________________
આપ્તવાણી-૪
૧૫
આપ્તવાણી-૪
ઉપયોગ. જાગૃતિ બીજામાં ના પેસી જાય, જેમ કે સંસારમાં નફાખોટમાં કે એક જ જગ્યાએ જાગૃતિને નક્કી રાખે તે ઉપયોગ ! જયાં જાગૃતિ વર્તે તે ઉપયોગ; પણ એ ઉપયોગ શુભાશુભનો ઉપયોગ કહેવાય. અને શુદ્ધ ઉપયોગ કોને કહેવાય કે જે શુદ્ધાત્માને અંગે જ ઉપયોગ ગોઠવેલો હોય. ‘જ્ઞાની પુરુષ'ની આજ્ઞામાં ઉપયોગ રહ્યો, ‘રીયલ’ “રીલેટિવ' જોતા જોતા ચાલે તો જાણવું કે છેલ્લી દશા આવી ગઇ. આ તો રસ્તામાં ડાફોળિયાં મારે કે “સ્ટીલ ટ્રેડિંગ કું, ફલાણી કંપની, જો આ કેવું છે !” આમ બીજા ઉપયોગમાં રહે તે અશુભ ઉપયોગ કહેવાય. ને ઉપયોગ ધર્મને માટે હોય તો સારો. અને શુદ્ધ ઉપયોગની તો વાત જ જુદીને ?
અક્રમ વિજ્ઞાત થકી જાગૃતિ !
દાદાશ્રી : ‘હું આ કરું છું” એ ભાન તૂટી જાય ત્યારે આત્મા જાણ્યો કહેવાય. આખો દિવસ ભૂલો દેખાડ દેખાડ કરે તે આત્માનુભવ. ‘હું આ સંસાર ચલાવું છું.” એ ભાન નથી તમને ?
પ્રશ્નકર્તા : એ તો એની મેળે ચાલે છે !
દાદાશ્રી : એ તો જયારે સારું થાય, કોઇ વખાણે કે “અરે, આમણે આ કેવું સરસ કર્યું.' ત્યારે કહે, “મેં કર્યું હતું. અને ખોટું થાય ત્યારે કહેશે, “આ મારા કર્મના ઉદય ફરી વળ્યા છે.' આખું જગત આવું બોલે છે. કર્તાપદ કોઇ કાળેય છૂટે નહીં. બધું છૂટશે પણ કર્તાપદ નહીં છૂટે. કર્તાપદનું ભાન તૂટે નહીં ત્યાં સુધી અહંકારી કહેવાય ને અહંકાર એટલે ભ્રાંતિ. સંપૂર્ણ ભ્રાંતિવાળાને ‘ત્યાં’ પેસવા ના દે. કર્તાપદનું ભાન તૂટી જવું જોઇએ કે ના તૂટી જવું જોઇએ ? શુદ્ધાત્મા બોલે ખરા, પણ તેથી કાંઇ વળે નહીં. એ તો કર્તાપદનું ભાન તૂટે ને કર્તા કોણ છે એ સમજાય પછી કામ આગળ ચાલે. નહીં તો કેમ ચાલે ? જયાં સુધી કર્તાપદ છે ત્યાં સુધી અધ્યાત્મની જાગૃતિ જ ગણાતી નથી. કર્તાપદ છૂટયા સિવાય કોઇ બાપોય પેસવા દે એમ નથી મોક્ષના દરવાજામાં !
‘ચંદુલાલ છું” એ બ્રાંતિ તૂટી જવી જોઇએ અને કર્તાપદ છૂટી જવું જોઈએ. પછી નાટકીય કર્તાપદ રહે. ‘ડ્રામેટિક’ કર્તાપદ એટલે શું ? મેં કર્યું’ એમ કહે. જેમ ભર્તુહરી રાજા નાટકમાં બોલે કે “રાજા છું.’ પણ જોડે ‘હું લક્ષ્મીચંદ છું ને ઘેર જઈને ખીચડી ખાવાની છે એ ભૂલી ના જાય. એવી રીતે તમે ‘હું શુદ્ધાત્મા છું' એમ ભૂલી ના જાવ. ને “આ મેં કર્યું' એમ બોલો એ ‘ડ્રામેટિક' કહેવાય. કર્તાપદનું ભાન તૂટી જવું જોઇએ. નહીંતર શુદ્ધાત્મા તો લોકો ગા ગા કરે જ છે ને ? શાસ્ત્રમાં તો લખ્યું જ છે ઉઘાડું, એવું એ શાસ્ત્ર ગા ગા કરે પણ એથી કંઇ એનો દહાડો વળે એમ નથી. એવું તો અનંત અવતારથી ગાયું છે.
ઉપયોગ શું ? જાગૃતિ શું ? પ્રશ્નકર્તા : ઉપયોગ અને જાગૃતિ એ બે સમજાવો. દાદાશ્રી : જાગૃતિને અમુક જગ્યાએ નક્કી કરવી એનું નામ
આ જગતની જાગૃતિ તે પૌગલિક જાગૃતિ કહેવાય છે. આ સંસારની જાગૃતિ જેને હોય તે બહુ હોશિયાર માણસ હોય, આખો દિવસ જાગૃત ને જાગૃત. એ જાગૃતિમાં સહેજેય પ્રમાદ ના હોય તો તે પણ પૌગલિક જાગૃતિ કહેવાય છે, એનું ફળ સંસાર આવશે. અને આપણી ‘આ’ જાગૃતિ છે એનું ફળ કેવળજ્ઞાન છે. અહીંની ક્રિયાઓને જોઈને લોભાશો નહિ, અહીંની ક્રિયાઓ બધી અહીંની અહીં વટાઇ જવાની છે. ક્રિયાઓ અહીંની ફળવાળી, ‘કેશ’ ફળવાળી છે. તેથી અમે કોઈને ત્યાગ નથી કરાવ્યો ને ? અને ‘આ’ વિજ્ઞાને શોધખોળ કરી છે બધી કે “જગત શું છે ને શું નથી ? શેને આધારે આ બધું ચાલે છે ?” એ અનંત અવતારની આ અમારી શોધખોળ અમે ખુલ્લી મુકીએ છીએ. નહીં તો વળી કલાકમાં મોક્ષ થયેલો સાંભળ્યો છે કોઇનોય ? કરોડો અવતારે જે ઠેકાણું ના પડે તે અમે કલાકમાં જ તમને સ્વરૂપનું ભાન કરાવડાવીએ છીએ. આખા વર્લ્ડને કબૂલ કરવું પડે એવું આ વિજ્ઞાન છે. ‘જગત શું છે ? શું નથી ? અહીં ફળ આપનારું શું છે ? ને ત્યાં ફળ આપનારું શું છે ? કેટલા ભાગમાં ચેતન છે ને કેટલા ભાગમાં નિશ્ચેતન છે ? જગત કોણ ચલાવે છે ?” એ બધી અમારી શોધખોળ છે.
આગ્રહ માત્ર ભાવનિદ્રા જ !! જયાં સુધી માણસને કોઈ પણ પ્રકારનો આગ્રહ છે ત્યાં સુધી