંચળતા વધે એટલે ફસાય. ચંચળતા વધે એટલે શું કરે ? હાઇવે પરના ૬૭માં માઇલ ઉપર, બીજા ફલાંગ પર ત્યાંથી ફોન કરવાનું કંઇ સાધન નથી તો ત્યાંથી ફોન કરવાનું સાધન ગોઠવો એમ કહે છે, “અલ્યા, કેમ બીજા ફલાંગ ઉપર જ ગોઠવવું છે ?” ત્યારે કહે કે, “પહેલા ફલાંગ ઉપર છે, ત્રીજા ફલંગ ઉપર છે, પણ બીજા ફર્લાગ ઉપર ફોન કરવાનું સાધન નથી !! જુઓ તો ખરા, કેટલી બધી ચંચળતા થઇ ગઇ છે ! આ ‘મેડનેસ’ છે ! આટલું બધું ખાવાનું, પીવાનું છે, છતાં વર્લ્ડ આખું “મેડનેસ'માં પડયું છે. લોકો દુઃખી, દુઃખી ને દુઃખી! “પરમેનન્ટ” દુઃખી !! એક ક્ષણવારેય સુખી નહીં !! જયાં સુધી સ્થિરતાની શક્તિ ઉત્પન્ન થાય નહીં ત્યાં સુધી સુખી કેવી રીતે હોઇ
પ્રશ્નકર્તા : એ ચંચળતા કાઢવી કેમ કરીને ?
દાદાશ્રી : હવે જ્ઞાન પછી તમારે ચંચળતા કાઢવાની જરૂર ના હોય ને ? તમારે તો જોયા કરવાનું. મેં તો તમને જ્ઞાન આપ્યું છે. તે ‘તમારે” એ ચંચળતા શું કરે છે તે “જોયા’ જ કરવાનું. બાકી જગતના લોકો તો, મનની સાથે પોતે પણ રમે છે. મન નાચે ત્યારે એ પણ નાચે છે. અલ્યા, મન નાચે છે. ‘એના નાચ જોયા કર ને ! આ તો ‘તમે'ય એ નાચની સાથે નાચો છો. ગમતો વિચાર આવે એટલે ‘તમે” નાચવા લાગી જાવ અને ના ગમતો આવે એટલે એની જોડે ઝઘડો કે ‘તું ક્યાં આવ્યો ? તું
ક્યાં આવ્યો ? ના ગમતા વિચાર આવે ત્યારે તો ખબર પડી જાય ને કે મન ખરાબ છે તે ખરાબ વિચારો કરે છે. ખરાબ વિચારો આવે તે ઘડીયે “ડીપ્રેશન’ આવી જાય ને સારા વિચારો આવે ત્યારે ‘એલીવેટ’ થઇ જાય. હું તો તમને એવા તૈયાર કરવા માગું છું કે વર્લ્ડમાં કોઇ માણસ તમને “ડીપ્રેસ’ કરી શકે જ નહીં. તમને “ડીપ્રેસ’ કરવા આવ્યો હોય એ પોતે જ “ડીપ્રેસ થઈને ચાલ્યો જાય !
શકે?
પ્રશ્નકર્તા : બે વિચારોની વચમાં સ્થિરતા હોય ખરી ?
દાદાશ્રી : એવું છે ને, એ સ્થિરતા બધી નકામી છે. એ ‘પેકિંગ'ની સ્થિરતા, કશી કામની નથી. એ સ્થિરતા તો, સ્થિરતા ના કહેવાય ને ? સ્થિરતા તો અડગ હોવી જોઇએ. ઉપરથી એટમ બોંબ પડવાનો હોય તોય પણ સ્થિરતા ના તૂટે, એનું નામ સ્થિરતા, જગતનું મન ચંચળ છે. અમારું મન સ્થિર વેગે ફર્યા કરે, એટલે કે જેમ અહીં બે હજાર માણસો હોય ને આપણે એમને ‘શેક હેન્ડ' કરવાના હોય તો તે “શેક હેન્ડ' કરતા જાય ને આગળ ચાલતા જાય. એવી રીતે અમારા મનના વિચારો ‘શેક હેન્ડ’ કરી કરીને જાય. કોઇ વિચાર ઊભો ના રહે. એક સેકન્ડ પણ ઊભો ના રહે ! અને તમારે એક વિચાર પા કલાક ઊભો રહે, અડધો કલાક ઊભો રહે. ઊભો રહે કે ના ઊભો રહે ?
પ્રશ્નકર્તા : સુષુપ્તિમાં સ્થિરતા જેવી સ્થિતિ હોય ?
દાદાશ્રી : સ્થિરતા જેવું કશુંય નહીં ! આ ‘મશીન’ બહુ ગરમ થાય એટલે એને બંધ કરી ઠંડુ કરી દઇએ છીએને ? એવું આ સુષુપ્તિમાં બંધ રહે છે, મન આખા દહાડાનું ગરમ થયેલું હોય તે બંધ થઇ જાય છે. ઊંઘ એ બધી મશીનરીને ઠંડુ પાડે છે.
પ્રશ્નકર્તા: જ્ઞાન લેવાની ઇચ્છા થઇ એ સ્વરૂપ જાગૃતિ કહેવાય ?
પ્રશ્નકર્તા: હા, ઊભો રહે છે.