SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ આપ્તવાણી-૪ આપ્તવાણી-૪ માણસ ભાવનિદ્રામાં જ છે. આગ્રહ એ મોક્ષે જતાં ખોટી વસ્તુ છે. એમ જયારથી જાણે ત્યારથી જાગૃતિ શરૂ થાય છે. અત્યારે તો આગ્રહ જ નહીં, પણ મતાગ્રહી-દુરાગ્રહી થઇ ગયા છે. જાતિનો આગ્રહ હોય તેને કદાગ્રહી કહ્યા. તે બહુ જોખમકારક નથી. પણ મતનો આગ્રહ એટલે મતાગ્રહ, એટલે કે ‘હું જૈન, હું વૈષ્ણવ, હું સ્થાનકવાસી, હું દેરાવાસી, હું દિગંબર’ એ બહુ જ જોખમકારક છે. હિતાહિતનો વિવેક-તેય જાગૃતિ ! કરે. હિન્દુસ્તાનનાં લોકોને તે આવું હોતું હશે ? હિન્દુસ્તાનનો માણસ જો પુરો જાગૃત થાય તો આખા વર્લ્ડને આંગળી ઉપર નચાવે ! આ તો અણહક્કની લક્ષ્મી ને અણહક્કના વિષયની જ પાછળ પડયા છે. પણ એને ખબર નથી કે જતી વખતે નનામી કાઢે છે, ને નામ પરનું બેંક બેલેન્સ બધું કુદરતની જપ્તીમાં જાય. કુદરતની જપ્તી એટલે ‘રીફન્ડ’ પણ ના મળે. સરકારે લઇ લીધું હોય તો રીફન્ડેય મળે. પણ આ તો કુદરતની જપ્તી ! માટે આપણે શું કરી લેવું જોઇએ ? આત્માનું ભલે ના સમજો, પણ પરલોકનું તો કરો ! પરલોકનું બગડે નહીં એવું તો રાખો!! આ લોક તો બગડેલો જ છે, એમાં કંઇ બરકત છે નહીં. હિતાહિતનું ભાન હોય કે મારે જોડે શું લઇ જવાનું છે, એટલું જ જો એ વિચારતો હોયને તોય ઘણું છે. જ્ઞાનીઓ જાગૃત ત્યાં જગત...... વીતરાગોનો માર્ગ શું કહે છે કે કોઇને તમે ‘એ ખોટો છે' એમ કહેશો તો તમે જ ખોટા છો. એની દૃષ્ટિફેર છે એટલે એવું એને દેખાય, એમાં એનો શો દોષ ? કોઇ આંધળો ભીંતને અથડાય પછી આંધળાને ઠપકો અપાતો હશે કે દેખાતું કેમ નથી ? અલ્યા, દેખાતું નહોતું એટલે તો એ અથડાયો. એવું આ જગત આખું ઉઘાડી આંખે ઊંધે છે. આ બધી ક્રિયાઓ થાય છે તે બધી ઊંઘમાં જ થાય છે. સ્વપ્નમાં આ બધું થઇ રહ્યું છે અને મનમાં શુંય માની બેઠા હોય કે આપણે કેટલી બધી ક્રિયાઓ કરી રહ્યા છીએ. પણ આ સ્વપ્નાની ક્રિયાઓ કામ લાગશે નહીં, જાગૃતિની ક્રિયાઓ જોઇશે. આ તો ઉઘાડી આંખે ઊંધે છે. જાગૃત તો કોણ હોય ? પોતાનાં હિતાહિતનું ભાન હોય છે. આખું જગત માની બેઠું છે કે હિતાહિતનું ભાન મને છે, પણ એ હિતાહિતનું ભાન કહેવાય નહીં. પોતાનું જ અહિત કરી રહ્યો છે, જે લક્ષ્મી ભેગી કરવા માટે રાતદહાડો હિતાહિત ખોળે છે તે લોક સંજ્ઞા છે. તેનાથી રાતદા'ડો ખાઇ-પીને પૈસાની પાછળ જ પડયો રહે છે. તે જુઓને, ‘ઑન'ના વેપાર માંડયા છે ! આ હિન્દુસ્તાનમાં તે વળી ‘ઑન'ના વેપાર હોતા હશે ? ખાનગી જે જે કાર્ય કરીશ તે અધોગતિ છે. હિન્દુસ્તાનમાં જન્મેલો તો જન્મથી જ સાંસારિક જાગૃતિ અમુક અંશે લઇને આવેલો હોય. એક તો સાંસારિક જાગૃતિ ને પાછો કળિયુગ, તે કળ વળે નહીં. સતયુગ હોય તો તો કળ વળે. આ નાનાં છોકરાંને એમને એમનાં રમકડાં સંબંધી જ જાગૃતિ હોય, તેમ આ લોકોને તો “ઇન્કમટેક્ષ’ ને ‘સેલટેક્ષ'ની જ જાગૃતિ, પૈસા સંબંધી જ જાગૃતિ આખો દહાડો રહ્યા પ્રશ્નકર્તા : કૃષ્ણ ભગવાને કહ્યું, ‘જયાં જગત જાગે છે ત્યાં અમે ઊંઘીએ છીએ ને જયાં જગત ઊંધે છે ત્યાં અમે જાગીએ છીએ.” એ ના સમજાયું. એ સમજાવો. દાદાશ્રી : જગત ભૌતિકમાં જાગે છે ત્યાં કૃષ્ણ ઊંધે છે ને જગત ઊંઘે છે ત્યાં કૃષ્ણ ભગવાન જાગે છે. છેવટે અધ્યાત્મની જાગૃતિમાં આવવું પડશે. સંસારી જાગૃતિ એ અહંકારી જાગૃતિ છે, ને નિર્અહંકારી જાગૃતિ એનાથી મોક્ષ છે. ચંચળતા જ દુઃખનું કારણ ! મનુષ્યની બે પ્રકારની જાગૃતિ, એક સ્થિરતાની જાગૃતિ ને એક ચંચળતાની જાગૃતિ. મનુષ્ય ચંચળતાની જાગૃતિમાં વધી ગયો છે, સ્થિરતાની જાગૃતિમાં એક ટકોય જાગૃત થયો નથી. અને ચંચળતાની જાગૃતિમાં કોઇ ૧૦ ટકા, કોઇ ૧૫ ટકા, કોઇ ૨૦ ટકા, કોઇ ૩૦ ટકા જાગૃત થયો હોય. ચંચળતાની જાગૃતિ જાનવર બનાવે અને સ્થિરતાની જાગૃતિ મોક્ષમાં લઇ જાય. જે જાગૃતિથી સ્થિરતા વધે છે એ જાગૃતિ
SR No.008827
Book TitleAptavani 04
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size94 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy