SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ દાદા સદ્દગુરવે નમોનમ : આપ્તવાણી શ્રેણી - ૪ (૧) જાગૃતિ આપ્તવાણી-૪ છે. ક્રોધ, માન, માયા, લોભ એ ભાવનિદ્રાને લીધે થાય છે. કોઇ ને કિચિંત્માત્ર દુઃખ થાય છે તેય ભાવનિદ્રાને લીધે થાય છે. આખું જગત ભાવનિદ્રામાં છે, એમાંથી જાગો. હું તો એક જ તમને કહેવા આવ્યો છું કે જાગો. તારે જાગવું છે કે ઊંઘવું છે ? આમ કયાં સુધી ઊંધ્યા કરીશ ? પ્રશ્નકર્તા : હું તો જાગતો જ છું ને ? દાદાશ્રી : ‘કોણ કહે છે કે તું જાગતો છે ?” જાગતો હોય તો તો કોઇની જોડે કલેશ ના થાય, કંકાસ ના થાય, કોઇની જોડે મતભેદ ના પડે, ચિંતા ન થાય. પૌગલિક જાગૃતિ : સ્વરૂપ જાગૃતિ ! બે પ્રકારની જાગૃતિ : એક પૌગલિક જાગૃતિ અને બીજી આત્મિક જાગૃતિ. પૌગલિક જાગૃતિવાળો પુદ્ગલમાં જ રમણતા કરે ને આત્મિક જાગૃતિવાળો કેવળ આત્મામાં જ રમણતા કરે. પૌગલિક જાગૃતિ વધતી વધતી જાય, ને પુદ્ગલમાં રમણતા કરતા કરતા થાકે કંટાળે ને પછી પોતાના સાચા સુખની ઇચ્છા કરે ત્યારે સ્વરૂપ જાગૃતિના સંયોગો બધા ભેગા થાય અને એ સંયોગ બાઝયા પછી આગળ સ્વરૂપ જાગૃતિમાં આવે. સ્વરૂપ જાગૃતિમાં થોડી આંખ ઊઘડી એટલે પછી ધીમે ધીમે આખી આંખો ઊઘડવાની. કેવળજ્ઞાત એટલે....... જાગૃતિ હોજો, અચળ સ્વભાવતી ! જ્યાં આત્મા નથી ત્યાં ‘હું છું' એવી પ્રતિષ્ઠા કરી, માટે પ્રતિષ્ઠિત આત્મા થયો. એમાં ચેતન છે જ નહીં. એ ‘મિકેનિકલ ચેતન' છે. એ દરઅસલ આત્મા નથી, ખાલી ‘મશીનરી’ જ છે. જો કદી એમાં પેટ્રોલ વિગેરે ના પૂરે ને તો એ ખલાસ થઇ જાય. અરે, અહીંથી હવા જ ના જવા દે તો એ બધી ‘મશીનરી’ બંધ થઇ જાય. ‘મિકેનિકલ ચેતન” એ ચંચળ સ્વભાવનું છે ને અંદર જે દરઅસલ આત્મા છે તે અચળ સ્વભાવનો છે. ક્યારેય પણ ચંચળ થયો નથી. એવો એ અચળ આત્મા છે અને તે જ ભગવાન છે, ત્રણ લોકનો નાથ છે !! પણ ભાન થાય તો!!! પોતાને પોતાનું ભાન થાય તો ત્રણ લોકના નાથ જેવું સુખ વર્તે. આ તો બેભાનપણામાં છે. આ બધું અજાગૃત દશામાં છે. ભાવતિદ્રામાંથી જાગો ! આખું જગત ભાવનિદ્રામાં છે. ભાવનિદ્રા એટલે સ્વભાવમાં ઊંધ્યો તે, ને પેલી દેહનિદ્રામાં તો સ્વભાવમાં ઊંધે અને પરભાવમાંય ઊંધે છે તે. દેહનિદ્રામાં દેહનુંય ભાન ના રહે. દેહનિદ્રામાંથી દેહનું ભાન આવે ત્યારે બીજી બાજુ ભાવનિદ્રા રહે. પોતે પોતાનું બેભાન પણે અહિત જ કર્યા કરે સંપૂર્ણ જાગૃતિ એને જ કેવળજ્ઞાન કહ્યું. બીજું કંઈ છે જ નહીં. કેવળજ્ઞાન કંઇ નવી વસ્તુ નથી. કોઇપણ જગ્યાએ ગફલત ના થાય. સહેજેય ‘ોઝિંગ” ના થાય એનું નામ સંપૂર્ણ જાગૃતિ. આ સંસારની જાગૃતિ તો ઘણા લોકોને હોય છે જ, પણ તે સવાશે નથી હોતી. સંસાર જાગૃતિ - દુ:ખતું ઉપાર્જત ! સંસારની જાગૃતિ જેમ જેમ સવશે થતી જાય તેમ તેમ તો સંસાર
SR No.008827
Book TitleAptavani 04
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size94 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy