SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ ય દુ:ખ દેવું નથી, ને વચનબળ પ્રાપ્ત હો.” એ માગણી જ્ઞાની પાસે કર્યા કરવાથી તે મળે. બોલી ઊઠવાની જગ્યાએ મૌન રહે તે મૌન તપોબળ. મૌનનું મહત્વ નથી, મૌન સાથે તપોબળ જોઇશે. જ્ઞાનીઓનાં મૌન તપોબળ હોય, જે આખા જગતનું કલ્યાણ કરનાર હોય. મુખ પરથી ભાવાભાવની રેખા ના દેખાય ત્યારે સમજવું કે વાણીનું માલિકીપણું ગયું, ત્યાં સંપૂર્ણ મુક્ત દશા તે. અહંકાર વિના વાણી નીકળે જ નહીં, વાણી એ ખુલ્લો અહંકાર છે. ફક્ત “જ્ઞાની પુરુષ'ની ચાદ્દવાદ વાણી સમયે અહંકાર નથી હોતો, એ સિવાય બીજું કંઈ પણ બોલે તો તે તેમનો અહંકાર જ છે, પણ તેને ‘ડિસ્ચાર્જ' અહંકાર કહેવાય. - વાણીનો પરિગ્રહ “હું કેવું બોલ્યો તે ને ‘હું બોલું છું એટલે કર્મબીજ પડ્યું. આમ સંસારમાં વાણી રઝળાય છે ને વીતરાગ વાણી સંસારસાગર તરાવે પણ છે ! જ્ઞાનીની વાણી ઉલ્લાસભેર સાંભળ સાંભળ કરે તો તેવી પોતાની વાણી થાય. સર્વ કર્મોનો ક્ષય થાય, કષાય નિર્મૂળ થાય, આખું વીતરાગ વિજ્ઞાન હાજર થાય. આત્માનો સ્પષ્ટ અનુભવ થાય, અહંકારની ભૂમિકાનો અંત આવે, જગત આખું નિર્દોષ દેખાય. ત્યારે સ્વાવાદ વાણીનો ભવ્ય ઉદય થાય ! ત્યાં સુધી બુદ્ધિની, વ્યવહારની વાત ગણાય. ત્યાં સુધી મોક્ષમાર્ગમાં ઉપદેશ આપવો એ ભયંકર જોખમ ગણાય. જયાં વાદ નથી, વિવાદ નથી, સંવાદ નથી. જયાં માત્ર સ્યાદ્વાદ છે તેનાથી જ ઉપદેશ અપાય. સની સમજણમાં સંવાદ વિવાદ નથી. આપણું ખરું છે માટે સામાએ માનવું. એ ભાવ પણ ભયંકર રોગ છે ! સાચી વાત સામો કબૂલ કરે જ ને ના કરે તો આપણે છોડી દેવું. ભૂલ વગરની વાણી તો ત્યારે જ નીકળે કે જયારે વાણી પરનો માલિકી ભાવ શૂન્યતાને પામ્યો હોય ! ‘હું કેવું સરસ બોલ્યો’ એ ભાવ આવ્યો ત્યાં પાણીનો માલિકીભાવ રહેલો હોય જ. વાણીથી સ્વબચાવ કરવો એ એક ધર્મચર્ચાની રીત, સામાને કષાયરહિત ભૂમિકામાં જઇને ‘કન્વિસ’ કરે, તેને ફેરવે તે બીજી રીત. અને સામાને ફેરવવા જતાં પોતે જ તેનાથી ફરી જાય ! એ ત્રીજી રીત ! જયાં વીતરાગ ચારિત્રની વર્તના છે, એવા જ્ઞાનીની સ્થાવાદ વાણી મીઠી, મધુરી કોઇને આઘાત-પ્રત્યાઘાત ના કરાવે. સંપૂર્ણ ખેંચ રહિતની વાણી જ સામાના હૃદયને સ્પર્શ ને ત્યારે લોકોનું કલ્યાણ થાય ! આ વાણી અજોડ હોય. જ્ઞાનીની અજાયબ સિદ્ધિ હોય. આપણે પણ એ ભાવથી “એવી વાણી હો’ની પ્રાર્થના કરીએ તો તે પ્રાપ્ત થાય. વચનબળ તો તેને કહેવાય કે જે વચન મુજબ જ બધા ઉલ્લાસભેર વર્તે ! વાણીનો દુરૂપયોગ, જૂઠ, સામાને ડરાવ્યા, જૂઠના સહારે સ્વબચાવ, દુરાગ્રહ કરેલા હોય તેનાથી વચનબળ તૂટી જાય. સામાના હૃદયને ઘા કરનારી વાણી આવતા ભવે તેના ફળસ્વરૂપે બંધ થઇ જાય. ‘કોઇને જરા આ ટેપરેકર્ડ કેવી રીતે ‘ટેપ” થાય છે ? અહંકારની પ્રેરણાથી પહેલાં મહીં વાણીનું ‘કોડવર્ડ’ થાય છે. ‘કોડવર્ડ’માંથી “શોર્ટહેન્ડ' થાય છે તે પછી જયારે વાગે છે ત્યારે આ સંભળાય છે તે ‘ફૂલ ડીટેઇલ'માં નીકળે છે તેથી. મુખ પરથી ભાવાભાવી રેખ ના દેખાય ત્યારે સમજવું કે વાણીનું આપણા ભાવ પ્રમાણે “ટેપ’ થાય. ભાવમાં તો ખાલી આનું અપમાન કરવું એટલું જ હોય પછી સંયોગો થાય ત્યારે કલાકો સુધી ગાળો દેતી વાણી એની મેળે જ નીકળે છે. ભાવ થાય છે તે વખતે જ “કોડવર્ડ'માં છપાઇ જાય છે ને પછી “શોર્ટહેન્ડ'માં થઈને બહાર નીકળે છે ત્યારે ‘ફૂલ ફોર્મમાં નીકળે છે ! આત્માને પરમાણુઓ ભેગા થાય ત્યાં ત્યાં આત્માની હાજરીમાં ભાવાભાવના સ્પંદનો જાગે ને તેમાં અહંકાર ભળે કે એ સ્પંદનનું ટાઇપ થઇ જાય. ગતભાવો ઉદયમાં આવે ને તે મુજબ જ તરત જ ટેપ થઇ વાણી નીકળે છે વાણી નીકળે છે તે પ્યોર ગતભાવોનું ‘ડિસ્ચાર્જ જ છે. કોઇનું કિંચિત્માત્ર અવળું-સવળું બોલાયું તો તે ટેપ થઇ જ જાય, પણ આ મનુષ્યનું મન, દેહ પણ એવું છે કે જેમાં ટેપ થઇ જાય છે. ઊંઘતા 38 39
SR No.008827
Book TitleAptavani 04
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size94 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy