________________
પાસે અવળું બોલાય તોય તે પકડાય છે ! અહીં આ કુદરતની મશીનરી છે ! અંધારામાં કે એકલામાં આવું બોલાયું તો આવું ઝેર જેવું સાંભળવાનું આવે. આપણા તરફથી સહેજ પણ અવળાં સ્પંદન ઊભાં થતાંની સાથે જ પ્રતિક્રમણ કરી તેને ભૂંસી નાંખવા.
આપણે બોલ્યા તેય રેકર્ડ છે પણ સામો બોલ્યો તે પણ રેકર્ડ જ છે. આટલું જ સમજી લઇએ કે પછી ક્યારેય કોઇનો બોલ વાગે નહીં.
- “સ્થળ સંયોગો, સૂક્ષ્મ સંયોગો, વાણીના સંયોગો પર છે ને પરાધીન છે.”
- દાદા ભગવાન વાણીની મર્યાદા કેટલી ? સમજ કેવળદર્શનની હોવા છતાઁ એટ એ ટાઇમ’ એકથી વધારે ‘વ્યુ પોઇન્ટ’ ક્લીયર ના કરી શકે. જ્યારે દર્શન ‘એટ એ ટાઇમ’ સમગ્ર ડિગ્રીએ ફરી વળી શકે !
વિશ્વના તમામ રહસ્યજ્ઞાન, ગૂઢ જ્ઞાનને જાણવા આત્મજ્ઞાની પુરુષ' પાસે ગયા વિના છૂટકો જ નથી. તેથી તો શાસ્ત્રકારોએ જ્ઞાની પુરુષને દેહધારી સ્વયં પરમાત્મા જ કહ્યા છે. ત્યાં જઇએ તો પોતાનો આત્મા જાણવા મળે !
- જય સચ્ચિદાનંદ,